સંજુ સેમસને જાતે ટીમ છોડી કે તેને કાઢી મુક્યો? રાજસ્થાન રોયલ્સના એક ખુલાસાથી ખળભળાટ મચી ગયો!

રાજસ્થાન રોયલ્સ ટીમે સંજુ સેમસન અંગે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. રાજસ્થાન રોયલ્સ (RR)ના માલિક મનોજ બડાલેએ ખુલાસો કર્યો છે કે સંજુ સેમસને IPL 2025ના મધ્યમાં પહેલીવાર ફ્રેન્ચાઇઝ છોડવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ઓલરાઉન્ડર સેમ કુરન અને રવિન્દ્ર જાડેજાના બદલામાં IPL 2026 સીઝન માટે સંજુ સેમસનને રાજસ્થાન રોયલ્સ (RR)માંથી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)માં લેવામાં આવ્યો છે.

Sanju-Samson1
sports.punjabkesari.in

રાજસ્થાન રોયલ્સ દ્વારા તેમની યુટ્યુબ ચેનલ પર શેર કરાયેલા એક વિડીયોમાં મનોજ બડાલેએ આ અંગે મોટો ખુલાસો કર્યો છે. મનોજ બડાલેએ કહ્યું, 'સંજુએ સૌપ્રથમ આગળ વધવાની વાત કરી હતી, કદાચ આ વર્ષે અથવા ગયા વર્ષે સીઝનના અંતે કોલકાતામાં કરી હતી. મેચ પછી અમારી એક મીટિંગ થઇ હતી. તે ખૂબ જ પ્રામાણિક વ્યક્તિ છે. તે વ્યક્તિગત અને ભાવનાત્મક રીતે ખૂબ થાકી ગયો હતો. તે રાજસ્થાન રોયલ્સ માટે ખૂબ કાળજી રાખે છે, અને મને લાગે છે કે 18 વર્ષમાં અમારી સૌથી ખરાબ સીઝને તેને ખૂબ નિરાશ કર્યો હતો.'

Sanju-Samson2
divyahimachal.com

અહીં તમને બતાવી દઈએ કે, સંજુ સેમસનની કેપ્ટનશીપ હેઠળ, રાજસ્થાન રોયલ્સ IPL 2022ની ફાઇનલમાં પહોંચ્યા હતા. IPL 2022ની ફાઇનલમાં તેઓ ગુજરાત ટાઇટન્સ સામે હારી ગયા હતા. જોકે, IPL 2025 સીઝન સંજુ સેમસન માટે વધુ પડકારજનક સાબિત થઈ. સંજુ સેમસન સાઈડ સ્ટ્રેનને કારણે IPL 2025ની પાંચ મેચ રમી શક્યો ન હતો. ત્યારપછી સંજુ સેમસનના સ્થાને રિયાન પરાગને કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. IPL 2025માં, રાજસ્થાન રોયલ્સ ચાર જીત સાથે નવમા સ્થાને રહ્યું.

Sanju-Samson3
hindi.news18.com

મનોજ બડાલેએ 11 IPL સીઝનમાં રાજસ્થાન રોયલ્સ ફ્રેન્ચાઇઝી પ્રત્યે સંજુ સેમસનના સમર્પણની પ્રશંસા કરી અને યાદ કર્યું કે, 2021માં તેમને કેપ્ટન નિયુક્ત કરવા એક જોખમી પગલું માનવામાં આવતું હતું, પરંતુ તેમણે આ જવાબદારી પ્રશંસનીય રીતે નિભાવી. મનોજ બડાલેએ આગળ કહ્યું, 'જ્યારે સંજુ સેમસન કંઈક કહે છે, ત્યારે તે તેનો કોઈ અર્થ હોય છે. તે 14 વર્ષથી ફ્રેન્ચાઇઝનો એક અસાધારણ સેવક રહ્યો છે. ચાહકો ફક્ત તેની બેટિંગ જ નહીં, પરંતુ તેણે જે કર્યું છે તે બધું જ જુએ છે. જ્યારે અમે તેને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો, ત્યારે તે એક જોખમી પગલું હતું. તે એક યુવાન અને બિનઅનુભવી કેપ્ટન હતો, પરંતુ તેણે તે ભૂમિકા માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરી દીધું.'

About The Author

Related Posts

Top News

શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

2026ની પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં હાર પછી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) હવે પોતાને વિપક્ષ તરીકે ફરીથી રજૂ કરવાનો...
National 
શું સત્તા ગુમાવ્યા પછી TMC તૂટવા લાગી? પહેલા મોટા વિરોધ પ્રદર્શનમાં ફક્ત 35 MLA જ આવ્યા!

અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત થાય અને વિવાદ ન થાય એવું બને જ નહીં. મંગળવારે, અફઘાનિસ્તાન સામેની ટેસ્ટ અને ODI ...
Sports 
અફઘાનિસ્તાન સામે સીરિઝમાં ટીમ ઈન્ડિયાને લઇને એવા 5 નિર્ણયો, જેને કારણ થઇ રહ્યો છે હોબાળો

એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

મહારાષ્ટ્રમાં રાજકારણમાં ફરી એક વખત ગતિવિધિઓ તેજ થઇ ગઇ છે. ઉદ્ધવ ઠાકરેની પાર્ટી શિવસેના (UBT) ના સાંસદો અને એકનાથ...
Politics 
એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથ વચ્ચે શું ચાલી રહ્યું છે?

સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?

ભારતમાં રાજકીય પાર્ટી બનવી એ કોઇ નવાઇની વાત નથી પરંતુ સોશિયલ મીડિયમાં એક રાજકીય પાર્ટી જબરદસ્ત ચર્ચાનો વિષય બની છે....
National 
સોશિયલ મીડિયા પર કોકરોચ જનતા પાર્ટી કેમ ટ્રેન્ડ થઇ રહી છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.