રૂ. 2000ની કેટલી નોટ તમારી પાસે હજુ પડી છે, RBIએ જણાવ્યું કેટલી પાછી નથી આવી

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ નવા નાણાકીય વર્ષમાં ગયા વર્ષે સર્ક્યુલેશનથી બહાર કરેલી 2000 રૂપિયાની ગુલાબી નોટોને લઈને મોટું અપડેટ આપ્યું છે. ચલણ બહાર થવાના લગભગ 11 મહિના બાદ પણ હજારો કરોડ મૂલ્યની આ મોટી નોટ બજારમાં ઉપલબ્ધ છે, જેની વાપસી અત્યાર સુધી થઈ શકી નથી. RBI દ્વારા 1 એપ્રિલે આ નોટોને લઈને નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે અને એ મુજબ અત્યારે પણ લોકો 8,202 કરોડ મૂલ્યની નોટ પોતાની પાસે રાખી મુકી છે.

PTIના રિપોર્ટ મુજબ, RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડાઓને જોઈએ તો સર્ક્યુલેશન બહાર કરાયેલી 2000 રૂપિયાની કુલ નોટોમાંથી લગભગ 97.69 ટકા નોટ બેન્કિંગ પ્રણાલીમાં પરત લઈ લેવામાં આવી છે, પરંતુ અત્યારે પણ 2.31 ટકા નોટોને લોકોએ દબાવી રાખી છે, જેની વાપસી થઈ શકી નથી. આ બાકી બચેલી 2000 રૂપિયાની નોટોની કિંમત 8,202 કરોડ રૂપિયા છે.

RBIએ ક્લીન નોટ પોલિસી હેઠળ ગયા વર્ષે સર્ક્યુલેશનમાં ઉપસ્થિત સૌથી વધુ કિંમતની આ 2000 રૂપિયાની નોટને પરત લેવાની જાહેરાત કરી હતી. 19 મેં 2023ના રોજ માર્કેટમાં કુલ 3.56 લાખ કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાં ઉપસ્થિત હતી, જ્યારે ગયા વર્ષના અંતમાં 29 ડિસેમ્બર 2023ના રોજ આ આંકડો ઘટીને માત્ર 9330 કરોડ રૂપિયા રહી ગયો હતો.

આ હિસાબે જોઈએ તો 2 મહિનાની અવધિમાં 2000 રૂપિયાની નોટોની વાપસીની ગતિ ખૂબ ધીમી રહી છે. સૌથી મોટી ચલણી નોટોને સર્ક્યુલેશનથી બહાર કરવાની જાહેરાત બાદ RBIએ સ્થાનિક બેન્કો અને 19 RBI ક્ષેત્રીય કાર્યાલયોમાં આ નોટોને પરત કરવા અને બદલાવવા માટે 23 મેથી લઈને 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જો કે, આ ડેડલાઇનને 7 ઑક્ટોબર 2023 સુધી વધારવામાં આવી હતી. આ તારીખ સુધી પણ કુલ નોટોની વાપસી ન થતા RBIએ 8 ઑક્ટોબર 2023થી RBI ઓફિસોમાં આ નોટોને બદલાવવાની સુવિધા ચાલુ રાખી છે.

આ નોટોને અત્યારે પણ બદલી શકાય છે. જો કે, સ્થાનિક બેન્કોમાં આ કામ નહીં થઈ શકે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે સર્ક્યુલેશનથી બહાર કરવામાં આવેલી આ ગુલાબી નોટોને 10 RBI ઓફિસ જે અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે, જેમાં જવા સિવાય જનતા પોતાની કોઈ નજીકની પોસ્ટ ઓફિસના માધ્યમથી પણ આ નોટ જમા કરાવી શકે છે.

Top News

શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?

વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની જીત પછી અરવિંદ કેજરીવાલ ફુલ ફોર્મમાં છે અને અત્યારથી ગુજરાત વિધાનસભા 2027ની તૈયારી...
Gujarat 
શું ગુજરાતના વધુ એક ધારાસભ્ય AAP છોડવાની તૈયારીમાં છે?

11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

EDએ ગુરુગ્રામ જમીન કૌભાંડમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે ચાજર્શીટ દાખલ કરી છે. લોકસભામાં વિપક્ષ નેતા...
National 
11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

ઇંગ્લેન્ડનો સ્ટાર ટેસ્ટ બેટ્સમેન જો રૂટ હાલમાં રન અને સદીઓનો વરસાદ કરી રહ્યો છે. જો રૂટે અત્યાર સુધીમાં 157 ટેસ્ટ...
Sports 
સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

કર્ણાટક વાણિજ્યિક કર વિભાગે એક ફૂલ વિક્રેતાને નોટિસ મોકલી છે જે લારી પર ફૂલો વેચે છે, કારણ કે અધિકારીઓને...
National 
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.