રૂ. 2000ની કેટલી નોટ તમારી પાસે હજુ પડી છે, RBIએ જણાવ્યું કેટલી પાછી નથી આવી

ભારતીય રિઝર્વ બેંક (RBI)એ નવા નાણાકીય વર્ષમાં ગયા વર્ષે સર્ક્યુલેશનથી બહાર કરેલી 2000 રૂપિયાની ગુલાબી નોટોને લઈને મોટું અપડેટ આપ્યું છે. ચલણ બહાર થવાના લગભગ 11 મહિના બાદ પણ હજારો કરોડ મૂલ્યની આ મોટી નોટ બજારમાં ઉપલબ્ધ છે, જેની વાપસી અત્યાર સુધી થઈ શકી નથી. RBI દ્વારા 1 એપ્રિલે આ નોટોને લઈને નવું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે અને એ મુજબ અત્યારે પણ લોકો 8,202 કરોડ મૂલ્યની નોટ પોતાની પાસે રાખી મુકી છે.

PTIના રિપોર્ટ મુજબ, RBI દ્વારા જાહેર કરવામાં આવેલા નવા આંકડાઓને જોઈએ તો સર્ક્યુલેશન બહાર કરાયેલી 2000 રૂપિયાની કુલ નોટોમાંથી લગભગ 97.69 ટકા નોટ બેન્કિંગ પ્રણાલીમાં પરત લઈ લેવામાં આવી છે, પરંતુ અત્યારે પણ 2.31 ટકા નોટોને લોકોએ દબાવી રાખી છે, જેની વાપસી થઈ શકી નથી. આ બાકી બચેલી 2000 રૂપિયાની નોટોની કિંમત 8,202 કરોડ રૂપિયા છે.

RBIએ ક્લીન નોટ પોલિસી હેઠળ ગયા વર્ષે સર્ક્યુલેશનમાં ઉપસ્થિત સૌથી વધુ કિંમતની આ 2000 રૂપિયાની નોટને પરત લેવાની જાહેરાત કરી હતી. 19 મેં 2023ના રોજ માર્કેટમાં કુલ 3.56 લાખ કરોડ રૂપિયાની કિંમતની 2000 રૂપિયાની નોટ સર્ક્યુલેશનમાં ઉપસ્થિત હતી, જ્યારે ગયા વર્ષના અંતમાં 29 ડિસેમ્બર 2023ના રોજ આ આંકડો ઘટીને માત્ર 9330 કરોડ રૂપિયા રહી ગયો હતો.

આ હિસાબે જોઈએ તો 2 મહિનાની અવધિમાં 2000 રૂપિયાની નોટોની વાપસીની ગતિ ખૂબ ધીમી રહી છે. સૌથી મોટી ચલણી નોટોને સર્ક્યુલેશનથી બહાર કરવાની જાહેરાત બાદ RBIએ સ્થાનિક બેન્કો અને 19 RBI ક્ષેત્રીય કાર્યાલયોમાં આ નોટોને પરત કરવા અને બદલાવવા માટે 23 મેથી લઈને 30 સપ્ટેમ્બર 2023 સુધીનો સમય આપ્યો હતો. જો કે, આ ડેડલાઇનને 7 ઑક્ટોબર 2023 સુધી વધારવામાં આવી હતી. આ તારીખ સુધી પણ કુલ નોટોની વાપસી ન થતા RBIએ 8 ઑક્ટોબર 2023થી RBI ઓફિસોમાં આ નોટોને બદલાવવાની સુવિધા ચાલુ રાખી છે.

આ નોટોને અત્યારે પણ બદલી શકાય છે. જો કે, સ્થાનિક બેન્કોમાં આ કામ નહીં થઈ શકે. RBIએ સ્પષ્ટ કર્યું છે કે સર્ક્યુલેશનથી બહાર કરવામાં આવેલી આ ગુલાબી નોટોને 10 RBI ઓફિસ જે અમદાવાદ, બેંગ્લોર, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંડીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં છે, જેમાં જવા સિવાય જનતા પોતાની કોઈ નજીકની પોસ્ટ ઓફિસના માધ્યમથી પણ આ નોટ જમા કરાવી શકે છે.

About The Author

Top News

90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બનેલો ઐશબાગ રેલવે ઓવર બ્રિજ (ROB) તેના ઉદ્ઘાટન પહેલા જ વિવાદોમાં ફસાયેલો હતો, પરંતુ હવે...
National 
90 ડિગ્રીના પુલની ડિઝાઇનમાં ફેરફાર કરાશે, રેલવે વધારાની જમીન આપવા સહમત થઈ ગઈ

ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

નાના દેશોમાં ટેસ્ટ ક્રિકેટને વ્યવહારુ અને લોકપ્રિય બનાવવા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) એક મોટું પગલું ભરવા જઈ રહી...
Sports 
ટેસ્ટ મેચને વધુ લોકપ્રિય બનાવવા માટે 5ને બદલે 4 દિવસની રમાડશે પણ ભારત...

એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

શેર બજારમાં ઘટાડા વચ્ચે પણ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના શેરમાં શાનદાર તેજી જોવા મળી રહી છે. બુધવારે બપોરે...
Business 
એવી કંપની સાથે અનિલ અંબાણીએ કરી ડીલ કે સ્ટોકમાં લાગી ગઈ અપર સર્કિટ

ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી

મધ્યપ્રદેશના ઇન્દોરની જિલ્લા કોર્ટના બેંક ખાતામાં ચોરીનો એક બનાવ પ્રકાશમાં આવ્યો છે. મધ્યપ્રદેશના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, ...
National 
ગુજરાતના બાપ-દીકરાએ કોર્ટના બેંક ખાતામાંથી જ 64 લાખની ઉઠાંતરી કરી લીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.