લોનધારકો માટે RBIના મોટા નિર્ણયો, આ પેનલ્ટી નાબૂદ કરી, જલદી લોન ચૂકવનારાને વધુ ફાયદો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લાખો લોન લેનારાઓને મોટી રાહત આપી છે. હવે જો તમે તમારી હોમ લોન, બિઝનેસ લોન અથવા અન્ય ફ્લોટિંગ રેટ લોન સમય પહેલાં ચૂકવો છો, તો બેંક અથવા નાણાકીય સંસ્થા તમારી પાસેથી કોઈપણ પ્રકારનો પ્રી-પેમેન્ટ પેનલ્ટી અથવા ચાર્જ વસૂલ કરી શકશે નહીં. આ નિયમ 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે અને આનો સૌથી મોટો ફાયદો તે લોકોને થશે જેઓ તેમની લોન વહેલી ચૂકવવાની યોજના બનાવે છે.

RBI ની નવી માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ વ્યક્તિ અથવા નાના ઉદ્યોગ (માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ - MSEs) ફ્લોટિંગ રેટ પર લોન લે છે, અને સમય પહેલાં તેને આંશિક અથવા સંપૂર્ણ રીતે ચૂકવે છે, તો કોઈ પૂર્વ ચુકવણી ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આમાં ખાસ વાત એ છે કે ચુકવણી કોઈપણ સ્ત્રોતમાંથી કરવામાં આવે પછી ભલે તે તમારી બચતમાંથી હોય કે અન્ય કોઈ સંસ્થામાંથી લોન લઈને તો પણ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. ઉપરાંત, લોક-ઇન પીરિયડની ફરજ પણ નાબૂદ કરવામાં આવી છે.

loan1
india.com

નવો નિયમ કઈ લોન પર લાગુ થશે?

* હોમ લોન, પર્સનલ લોન અને અન્ય નોન-બિઝનેસ લોન

* નાના વ્યવસાયો (MSEs) ને આપવામાં આવતી ફ્લોટિંગ રેટ આધારિત બિઝનેસ લોન

* લોનની રકમ આંશિક રીતે કે સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવે તો પણ મુક્તિ લાગુ પડશે.

કઈ બેંકો અને સંસ્થાઓ આ નિયમને આધીન રહેશે?

આ નિયમ બધી કોમર્સિયલ બેંકો (પેમેન્ટ બેંકો સિવાય), સહકારી બેંકો, NBFCs અને અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓને લાગુ પડશે. જોકે, કેટલીક ખાસ સંસ્થાઓને આંશિક મુક્તિ આપવામાં આવી છે. મુક્તિ પામેલી બેંકો અને સંસ્થાઓ - સ્મોલ ફિનાન્સિયલ બેંકો, રિજનલ રૂરલ બેંકો, લોકલ અરિયાની બેંકો,અર્બન કો-ઓપરેટિવ બેંકો (Tier 4), NBFC-UL અને ઓલ ઈન્ડિયા ફાયન્સિયલ ઈન્ટિટ્યુટ્સ. આ સંસ્થાઓ માટે ₹ 50 લાખ સુધીની લોન માટે કોઈ પ્રી-પેમેન્ટ ચાર્જ રહેશે નહીં. એટલે કે, નાના દેવાદારોને પણ આમાં રાહત મળશે.

loan
india.com

સૌથી વધુ લાભ કોને મળશે?

* જે લોકોએ ફ્લોટિંગ રેટ હોમ લોન લીધી છે તેમને આ નિર્ણયનો સીધો લાભ મળશે.

* નાના ઉદ્યોગસાહસિકો, જેઓ વ્યવસાય માટે બેંકમાંથી લોન લે છે, તેઓ હવે સમય પહેલાં ચુકવણી પર વધારાના પૈસા ચૂકવશે નહીં.

* લોનની EMI ઘટાડવા માટે વહેલા ચુકવણી કરવા માંગતા લોકો માટે આ એક નફાકારક તક છે.

આ નિર્ણય શા માટે મહત્વપૂર્ણ છે?

અત્યાર સુધી, બેંકો સમય પહેલાં લોન ચૂકવવા માટે ભારે ફી વસૂલતી હતી, જેના કારણે લોકોના નાણાકીય આયોજન પર અસર પડતી હતી. હવે RBIના આ નિર્ણયથી માત્ર લોન લેનારાઓને રાહત મળશે જ, પરંતુ તે સ્માર્ટ કર્જ મેનેજમેન્ટને પણ પ્રોત્સાહન આપશે.

 

 

 

 

Top News

મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

ડાયમંડ ઉદ્યોગમાં છેલ્લાં 3 વર્ષથી મંદીનો અજગર ભરડો છે અને બજાર ચાલવાની બધા આશા રાખીને બેઠા છે એવા સમયે મોકાણના...
Gujarat 
મંદીના સમયે સુરતમાં હીરા વેપારીનું 4 કરોડમાં ઉઠમણું

એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

સોમવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. આ ઘટાડા પાછળ ઘણા મોટા કારણો હતા, પરંતુ સૌથી મોટું કારણ કોટક...
Business 
એક પરિણામથી ધરાશાયી થઈ દેશની સૌથી અમીર બેન્કરની બેન્ક, 6 કલાકમાં જ થયું લગભગ 32 હજાર કરોડનું નુકસાન

ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

ભારતમાં રહેતી એક અમેરિકન મહિલાએ હવે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેણે ભારતીય પુરુષ સાથે લગ્ન કર્યા પછી...
National 
ભારતીય સાથે લગ્ન કર્યા પછી અમેરિકન મહિલાને સાંભળવી પડે છે વાંધાજનક ટિપ્પણીઓ

મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક

ઇન્દોરના બહુચર્ચિત રાજા રઘુવંશી હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે, તો આજે રાજાના પરિવારે એક અનોખી પહેલ...
Entertainment 
મોટા પરદા પર ઉતરશે રાજા-સોનમ રઘુવંશીનો હનીમૂન કાંડ, સામે આવ્યું ફિલ્મનુ પોસ્ટર; નામ પણ ખતરનાક
Copyright (c) Khabarchhe All Rights Reserved.