લોનધારકો માટે RBIના મોટા નિર્ણયો, આ પેનલ્ટી નાબૂદ કરી, જલદી લોન ચૂકવનારાને વધુ ફાયદો

ભારતીય રિઝર્વ બેંક (RBI) એ લાખો લોન લેનારાઓને મોટી રાહત આપી છે. હવે જો તમે તમારી હોમ લોન, બિઝનેસ લોન અથવા અન્ય ફ્લોટિંગ રેટ લોન સમય પહેલાં ચૂકવો છો, તો બેંક અથવા નાણાકીય સંસ્થા તમારી પાસેથી કોઈપણ પ્રકારનો પ્રી-પેમેન્ટ પેનલ્ટી અથવા ચાર્જ વસૂલ કરી શકશે નહીં. આ નિયમ 1 જાન્યુઆરી, 2026 થી અમલમાં આવશે અને આનો સૌથી મોટો ફાયદો તે લોકોને થશે જેઓ તેમની લોન વહેલી ચૂકવવાની યોજના બનાવે છે.

RBI ની નવી માર્ગદર્શિકા અનુસાર, જો કોઈ વ્યક્તિ અથવા નાના ઉદ્યોગ (માઈક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝ - MSEs) ફ્લોટિંગ રેટ પર લોન લે છે, અને સમય પહેલાં તેને આંશિક અથવા સંપૂર્ણ રીતે ચૂકવે છે, તો કોઈ પૂર્વ ચુકવણી ચાર્જ વસૂલવામાં આવશે નહીં. આમાં ખાસ વાત એ છે કે ચુકવણી કોઈપણ સ્ત્રોતમાંથી કરવામાં આવે પછી ભલે તે તમારી બચતમાંથી હોય કે અન્ય કોઈ સંસ્થામાંથી લોન લઈને તો પણ કોઈ દંડ વસૂલવામાં આવશે નહીં. ઉપરાંત, લોક-ઇન પીરિયડની ફરજ પણ નાબૂદ કરવામાં આવી છે.

loan1
india.com

નવો નિયમ કઈ લોન પર લાગુ થશે?

* હોમ લોન, પર્સનલ લોન અને અન્ય નોન-બિઝનેસ લોન

* નાના વ્યવસાયો (MSEs) ને આપવામાં આવતી ફ્લોટિંગ રેટ આધારિત બિઝનેસ લોન

* લોનની રકમ આંશિક રીતે કે સંપૂર્ણ રીતે ચૂકવવામાં આવે તો પણ મુક્તિ લાગુ પડશે.

કઈ બેંકો અને સંસ્થાઓ આ નિયમને આધીન રહેશે?

આ નિયમ બધી કોમર્સિયલ બેંકો (પેમેન્ટ બેંકો સિવાય), સહકારી બેંકો, NBFCs અને અખિલ ભારતીય નાણાકીય સંસ્થાઓને લાગુ પડશે. જોકે, કેટલીક ખાસ સંસ્થાઓને આંશિક મુક્તિ આપવામાં આવી છે. મુક્તિ પામેલી બેંકો અને સંસ્થાઓ - સ્મોલ ફિનાન્સિયલ બેંકો, રિજનલ રૂરલ બેંકો, લોકલ અરિયાની બેંકો,અર્બન કો-ઓપરેટિવ બેંકો (Tier 4), NBFC-UL અને ઓલ ઈન્ડિયા ફાયન્સિયલ ઈન્ટિટ્યુટ્સ. આ સંસ્થાઓ માટે ₹ 50 લાખ સુધીની લોન માટે કોઈ પ્રી-પેમેન્ટ ચાર્જ રહેશે નહીં. એટલે કે, નાના દેવાદારોને પણ આમાં રાહત મળશે.

loan
india.com

સૌથી વધુ લાભ કોને મળશે?

* જે લોકોએ ફ્લોટિંગ રેટ હોમ લોન લીધી છે તેમને આ નિર્ણયનો સીધો લાભ મળશે.

* નાના ઉદ્યોગસાહસિકો, જેઓ વ્યવસાય માટે બેંકમાંથી લોન લે છે, તેઓ હવે સમય પહેલાં ચુકવણી પર વધારાના પૈસા ચૂકવશે નહીં.

* લોનની EMI ઘટાડવા માટે વહેલા ચુકવણી કરવા માંગતા લોકો માટે આ એક નફાકારક તક છે.

આ નિર્ણય શા માટે મહત્વપૂર્ણ છે?

અત્યાર સુધી, બેંકો સમય પહેલાં લોન ચૂકવવા માટે ભારે ફી વસૂલતી હતી, જેના કારણે લોકોના નાણાકીય આયોજન પર અસર પડતી હતી. હવે RBIના આ નિર્ણયથી માત્ર લોન લેનારાઓને રાહત મળશે જ, પરંતુ તે સ્માર્ટ કર્જ મેનેજમેન્ટને પણ પ્રોત્સાહન આપશે.

 

 

 

 

About The Author

Top News

એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...

(ઉત્કર્ષ પટેલ) આપણા ગુજરાતમાં એક સમયે હતો કે સાબરમતીનું પાણી ટ્રેનમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચાડવું પડતું. 1986માં જ્યારે સૌરાષ્ટ્ર પર...
Opinion 
એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...

સુરતમાં અગ્નિસંસ્કાર કરવા પણ આપવા પડશે પૈસા, સ્મશાનગૃહોને મફતમાં મળતો ગેસ પુરવઠો બંધ

અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે, જેને કારણે દુનિયા પરેશાન છે. ભારતમાં પણ ગેસ...
Gujarat 
સુરતમાં અગ્નિસંસ્કાર કરવા પણ આપવા પડશે પૈસા, સ્મશાનગૃહોને મફતમાં મળતો ગેસ પુરવઠો બંધ

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)નો 3 વોલ્યુમનો ડ્રાફ્ટ અહેવાલ CMને સોંપાયો

ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (Uniform Civil Code - UCC)ના અમલ માટે એક મહત્વનું પગલું લેવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટના નિવૃત્ત...
Gujarat 
ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા (UCC)નો 3 વોલ્યુમનો ડ્રાફ્ટ અહેવાલ CMને સોંપાયો

ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય

(ઉત્કર્ષ પટેલ) એક ગુજરાતી અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય!! આ વાક્ય...
Opinion 
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય

Opinion

એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે... એક સમયે સાબરમતીથી ટ્રેન દ્વારા સૌરાષ્ટ્રમાં પાણી મોકલવું પડતું હતું, અને આજે...
(ઉત્કર્ષ પટેલ) આપણા ગુજરાતમાં એક સમયે હતો કે સાબરમતીનું પાણી ટ્રેનમાં ભરીને સૌરાષ્ટ્ર પહોંચાડવું પડતું. 1986માં જ્યારે સૌરાષ્ટ્ર પર અવિરત...
ગુજરાતના પનોતા પુત્ર મુકેશ અંબાણી અને રિલાયન્સ ગ્રુપ અમેરિકામાં જઈને રોકાણ કરે તે દેશ અને ગુજરાત માટે ગર્વની વાત જ કહેવાય
બીપીનભાઈ પટેલ (ગોતા): સેવા, સમર્પણભાવ સાથે સહકારી અને કૃષિ વિકાસના કાર્યોમાં સક્રિય વ્યક્તિવ
કરસનભાઈ પટેલ: માત્ર એક ઉદ્યોગપતિ નથી, પરંતુ ગુજરાતના હજારો યુવાનો માટે પ્રેરણાનો અમર સ્તંભ છે
પરાક્રમસિંહ જાડેજા: સાહસથી સિદ્ધિ અને સિદ્ધિથી #makeinindia નું ગૌરવ
Copyright (c) Khabarchhe All Rights Reserved.