કઈ ભેટ પર ટેક્સ લાગે છે? દિવાળી પર ગિફ્ટ લેતા પહેલા જાણી લો આ નિયમો

તહેવારોની સિઝન આવતાની સાથે જ ભેટ આપવાની સિઝન શરૂ થઈ જાય છે. લોકો મિત્રો, સંબંધીઓ અને પરિવારના સભ્યો પાસેથી ઘણી બધી ભેટો મેળવે છે, જે પ્રેમ અને શુભકામનાઓનો સંદેશો આપે છે. પરંતુ શું તમે જાણો છો કે, આ ભેટો પર પણ ટેક્સના નિયમો લાગુ પડે છે? તમારા માટે તે ભેટો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જેના પર કરવેરા નિયમો છે. ભેટો પર કેવી રીતે કર લાગે છે અને કયા સંજોગોમાં તે કરમુક્ત છે તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ભારતીય આવકવેરા અધિનિયમની કલમ 56(2)(x) હેઠળ, કોઈપણ વ્યક્તિ અથવા હિંદુ અવિભાજિત કુટુંબ (HUF) પૈસા, મિલકત અથવા અન્ય વસ્તુઓ ભેટ તરીકે મેળવે છે તે 'અન્ય સ્ત્રોતોમાંથી આવક' તરીકે કરપાત્ર છે. આનો અર્થ એ છે કે, આવકમાં અમુક પ્રકારની ભેટોનો સમાવેશ થાય છે અને તેના પર ટેક્સ લાદવામાં આવે છે.

જો કોઈ વ્યક્તિ એક નાણાકીય વર્ષમાં 50 હજાર રૂપિયાથી વધુની ભેટ મેળવે છે, તો તે કરપાત્ર બને છે. જો કે, ભાઈ-બહેન, માતા-પિતા, બાળકો અને પત્ની પાસેથી મળેલી ભેટો કરમુક્ત છે.

મિત્રો અને સંબંધીઓ સિવાયના લોકો પાસેથી મળેલી ભેટ કરપાત્ર છે. નિયમો અનુસાર, જો તેમની કુલ કિંમત 50 હજાર રૂપિયાથી વધુ છે, તો તેમના પર ટેક્સ લાગશે. આવકવેરાની વ્યાખ્યામાં મિત્રોને સંબંધી તરીકે ગણવામાં આવતા નથી, તેથી તેમની પાસેથી 50 હજાર રૂપિયાથી વધુ કિંમતની ભેટો કરપાત્ર હશે.

લગ્ન કે વારસા જેવા અમુક ખાસ પ્રસંગોએ મળેલી ભેટો પર કોઈ કર નથી. આવી ભેટોને સંપૂર્ણપણે કરમુક્ત રાખવામાં આવી છે, કારણ કે તે જીવનના ખાસ પ્રસંગો સાથે જોડાયેલી હોય છે.

આવકવેરા વિભાગના નિયમો અનુસાર જે સંપત્તિઓને કરના દાયરામાં રાખવામાં આવી છે તેમાં શેર, જ્વેલરી, સોના અને ચાંદીની વસ્તુઓ, આર્ટવર્ક, પ્રાચીન વસ્તુઓ અને વર્ચ્યુઅલ ડિજિટલ અસ્કયામતો જેવી કે ક્રિપ્ટોકરન્સી અને NFTનો સમાવેશ થાય છે. જો આ ભેટોની બજાર કિંમત 50,000 રૂપિયાથી વધુ હોય તો તેને કરપાત્ર ગણવામાં આવે છે.

જો કોઈને જમીન કે મકાન ભેટમાં મળે છે અને તેની કિંમત 50 હજાર રૂપિયાથી વધુ છે, તો તેના પર પણ ટેક્સ લાગશે. પરંતુ જો આ મિલકત નજીકના સંબંધી પાસેથી મળી હોય તો તે કરમુક્ત રહેશે.

કંપની તરફથી મળેલી ભેટ, વાઉચર અથવા બોનસ રૂ. 5000 સુધી કરમુક્ત છે. પરંતુ જો આ રકમ 5 હજાર રૂપિયાથી વધુ છે, તો તે તમારા પગારની જેમ કરપાત્ર આવક ગણવામાં આવે છે. તહેવારો અને ખાસ પ્રસંગોએ મળેલી ભેટો પર કરના આ નિયમો દરેક વ્યક્તિએ જાણવું જોઈએ. આ માહિતી વિના, તમે અજાણતા કરવેરાની સમસ્યાઓમાં આવી શકો છો. તેથી, આગલી વખતે જ્યારે પણ તમે ભેટ મેળવો ત્યારે તેની કિંમત અને સ્ત્રોતને ધ્યાનમાં રાખો.

Top News

કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ...
National 
કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે ચૂંટણી પંચ પર મોટો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે...
National 
'મતની ચોરી કરાવી રહ્યું છે ચૂંટણી પંચ, નિવૃત્ત થઇ જાય તો પણ છોડીશું નહીં'; રાહુલ ગાંધી થયા ઉગ્ર

CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

'અજેય ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ અ યોગી'ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) એ  પ્રમાણપત્ર આપવાનો ઇનકાર કર્યો છે, ત્યારબાદ...
Entertainment 
CM યોગી પર બનેલી ફિલ્મ 'અજેય'ની રીલિઝ કેમ રોક લાગી ગઈ? સેન્સર બોર્ડે સર્ટિફિકેટ જ ન આપ્યું

હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ

રાહુલ ગાંધીની અત્યાર સુધી કોંગ્રેસ નેતાઓએ ચાપલૂસી કરી હોય તેવી વાત સામે નહોતી આવી, પરંતુ લાગે  છે કે સામાન્ય...
Politics 
હવે રાહુલ ગાંધીની પણ ચાપલૂસી શરૂ થઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.