કંગના રણૌતે એમ કેમ કહ્યું કે- 'સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે'

આજે સંસદના ચોમાસુ સત્ર 2025ની કાર્યવાહીનો 10મો દિવસ છે અને આજે પણ ગૃહમાં સતત હોબાળો ચાલી રહ્યો છે. ગુરુવારે પણ વિરોધ પક્ષોએ સંસદના બંને ગૃહોમાં ભારે હોબાળો મચાવ્યો હતો અને તેના કારણે ગૃહની કાર્યવાહી ઘણી વખત મુલતવી રાખવી પડી હતી. હવે સંસદની કાર્યવાહી પર બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીના સાંસદ કંગના રનૌતે કહ્યું છે કે, સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ થઇ રહ્યું છે. પરંતુ, એવું તો શું થયું કે કંગના રનૌતે આવી વાત કહી.

Kangana-Ranaut2
rasra.in

BJP સાંસદ કંગના રનૌતે કહ્યું, 'ગુંડાગીરી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જો કોઈ દેશ વિરુદ્ધ કંઈક કહે છે, તો કોંગ્રેસ સૌથી પહેલા તેનું સમર્થન કરે છે. સંસદની હાલત એવી થઈ ગઈ છે કે ત્યાં બેસવું મુશ્કેલ છે, તેમના (વિરોધ પક્ષના) સૂત્રોચ્ચાર સતત ચાલુ જ રહે છે.'

Kangana-Ranaut1
etvbharat.com

કંગના રનૌતે બુધવારે (30 જુલાઈ) લોકસભામાં હિમાચલ પ્રદેશના મંડીમાં આવેલા ભયાનક પૂર અને તેના કારણે થયેલા ભયાનક વિનાશનો મુદ્દો ઉઠાવ્યો હતો. કંગનાએ કહ્યું કે, આપણે બધા TV પર જોઈ રહ્યા છીએ કે, મારા સંસદીય મતવિસ્તાર મંડીમાં પૂર કેટલું ભારે છે. વાદળો ફાટી રહ્યા છે અને જાનમાલનું ઘણું નુકસાન થઇ રહ્યું છે. પૂરને કારણે કેટલા પુલ અને ઘણા ગામડાઓ ધોવાઈ ગયા છે. કંગના રનૌતે કહ્યું કે, કેન્દ્ર સરકાર તરફથી હજારો કરોડ રૂપિયાના રાહત ભંડોળ આવી રહ્યા છે, પરંતુ રાજ્ય સરકાર પૂરગ્રસ્ત વિસ્તારોમાં પુનર્વસન માટે કેટલું કામ કરી રહી છે. તેમણે કહ્યું કે, અમે જાણવા માંગીએ છીએ કે, કેન્દ્ર સરકારે કેટલું ભંડોળ આપ્યું છે અને ક્યારે આપ્યું છે, કારણ કે રાજ્ય સરકાર તેને યોગ્ય રીતે મેનેજ નથી કરી રહી.

Kangana-Ranaut2
rasra.in

આ પહેલી વાર છે જ્યારે કંગના રનૌતે છેલ્લા કેટલાક અઠવાડિયામાં હિમાચલ પ્રદેશમાં બનેલી ભયાનક દુર્ઘટનાનો મુદ્દો ઉઠાવ્યો છે. મંગળવારે મંડી જિલ્લામાં આવેલા પૂરનો ઉલ્લેખ કરતા કંગનાએ પૂછ્યું, ગઈકાલે મંડી સદરમાં મોટું પૂર આવ્યું હતું, કરોડોનું નુકસાન થયું હતું. NDRF, ITBP... ગમે તે દળો આવતા હોય, તેમના માટે સમય મર્યાદા શું છે, મહેરબાની કરીને અમને તે પણ જણાવો. કંગનાએ ભારત સરકારને એ પણ પૂછ્યું કે, શું હિમાચલમાં સતત આવી રહેલી કુદરતી આફતોનો સામનો કરવા માટે કોઈ લાંબા ગાળાની વ્યૂહરચના બનાવવામાં આવી છે નહીં?

About The Author

Top News

iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

iQOOએ થોડા દિવસ પહેલા તેનો નવો iQOO Z11 5G ફોન લોન્ચ કર્યો છે, જે આજે, 25 ઓગસ્ટના...
Tech and Auto 
iQOO Z11 5G લોન્ચ, 7050 mAh બેટરી, MediaTek પ્રોસેસર અને 144Hz AMOLED ડિસ્પ્લે

મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી, મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

ભાજપે નીતિન નબીનની નવી રાષ્ટ્રીય ટીમની જાહેરાત કરી છે, અને રાજકીય નજર હવે સીધું મોદી કેબિનેટ તરફ ટકી ગઇ...
Politics 
મોદી કેબિનેટમાં 12 ખાલી પદો ખાલી,  મોટા ફેરબદલ થાય તેવી ચર્ચા

દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

આસામના જોરહાટમાં ચોરીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવક પર તેના જ ઘરમાંથી આશરે ₹50 લાખ રોકડા...
National 
દીકરાએ પોતાના ઘરેથી જ ચોરી લીધા 50 લાખ! ગર્લફ્રેન્ડ પર લાખો ખર્ચ્યા, iPhone પણ ભેટમાં આપ્યો

કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

ઉત્તર પ્રદેશના શાહજહાંપુર મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક સનસનાટીભર્યો વીડિયો સામે આવ્યો છે. તે લોકશાહી પ્રતિનિધિઓના ઇરાદા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે...
National 
કોર્પોરેટરોએ હાથમાં ગંગાજળ લઈને સોગંધ ખાધા, જે કમિશન મળશે બધાના ભાગે સરખું વહેચાશે

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.