રેલવેના ડબ્બામાં 75 સીટ અને 400 મુસાફરો, હવે આ નહીં ચાલે... ભીડ ઘટાડવા જનરલ કોચ માટે ફક્ત 150 ટિકિટ જ અપાશે!

લોકોની મુસાફરીને સરળ બનાવવા માટે રેલ્વે સતત ફેરફારો કરી રહ્યું છે. આ અંતર્ગત, છેલ્લા કેટલાક દિવસોમાં રેલ્વેએ ઘણા મોટા ફેરફારો કર્યા છે. હવે ટ્રેનોમાં ભીડ ઘટાડવા માટે, રેલ્વેએ એક નવી ફોર્મ્યુલા શોધી કાઢી છે. રેલ્વેએ અનરિઝર્વ્ડ (જનરલ) કોચમાં ભીડને નિયંત્રિત કરવા માટે એક નવો નિયમ બનાવ્યો છે. જનરલ કોચ, જ્યાં 75-80 સીટ જ હોય છે, પરંતુ મુસાફરોની સંખ્યા 400થી 500 સુધી થઇ જતી હોય છે. આ સમસ્યા હવે ટૂંક સમયમાં સમાપ્ત થઇ જશે.

Railway Station
india.com

રેલ્વેના નવા નિયમ હેઠળ, હવે અનરિઝર્વ્ડ (જનરલ) કોચમાં ફક્ત 150 ટિકિટ જ આપવામાં આવશે. એટલે કે ફક્ત 150 લોકોને જ જનરલ ટિકિટ આપવામાં આવશે. આ ટ્રાયલ હાલમાં નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર કરવામાં આવી રહી છે. જો તે સફળ થાય છે, તો તેને દેશભરમાં લાગુ કરી શકાય છે. ટ્રાયલ માટે ઉપયોગમાં લેવાતું સોફ્ટવેર ફક્ત તે જ ટ્રેનોની ટિકિટોની ગણતરી કરશે, જે તે સમયના ત્રણ કલાકમાં રવાના થવાની હશે.

Railway Station
naidunia.com

અત્યાર સુધી, રેલવે તરફથી અનરિઝર્વ્ડ (જનરલ) કોચમાં ટિકિટ આપવાની મર્યાદા અંગે કોઈ નિયમ નહોતો, તેથી આ બોગીઓમાં ખુબ જ ભારે ભીડ રહેતી હતી. જે કોચમાં 75-80 સીટો હોય છે, ત્યાં 400 લોકો મુસાફરી કરતા હતા. આ અનિયંત્રિત ભીડને નિયંત્રિત કરવા માટે, હવે અનરિઝર્વ્ડ (જનરલ) કોચમાં ટિકિટ આપવાની મર્યાદા પણ નક્કી કરવામાં આવી રહી છે. જે હેઠળ ટ્રેનો જ્યાંથી ઉપડે છે તે મૂળ સ્ટેશનથી ફક્ત 150 ટિકિટ જ આપવામાં આવશે. જ્યારે, વચ્ચે આવતા સ્ટેશનો પર કુલ ક્ષમતાના માત્ર 20 ટકા જ ટિકિટ આપવામાં આવશે.

Railway Station
abplive.com

માત્ર જનરલ કોચ જ નહીં, રેલવેએ સ્લીપર અને AC કોચમાં વેઇટિંગ ટિકિટની મર્યાદા પણ નક્કી કરી છે. નવા નિયમ મુજબ, AC કોચમાં ઉપલબ્ધ સીટોના 60 ટકા અને સ્લીપર કોચમાં સીટોની ક્ષમતાના 30 ટકા સુધી વેઇટિંગ ટિકિટ આપવામાં આવશે. રેલવેના આ પ્રયાસોથી ટ્રેનોમાં અને પ્લેટફોર્મ પર ભીડ ઓછી થઈ જશે.

Railway Station
hindi.news18.com

આજથી, તત્કાલ ટિકિટ બુકિંગ માટે OTP ફરજિયાત બનાવવામાં આવ્યો છે. 15 જુલાઈથી, તત્કાલ ટિકિટનું બુકિંગ OTP વગર નહીં થાય. ટિકિટ બુક કરતી વખતે, આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર એક OTP (વન ટાઈમ પાસવર્ડ) મોકલવામાં આવશે, જે બુકિંગ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જ દાખલ કરવાનો રહેશે.

About The Author

Related Posts

Top News

શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

પંજાબના CM ભગવંત માન સાથે સંકળાયેલા વિવાદાસ્પદ વીડિયો કેસમાં નવો વળાંક આવ્યો છે. 23 જૂનના રોજ, હરિયાણાના ગુરુગ્રામ પોલીસે ...
National 
શું પંજાબ પોલીસે CM ભગવંત માનને બચાવવા માટે 10 લાખ રૂપિયાની લાંચ આપી હતી? 2ની ધરપકડ

33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

ગયા અઠવાડિયે, મહારાષ્ટ્રના પુણેમાં પ્રખ્યાત પર્યટન સ્થળ લોહાગઢ કિલ્લા પર 26 વર્ષીય ઉદ્યોગપતિ કેતન વિશાલ અગ્રવાલના મૃત્યુના સમાચાર આવ્યા....
National 
33 ડિગ્રી તાપમાં સિયાના પ્રેમીએ પહેરેલી હૂડી! આવી રીતે ખુલ્યું કેતન અગ્રવાલ કેસનું રહસ્ય

કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

ઇઝરાયેલમાં અલ્ટ્રા-ઓર્થોડોક્સ (કટ્ટરપંથી યહૂદી - જેને ત્યાં Haredi કહેવાય છે) સમુદાયની સૈન્ય ભરતીનો વિવાદ ખૂબ જૂનો અને સંવેદનશીલ છે. પરંતુ...
World 
કોણ છે અલ્ટ્રા-ઓર્થોડોક્સ જે નેતન્યાહુની ખુરશી છીનવી લેવાના છે

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ કરાયેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફિસર (FSSO) કમલેન્દ્ર સિંહે તેમના સસ્પેન્શનનો વિરોધ કર્યો છે. તેમણે ...
National 
લખનૌ આગ ઘટનામાં સસ્પેન્ડ થયેલા અધિકારીએ સરકારને ખુલ્લો પત્ર લખી અનેક ખુલાસા કર્યા

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.