લાંચના આરોપમાં ફસાયા ન્યાયાધીશ, તરફેણમાં ચુકાદો આપવા માટે રૂ. 15 લાખની લાંચ માંગી!

મુંબઈમાં સિવિલ કોર્ટના જજ પર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ કડક પકડ બનાવી છે. ન્યાયાધીશ એજાજુદ્દીન સલાઉદ્દીન કાઝી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં તેઓ આ કેસમાં વોન્ટેડ જાહેર છે.

મુંબઈની સિવિલ કોર્ટમાંથી તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જમીન વિવાદના કેસમાં તરફેણમાં ચુકાદો મેળવવા માટે એડિશનલ સેશન્સ જજ તરફથી રૂ. 15 લાખની લાંચ લેવાના આરોપમાં એક કારકુનની ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ બુધવારે આ જાહેરાત કરી. મઝગાંવ સિવિલ કોર્ટના એડિશનલ સેશન્સ જજ એજાજુદ્દીન સલાઉદ્દીન કાઝીને આ કેસમાં વોન્ટેડ આરોપી જાહેર કરવામાં આવ્યા છે.

Mumbai Court
the420.in

એક અધિકારીએ જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં આ પહેલી ઘટના છે, જેમાં એડિશનલ સેશન્સ જજ પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, ACBએ મંગળવારે ક્લાર્ક ચંદ્રકાંત વાસુદેવની ધરપકડ કરી હતી.

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ના જણાવ્યા અનુસાર, ફરિયાદીની પત્નીએ કંપનીની જમીન બળજબરીથી જપ્ત કરવા સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારપછી, ન્યાયાધીશે શરૂઆતમાં અનુકૂળ નિર્ણય માટે રૂ. 25 લાખની માંગણી કરી હતી, પરંતુ ત્યાર પછી આ રકમ રૂ. 15 લાખમાં નક્કી થઇ ગઈ હતી. અહેવાલો અનુસાર, રૂ. 25 લાખની લાંચમાંથી રૂ. 10 લાખ ક્લાર્ક વાસુદેવનો હિસ્સો હતો, અને બાકીના રૂ. 15 લાખ જજ કાઝી માટે અનામત રાખવામાં આવ્યા હતા.

Mumbai ACB
indianexpress.com

અહીં તમને જણાવી દઈએ કે, 2016માં હાઈકોર્ટે વિવાદિત જમીન પર તૃતીય પક્ષના અધિકારો પર પ્રતિબંધ મૂક્યો હતો. જમીનની કિંમત રૂ. 10 કરોડથી ઓછી હોવાથી, કેસ મઝગાંવની સિવિલ સેશન્સ કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. ACBએ અહેવાલ આપ્યો કે, 9 સપ્ટેમ્બર, 2025ના રોજ, ફરિયાદીને વાસુદેવનો ફોન આવ્યો. ત્યારપછી વાસુદેવ ચેમ્બુરના એક કાફેમાં ફરિયાદીને મળ્યા અને રૂ. 25 લાખની માંગણી કરી. ફરિયાદીએ મોટી રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ વાસુદેવ વારંવાર ફોન કરીને લાંચની માંગણી કરતા રહ્યા, જેના પગલે ફરિયાદીએ 10 નવેમ્બરના રોજ ACBમાં ફરિયાદ નોંધાવી.

ત્યારપછી ACBએ તેમને ફસાવવા માટે છટકું ગોઠવ્યું. ACBના નિર્દેશ પર, ફરિયાદી કોર્ટ પરિસરમાં વાસુદેવને 15 લાખ રૂપિયા ચૂકવવા સંમત થયા. ત્યાં પહોંચીને, વાસુદેવે ન્યાયાધીશને પૈસા મળ્યાની જાણ કરી. વાસુદેવની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી. હાલમાં, વાસુદેવને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે, જ્યારે જજ કાઝી હજુ પણ વોન્ટેડ છે. અધિકારીએ જણાવ્યું હતું કે કેસની તપાસ ચાલુ છે.

About The Author

Related Posts

Top News

ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

દિલ્હીના વઝીરાબાદમાં એક મહિલાએ તેના પ્રેમી, 22 વર્ષીય નકલી ડોક્ટર વિસરજીતના ગુપ્તાંગ પર હુમલો કર્યો હોવાનો આરોપ છે. મહિલાને...
National 
ડોક્ટર પ્રેમી પહેલાથી જ પરિણીત છે; પ્રેમિકાને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે તેનું ગુપ્તાંગ કાપી નાખ્યું!

ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે, US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે બ્રિટિશ PM કીર સ્ટોર્મર પ્રત્યે ખુબ ગુસ્સો વ્યક્ત કર્યો...
World 
ઈરાન યુદ્ધ પર બ્રિટિશ PM સ્ટાર્મરના નિર્ણયથી ટ્રમ્પ ગુસ્સામાં, કહ્યું- 'આવું ક્યારેય બન્યું નથી...'

ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

મધ્ય પૂર્વમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. ઈરાન, સાઉદી અરેબિયા, કુવૈત અને સાયપ્રસ સહિતના દેશો અત્યારે યુદ્ધની...
World 
ઈરાનમાં 555 લોકોએ જીવ ગુમાવ્યા, ઈરાને ટ્રમ્પ સાથે વાત કરવાની ના પાડી દીધી

કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે કોલકાતામાં રમાયેલી T20 વર્લ્ડ કપની કરો યા મરો સુપર-8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી કચડી...
Sports 
કોચ ગંભીરે કોના પર કર્યો કટાક્ષ? તિલક અને દુબેના બહાને છલકાઇ ઉઠ્યું વર્ષો જૂનું દર્દ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.