લાંચના આરોપમાં ફસાયા ન્યાયાધીશ, તરફેણમાં ચુકાદો આપવા માટે રૂ. 15 લાખની લાંચ માંગી!

મુંબઈમાં સિવિલ કોર્ટના જજ પર ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ કડક પકડ બનાવી છે. ન્યાયાધીશ એજાજુદ્દીન સલાઉદ્દીન કાઝી સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. હાલમાં તેઓ આ કેસમાં વોન્ટેડ જાહેર છે.

મુંબઈની સિવિલ કોર્ટમાંથી તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. જમીન વિવાદના કેસમાં તરફેણમાં ચુકાદો મેળવવા માટે એડિશનલ સેશન્સ જજ તરફથી રૂ. 15 લાખની લાંચ લેવાના આરોપમાં એક કારકુનની ધરપકડ કરવામાં આવી છે. ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)એ બુધવારે આ જાહેરાત કરી. મઝગાંવ સિવિલ કોર્ટના એડિશનલ સેશન્સ જજ એજાજુદ્દીન સલાઉદ્દીન કાઝીને આ કેસમાં વોન્ટેડ આરોપી જાહેર કરવામાં આવ્યા છે.

Mumbai Court
the420.in

એક અધિકારીએ જણાવ્યું હતું કે, તાજેતરના વર્ષોમાં આ પહેલી ઘટના છે, જેમાં એડિશનલ સેશન્સ જજ પર ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આરોપ મૂકવામાં આવ્યો છે. એક સત્તાવાર નિવેદન અનુસાર, ACBએ મંગળવારે ક્લાર્ક ચંદ્રકાંત વાસુદેવની ધરપકડ કરી હતી.

ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB)ના જણાવ્યા અનુસાર, ફરિયાદીની પત્નીએ કંપનીની જમીન બળજબરીથી જપ્ત કરવા સામે બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. ત્યારપછી, ન્યાયાધીશે શરૂઆતમાં અનુકૂળ નિર્ણય માટે રૂ. 25 લાખની માંગણી કરી હતી, પરંતુ ત્યાર પછી આ રકમ રૂ. 15 લાખમાં નક્કી થઇ ગઈ હતી. અહેવાલો અનુસાર, રૂ. 25 લાખની લાંચમાંથી રૂ. 10 લાખ ક્લાર્ક વાસુદેવનો હિસ્સો હતો, અને બાકીના રૂ. 15 લાખ જજ કાઝી માટે અનામત રાખવામાં આવ્યા હતા.

Mumbai ACB
indianexpress.com

અહીં તમને જણાવી દઈએ કે, 2016માં હાઈકોર્ટે વિવાદિત જમીન પર તૃતીય પક્ષના અધિકારો પર પ્રતિબંધ મૂક્યો હતો. જમીનની કિંમત રૂ. 10 કરોડથી ઓછી હોવાથી, કેસ મઝગાંવની સિવિલ સેશન્સ કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. ACBએ અહેવાલ આપ્યો કે, 9 સપ્ટેમ્બર, 2025ના રોજ, ફરિયાદીને વાસુદેવનો ફોન આવ્યો. ત્યારપછી વાસુદેવ ચેમ્બુરના એક કાફેમાં ફરિયાદીને મળ્યા અને રૂ. 25 લાખની માંગણી કરી. ફરિયાદીએ મોટી રકમ ચૂકવવાનો ઇનકાર કર્યો હતો, પરંતુ વાસુદેવ વારંવાર ફોન કરીને લાંચની માંગણી કરતા રહ્યા, જેના પગલે ફરિયાદીએ 10 નવેમ્બરના રોજ ACBમાં ફરિયાદ નોંધાવી.

ત્યારપછી ACBએ તેમને ફસાવવા માટે છટકું ગોઠવ્યું. ACBના નિર્દેશ પર, ફરિયાદી કોર્ટ પરિસરમાં વાસુદેવને 15 લાખ રૂપિયા ચૂકવવા સંમત થયા. ત્યાં પહોંચીને, વાસુદેવે ન્યાયાધીશને પૈસા મળ્યાની જાણ કરી. વાસુદેવની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી. હાલમાં, વાસુદેવને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે, જ્યારે જજ કાઝી હજુ પણ વોન્ટેડ છે. અધિકારીએ જણાવ્યું હતું કે કેસની તપાસ ચાલુ છે.

About The Author

Related Posts

Top News

આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

નિઃસંતાન યુગલો માટે ઇન-વિટ્રો ફર્ટિલાઇઝેશન (IVF) ટેકનોલોજીનો ઉપયોગ હવે સામાન્ય થઇ ગયો છે, પરંતુ હવે તેનો ઉપયોગ દુર્લભ...
National 
આસામમાં IVFથી વિશ્વના પ્રથમ વાછરડીનો થયો જન્મ, CMએ આપી પ્રતિક્રિયા

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.