કોણ છે પાકિસ્તાની રેપર અંજુમ, જેણે કોન્સર્ટ વચ્ચે નેપાળમાં લહેરાવ્યો તિરંગો

કાઠમંડુમાં એક લાઈવ પરફોર્મન્સ દરમિયાન પાકિસ્તાની રેપર તલ્હા અંજુમ ભારતીય ધ્વજ પોતાના ખભા પર લપેટીને જોવા મળ્યા હતા. આ વીડિયો ઝડપથી વાયરલ થયો. આ વીડિયો ઓનલાઈન સામે આવ્યાના થોડા કલાકો બાદ અંજુમે X (અગાઉ ટ્વીટર) પર ખૂલીને લખ્યું કે, કલા સીમાઓની વિપરિત હોય છે અને તે ફરીથી ભારતીય ધ્વજ ફરકાવશે. આ દરમિયાન કેટલાક લોકો હવે આશ્ચર્ય પામી રહ્યા છે કે પાકિસ્તાની રેપર તલ્હા અંજુમ કોણ છે.

Talha-Anjum1
ndtv.com

તલ્હા અંજુમ પાકિસ્તાનનો રેપર છે. તે ભારતીય ગલી ગેંગના રેપર નેઝી  માટે પોતાનું ડિસ ટ્રેક કૌન તલ્હા પરફોર્મ કરી રહ્યો હતો ત્યારે ભીડમાંથી કોઈએ તેના પર ભારતીય ધ્વજ ફેંક્યો. તેના ફ્લોને તોડ્યા વિના તેણે એક જ ઝટકામાં ભારતીય ધ્વજ પકડ્યો અને લહેરાવ્યો અને અંતે તેને પોતાની આસપાસ લપેટી લીધો, જેના કારણે ઓનલાઈન અલગ-અલગ પ્રતિક્રિયાઓ આવી છે.

પાકિસ્તાની રેપરે X પર પોતાનો બચાવ કર્યો. તેણે લખ્યું કે, ‘મારા દિલમાં નફરત માટે કોઈ જગ્યા નથી. મારી કલાની કોઈ સીમા નથી. જો ભારતીય ધ્વજ ફરકાવવાથી વિવાદ થાય છે, તો થવા દો હું ફરીથી આવું કરીશ... હું મીડિયા, યુદ્ધ ફેલાવતી સરકારો અને તેમના પ્રચારની ક્યારેય પરવા નહીં કરું. ઉર્દૂ રેપ હંમેશાં સીમાઓ વિનાનું રહ્યું છે અને હંમેશાં રહેશે.

ભારતીય ધ્વજવાળા વિવાદ પર તલ્હા અંજુમની પ્રતિક્રિયા પર યુઝર્સ વિભાજિત થઇ ગયા હતા, કેટલાકે તેનું સમર્થન કરતા કહ્યું કે કલા સીમાઓથી વિપરીત છે. અન્ય લોકોએ કહ્યું કે તે ભારતીય ચાહકોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એક યુઝરે ટિપ્પણી કરતા કહ્યું, ‘કોઈ વાંધો નહીં દોસ્ત, જે કરવાનો હોય તે કર. કોઈપણ દેશનો ધ્વજ ફરકાવવાથી તમે પાકિસ્તાન વિરોધી નહીં બની જાવ. અમે હંમેશાં તને સપોર્ટ કરીશું. અન્ય એક યુઝરે ‘શું વ્યૂઝ નથી મળી રહ્યા કે શું, ભાઈ?

Talha-Anjum
bollywoodlife.com

પાકિસ્તાની રેપર તલ્હા અંજુમ કોણ છે?

તલ્હા અંજુમ એક પ્રખ્યાત પાકિસ્તાની રેપર, ગીતકાર અને હિપ-હોપ આર્ટિસ્ટ છે. તલ્હા અંજુમ ઉર્દૂ રેપમાં ક્રાંતિ લાવવા માટે જાણીતો છે. તેણે ‘બર્ગર-એ-કરાચી’, ‘મૈલા મજનૂ’ અને ‘લામ સાઈ ચૌરા’ જેવા હિટ ટ્રેકથી ખ્યાતિ મેળવી. તે પાકિસ્તાન અને ભારત બંનેના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે.

About The Author

Related Posts

Top News

રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ બેન્કિંગ સિસ્ટમમાં રોકડની અછતને પહોંચી વળવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેન્દ્રીય બેન્કે...
Business 
રોકડ સંકટને પહોંચી વળવા RBI 2 લાખ કરોડ રૂપિયા સિસ્ટમમાં નાખીને બજારને રાહત આપવાની તૈયારીમાં

બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સ્પષ્ટ કરી દીધું છે કે, તે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટે...
Sports 
બાંગ્લાદેશના T20 વર્લ્ડ કપ બોયકૉટથી ભારતને કેટલું થશે નુકસાન?

2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

મુંબઈ એરપોર્ટ હાલના દિવસોમાંમાં ‘તસ્કરી’ વેબ સીરિઝને કારણે ચર્ચામાં છે. આ વેબ સીરિઝમાં બતાવવામાં આવ્યું છે કે,...
National 
2 લોકોએ 2.89 કરોડનું સોનું એવી રીતે છુપાવ્યું કે DRIની ટીમ પણ હેરાન રહી ગઈ

યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

યુરોપિયન યુનિયન (EU)ના નેતાઓ ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન છે. તેથી, યુરોપિયન નેતાઓ 25...
National 
યુરોપિયન યુનિયને કહ્યું- 'ભારત સાથે વેપાર કરાર થવાથી ચીન, રશિયા અને USની જરૂરિયાત ઘટી જશે'

Opinion

દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સંસ્કૃતિ અને રાજકારણમાં અયોધ્યાધામ એક અડગ આસ્થાનું કેન્દ્ર રહ્યું  છે. પ્રભુ શ્રી રામની જન્મભૂમિ તરીકે જાણીતી આ...
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
રામ મંદિર એક વિચારની પુનઃસ્થાપના છે જ્યાં શાસન નહીં પણ સેવા સર્વોપરી છે
અનારબેન પટેલ: ખોડલધામનું નવું નેતૃત્વ, નવી પ્રેરણા...
Copyright (c) Khabarchhe All Rights Reserved.