પત્નીના અપમાનનો બદલો લેવા 7 કરોડ રૂપિયાનું સોનું તફડાવી ગયો કર્મચારી, 4 મહિના પછી…

આંધ્ર પ્રદેશના એલુરૂના ચિંતલપુડીમાં, એક કર્મચારીએ તેના માલિક દ્વારા પત્નીના અપમાનનો બદલો લેવા માટે 7 કરોડ રૂપિયાનું સોનું ચોરી લીધું હતું. તે વ્યવસાયે ચોર નહોતો, કે ન તો તેનો તેનો કોઈ ગુનાહિત રેકોર્ડ હતો. પરંતુ, તેનો હેતુ પોતાની જેમ જ માલિકને હેરાન કરવાનો અને પોતાની સમસ્યાનો અનુભવ કરાવવાનો હતો. એક કર્મચારીએ તેના માલિકને પોતાની જેમ પરેશાન કરવાની ચાહતમાં ચોરી કરી.

અહેવાલો અનુસાર, 9 સપ્ટેમ્બર, 2025ના રોજ ચિંતલપુડી સ્થિતિ કનક દુર્ગા ફાઇનાન્સ કંપનીમાં એક મોટી ચોરી થઈ હતી. આ કંપની પોતાના ગ્રાહકોને સોનાની ઘરેણાં ગીરવે રાખીને લોન આપે છે. જ્યારે વદલમુડીના કર્મચારી ઉમા મહેશ, જે આ પ્રકારે ગીરવે રાખેલા સોનાનું ઓડિટ કરવા આવ્યો હતો, જ્યારે તેનું ધ્યાન ક્યાંક દૂર હતું, ત્યારે તેને પોતાની સાથે લાવેલા થેલામાં સાડા 4 કિલો સોનું ભરી દીધું અને ફરાર થઈ ગયો. કંપનીના મેનેજરે તે રાત્રે પોલીસ ફરિયાદ નોંધાવી, અને ચિંતલપુડી પોલીસે કેસ નોંધીને તપાસ શરૂ કરી. તે સમયે વાહનોની શોધખોળ કરવા છતા આરોપીનો પત્તો લાગ્યો નહોતો.

gold1
timesofindia.indiatimes.com

જોકે, પોલીસે ચોરી બાદ ફરાર મહેશની ધરપકડ કરી છે. ચોરાયેલા સોનાની કુલ કિંમત લગભગ 7 કરોડ હોવાનો અંદાજ છે. જોકે, તેણે માત્ર 6 ગ્રામ વીંટીનો પોતાના અંગત ઉપયોગ માટે કર્યો હતો. પોલીસે આરોપી પાસેથી બાકીનું સોનું જપ્ત કર્યું. પરંતુ જ્યારે પોલીસે ચોરી પાછળના કારણ મહેશની પૂછપરછ કરી, ત્યારે તે ખૂબ જ વિચિત્ર હતું.

શું છે આખી કહાની?

મહેશનો પૈતૃક જિલ્લો નેલ્લોર છે, પરંતુ તેની પત્ની પણ તે જ કંપનીમાં કામ કરે છે. કંપનીના માલિકે તેની પત્ની સાથે દુર્વ્યવહાર કરતા મહેશ નારાજ થઇ ગયો હતો અને તેણે ચોરી કરી. આ ઘટનાથી તે તણાવમાં હતો અને તેને ડર હતો કે કંપનીને મુશ્કેલીનો સામનો કરવો પડશે, પરંતુ હવે તેને ચોર ગણાવવામાં આવ્યો છે અને તેને જેલ જવું પડ્યું છે. લગભગ 4  મહિના સુધી ફરાર રહ્યા બાદ, ફોન પર પણ કોઈનો સંપર્ક ન હોવા છતા, પોલીસ વિભાગના માહિતી અને સંદેશાવ્યવહાર વિભાગ દ્વારા આપવામાં આવેલી પુરાવાઓના આધારે તેને પકડી લેવામાં આવ્યો.

About The Author

Related Posts

Top News

બજેટમાં કોને શું મળ્યું, જાણી લો તમામ માહિતી

કેન્દ્રિય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે દેશનું કેન્દ્રિય બજેટ 2026-27 લોકસભામાં રજૂ કર્યું. આ તેમનું નવમું બજેટ હતું અને વિશેષ વાત...
Business 
બજેટમાં કોને શું મળ્યું, જાણી લો તમામ માહિતી

UP આવ્યા પછી મુસ્લિમ છોકરી આ રીતે હિન્દુ બની જતી અને લગ્ન માટે 1 લાખમાં સોદો કરાતો

પશ્ચિમ બંગાળની રહેવાસી નૂરજહાં ખાતૂન અને આયેશા જ્યારે UPના સંભલમાં આવી ત્યારે તેમની ઓળખ સંપૂર્ણપણે બદલાઈ ગઈ હતી. અહીં...
National 
UP આવ્યા પછી મુસ્લિમ છોકરી આ રીતે હિન્દુ બની જતી અને લગ્ન માટે 1 લાખમાં સોદો કરાતો

પત્નીના અપમાનનો બદલો લેવા 7 કરોડ રૂપિયાનું સોનું તફડાવી ગયો કર્મચારી, 4 મહિના પછી…

આંધ્ર પ્રદેશના એલુરૂના ચિંતલપુડીમાં, એક કર્મચારીએ તેના માલિક દ્વારા પત્નીના અપમાનનો બદલો લેવા માટે 7 કરોડ રૂપિયાનું સોનું ચોરી...
National 
પત્નીના અપમાનનો બદલો લેવા 7 કરોડ રૂપિયાનું સોનું તફડાવી ગયો કર્મચારી, 4 મહિના પછી…

'ન તો સન્માન મળી રહ્યું હતું કે ન તો સમર્થન...' યુવરાજ સિંહે ક્રિકેટ છોડવાનું સાચું કારણ જણાવ્યું

યુવરાજ સિંહે જૂન 2019માં, ODI વર્લ્ડ કપના મધ્યમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે, તેણે પોતાના નિર્ણય પાછળના...
Sports 
'ન તો સન્માન મળી રહ્યું હતું કે ન તો સમર્થન...' યુવરાજ સિંહે ક્રિકેટ છોડવાનું સાચું કારણ જણાવ્યું

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.