અભિષેક શર્મા વર્લ્ડ કપમાં એક પણ રન કેમ નથી બનાવી શક્યો? સુનિલ ગાવસ્કરે જણાવ્યું કારણ

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ઓપનર અભિષેક શર્મા અત્યાર સુધી ત્રણ મેચમાં એક પણ રન બનાવી શક્યો નથી. વિશ્વનો નંબર-1 T20I બેટ્સમેન 3 વખત શૂન્ય પર આઉટ થઇ ગયો છે. પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે અભિષેકના પ્રદર્શન પર મોટું નિવેદન આપ્યું છે. ગાવસ્કરે કહ્યું કે, અભિષેક પર એક્સપેક્ટેશનનો ભાર છે. તેણે સ્માર્ટ ક્રિકેટ રમવી જોઈએ. તેમણે અભિષેકને ક્રીઝ પર થોડો સમય વિતાવવાની અને પછી મોટા શોટ રમવાની સલાહ આપી.

અભિષેકની બેટિંગ પર વાત કરતા સ્ટાર સ્પોર્ટ્સ પર ગાવસ્કરે કહ્યું કે, ‘કદાચ તેના પર અપેક્ષાઓનો ભાર પડી રહ્યો છે. તે ખૂબ જ સારો છોકરો છે. જો તેણે પહેલી મેચમાં સારી શરૂઆત કરી હોત, તો પરિસ્થિતિ અલગ હોત. પરંતુ હવે તે પોતાને સાબિત કરવાના ચક્કરમાં ફસાઈ ગયો છે.’

sunil-gavaskar1
indianexpress.com

ગાવસ્કરે કહ્યું કે, ‘તેની પાસે જેટલા શોટ્સ છે તેના હિસાબે તેણે બેટિંગમાં થોડો વધુ સમય વિતાવવો જોઈએ. તેણે ઇનિંગની શરૂઆતમાં જ બાઉન્ડ્રી કે સિક્સર મારવાનો પ્રયાસ ન કરવો જોઈએ. જો બાઉન્ડ્રી આવી જાય છે તે ઠીક છે, પરંતુ તેણે ક્રોસ-લાઇનમાં મોટા શોટ મારવા માટે ઉતાવળ ન કરવી જોઈએ. જો ચાર ડોટ બોલ પણ જતા રહે તો પણ ઠીક છે. કારણ કે તે આગામી 4-8 બોલમાં તેની ભરપાઈ કરી શકે છે.’

ગાવસ્કરે અભિષેકને સ્માર્ટ ક્રિકેટ રમવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, ‘અભિષેકે સ્માર્ટ ક્રિકેટ રમવી પડશે. તેણે પહેલા સેટ થવું પડશે. પહેલો રન બનાવવો પડશે. જ્યારે તમે ભારત માટે રમી રહ્યા હોવ છો, ત્યારે તમારે પહેલો રન બનાવવો જોઇએ, અને પછી બધું જ પોતાની મેળે ઠીક થઈ જાય છે.’

honey-trap-gang3
indianexpress.com

ગાવસ્કરે કહ્યું કે, ‘અભિષેક જે રીતે આઉટ થઈ રહ્યો છે તે ખૂબ જ પ્રિડિક્ટેબલ છે. તેના મગજમાં એવું ચાલી રહ્યું છે કે લોકો મને 200ના સ્ટ્રાઈક રેટવાળો બેટ્સમેન માને છે, એટલે મારે તે મુજબ રમવું પડશે. તેણે એવું બિલકુલ ન કરવું જોઈએ. આ બધું પોતાની મેળે થાય છે. એકવાર તમે થોડા સિંગલ્સ લો છો, તો તમને પિચનો અહેસાસ થઈ જાય છે. એકવાર અભિષેક સેટ થઈ ગયો તો  તે ચોક્કસપણે મોટો સ્કોર બનાવશે.’

નોંધનીય છે કે અભિષેક શર્મા 2026માં પાંચ વખત શૂન્ય પર આઉટ થયો છે. પાકિસ્તાનના ઓપનર સેમ અયુબ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થયો હતો. અયુબ 2025માં 6 વખત શૂન્ય પર આઉટ થયો હતો. અભિષેક આ યાદીમાં ટોચ પર પહોંચવા નહીં માંગે. ફેન્સને આશા છે કે તે સુપર 8ના પોતાના અંદાજમાં બેટિંગ કરતો દેખાશે અને રન બનાવશે.

About The Author

Related Posts

Top News

હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ફરી વધારો થવા પામ્યો છે. અમેરિકન રાષ્ટ્રપતિ...
Business 
હોર્મુઝ સ્ટ્રેટમાં ફરી તણાવ વધવાની આશંકાથી ક્રૂડ ઓઈલના ભાવમાં 7 થી 8 ટકાનો વધારો થયો

વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિ આયર્લેન્ડ સામેની T20 શ્રેણી માટે મોટો નિર્ણય લેવા માટે તૈયાર છે. તેઓ વૈભવ સૂર્યવંશીને...
Sports 
વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયા માટે પસંદગી નક્કી, કોનું પત્તું કપાશે?

ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

ભારત સરકારે સોમવારે જાહેર કર્યું કે વર્ષ 2026માં દેશમાં ચોમાસુ વરસાદ સામાન્ય કરતાં નબળો રહેવાની સંભાવના છે. આ ત્રણ વર્ષમાં...
National 
ભારતમાં 2026ના ચોમાસાની નબળી આગાહી: ખેતી અને અર્થતંત્ર માટે ચિંતાનો વિષય

લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?

દેશની રાજકીય વ્યવસ્થામાં ધરખમ ફેરફાર લાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વકાંક્ષી પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવ અંતર્ગત...
National 
લોકસભામાં બેઠકોની સંખ્યા 543થી વધારીને 850 કરવાની તૈયારી, આનાથી શું ફાયદો થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.