અભિષેક શર્મા વર્લ્ડ કપમાં એક પણ રન કેમ નથી બનાવી શક્યો? સુનિલ ગાવસ્કરે જણાવ્યું કારણ

T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો ઓપનર અભિષેક શર્મા અત્યાર સુધી ત્રણ મેચમાં એક પણ રન બનાવી શક્યો નથી. વિશ્વનો નંબર-1 T20I બેટ્સમેન 3 વખત શૂન્ય પર આઉટ થઇ ગયો છે. પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે અભિષેકના પ્રદર્શન પર મોટું નિવેદન આપ્યું છે. ગાવસ્કરે કહ્યું કે, અભિષેક પર એક્સપેક્ટેશનનો ભાર છે. તેણે સ્માર્ટ ક્રિકેટ રમવી જોઈએ. તેમણે અભિષેકને ક્રીઝ પર થોડો સમય વિતાવવાની અને પછી મોટા શોટ રમવાની સલાહ આપી.

અભિષેકની બેટિંગ પર વાત કરતા સ્ટાર સ્પોર્ટ્સ પર ગાવસ્કરે કહ્યું કે, ‘કદાચ તેના પર અપેક્ષાઓનો ભાર પડી રહ્યો છે. તે ખૂબ જ સારો છોકરો છે. જો તેણે પહેલી મેચમાં સારી શરૂઆત કરી હોત, તો પરિસ્થિતિ અલગ હોત. પરંતુ હવે તે પોતાને સાબિત કરવાના ચક્કરમાં ફસાઈ ગયો છે.’

sunil-gavaskar1
indianexpress.com

ગાવસ્કરે કહ્યું કે, ‘તેની પાસે જેટલા શોટ્સ છે તેના હિસાબે તેણે બેટિંગમાં થોડો વધુ સમય વિતાવવો જોઈએ. તેણે ઇનિંગની શરૂઆતમાં જ બાઉન્ડ્રી કે સિક્સર મારવાનો પ્રયાસ ન કરવો જોઈએ. જો બાઉન્ડ્રી આવી જાય છે તે ઠીક છે, પરંતુ તેણે ક્રોસ-લાઇનમાં મોટા શોટ મારવા માટે ઉતાવળ ન કરવી જોઈએ. જો ચાર ડોટ બોલ પણ જતા રહે તો પણ ઠીક છે. કારણ કે તે આગામી 4-8 બોલમાં તેની ભરપાઈ કરી શકે છે.’

ગાવસ્કરે અભિષેકને સ્માર્ટ ક્રિકેટ રમવાની સલાહ આપી. તેમણે કહ્યું કે, ‘અભિષેકે સ્માર્ટ ક્રિકેટ રમવી પડશે. તેણે પહેલા સેટ થવું પડશે. પહેલો રન બનાવવો પડશે. જ્યારે તમે ભારત માટે રમી રહ્યા હોવ છો, ત્યારે તમારે પહેલો રન બનાવવો જોઇએ, અને પછી બધું જ પોતાની મેળે ઠીક થઈ જાય છે.’

honey-trap-gang3
indianexpress.com

ગાવસ્કરે કહ્યું કે, ‘અભિષેક જે રીતે આઉટ થઈ રહ્યો છે તે ખૂબ જ પ્રિડિક્ટેબલ છે. તેના મગજમાં એવું ચાલી રહ્યું છે કે લોકો મને 200ના સ્ટ્રાઈક રેટવાળો બેટ્સમેન માને છે, એટલે મારે તે મુજબ રમવું પડશે. તેણે એવું બિલકુલ ન કરવું જોઈએ. આ બધું પોતાની મેળે થાય છે. એકવાર તમે થોડા સિંગલ્સ લો છો, તો તમને પિચનો અહેસાસ થઈ જાય છે. એકવાર અભિષેક સેટ થઈ ગયો તો  તે ચોક્કસપણે મોટો સ્કોર બનાવશે.’

નોંધનીય છે કે અભિષેક શર્મા 2026માં પાંચ વખત શૂન્ય પર આઉટ થયો છે. પાકિસ્તાનના ઓપનર સેમ અયુબ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ શૂન્ય પર આઉટ થયો હતો. અયુબ 2025માં 6 વખત શૂન્ય પર આઉટ થયો હતો. અભિષેક આ યાદીમાં ટોચ પર પહોંચવા નહીં માંગે. ફેન્સને આશા છે કે તે સુપર 8ના પોતાના અંદાજમાં બેટિંગ કરતો દેખાશે અને રન બનાવશે.

About The Author

Related Posts

Top News

સરકાર જે બિલને લાવવા માંગે છે તે સીમાંકનનો મુદ્દો શું છે? અહીં સમજો; જેનાથી લોકસભા બેઠકોની સંખ્યા વધીને 850 થશે

આજે સંસદમાં 3 બિલ રજૂ કરવામાં આવ્યા હતા, જે લોકસભા બેઠકોની સંખ્યા વધારશે. તેમનો ઉદ્દેશ્ય લોકસભા અને રાજ્ય વિધાનસભાઓમાં...
National 
સરકાર જે બિલને લાવવા માંગે છે તે સીમાંકનનો મુદ્દો શું છે? અહીં સમજો; જેનાથી લોકસભા બેઠકોની સંખ્યા વધીને 850 થશે

મજા ન આવે તો પૈસા પાછા! 75 ટકા બાયબેક ગેરંટી સાથે એક Volkswagen Taigunનું વેરિયન્ટ લોન્ચ

શું તમે SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમારા મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે, તમારા પૈસા...
Tech and Auto 
મજા ન આવે તો પૈસા પાછા! 75 ટકા બાયબેક ગેરંટી સાથે એક Volkswagen Taigunનું વેરિયન્ટ લોન્ચ

અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની મોટાભાગની આગાહીઓ સચોટ અને સાચી સાબિત થતી હોય છે. જેને કારણે તેમને ગુજરાતનાં ‘બાબા...
Gujarat 
અંબાલાલ પટેલે ભરઉનાળે જણાવી દીધું- આ વર્ષે ચોમાસુ કેવું રહેશે, ક્યારે હવામાન બદલાશે

બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!

ગુજરાતમાં સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં ફોર્મ ખેંચવાની તારીખ 15 એપ્રિલ હતી. ત્યારે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ જાહેર કર્યું...
Politics 
બિનહરીફ જીત: વિશ્વકર્મા તો પાટીલને પણ ટપી ગયા!
Copyright (c) Khabarchhe All Rights Reserved.