ગુજરાતના હવામાનમાં સતત થતા ફેરફારોથી ખેડૂતો ચિંતાતૂર, કેરીના પાકમાં ભારે નુકસાનીની ભીતી

છેલ્લા એક-બે વર્ષથી ગુજરાત સહિત દેશભરમાં હવામાનનો મિજાજ કંઈક અલગ રહ્યો છે. અગાઉ જ્યારે સીઝન મુજબ હવામાન બદલાતું હતું, ત્યારે હવે અચાનક વાતાવરણમાં પલટો આવી જાય છે. અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે. અત્યારે વાતાવરણ ક્યારે બદલાઈ જાય એ કહી શકાતું નથી. અત્યારે અંબા પર મોર આવવા સાથે કેરીઓ બેસવા લાગી છે, પરંતુ હવામાનમાં ફેરફાર થવાને કારણે અંબા પર આવેલી મોર ખરી પડશે અને ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતી સેવાઇ રહી છે. 

છેલ્લા બે દિવસથી છોટાઉદેપુર તાલુકાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. સવારે પડેલા માવઠાંએ ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. છોટાઉદેપુર તાલુકાના નાલેજ ગામમાં કેસર અને લંગડો કેરીની આંબાવાડી કરતા ખેડૂતોને ભારે નુકસાન થઈ શકે છે. મોર ખરવાથી આગામી સીઝનમાં ઉત્પાદન પર સીધી અસર પડશે. કેરી સિવાય મકાઈ અને તુવર જેવા પાક પર પણ હવામાનની અસર થઈ શકે છે, જેને પાકમાં નુકસાન થવાથી ખેડૂતોને નુકસાન થશે અને આર્થિક નુકસાન થવાથી રડવાનો વારો આવી શકે છે.

farmers
gujarati.news18.com

ખેડૂતોના જણાવ્યા મુજબ, સતત વાદળછાયા વાતાવરણ અને માવઠાંના કારણે આંબાના વૃક્ષોમાં રોગચાળો ફેલાવાની શક્યતા પણ છે. એક ખેડૂતે જણાવ્યું કે, છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા અઠવાડિયાથી કમોસમી વરસાદના વાદળો છવાયા હોય અને આ વિસ્તારમાં કમોસમી વરસાદ થતા આ વિસ્તારના હજારો ખેડૂતોનો કેરી, ઘઉં, મકાઈ, દિવેલા, સહિતના ઉભા પાકને ખૂબ મોટુ નુકસાન થયું છે. ગત ચોમાસાની ઋતુમાં અનેક ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હતા અને જતા રવિપાકમાં પણ આજ પરિસ્થિતિ ઊભી થઈ છે.. જો આવી ને આવી જ સ્થિતિ રહી તો, જગતના તાતે ફરી એક વખત રડવાનો વારો આવશે અને તેના આર્થિક બોજો વધશે.

મકાઈનો પાક ઉછેરતા એક ખેડૂતે કહ્યું કે, ‘મકાઈના પાકમાં પશુઓનો ત્રાસ છે, જ્યારે મકાઈ તૈયાર થાય ત્યારે સુળવનો ત્રાસ હોય છે, જેનાથી અમે રાત દિવસ મહેનત કરીને પાક બચાવીએ. હાલ માવઠાએ પાણી ફેરવી વાળ્યું છે. માવઠાના કારણે અમારે ખૂબ નુકસાન થયું છે. મકાઈના ડોડા તો અમે ઘરમાં રાખીએ પણ રાડ ત્યાં નાખીએ..આખા ખેતરમાં રાડ ખેલાયેલી છે. આટલું જ નહીં બહાર મકાઈના ડોડા પડ્યા છે, એના પર માવઠાના કારણે પલળી ગઈ છે, જેને બજારમાં લઈ જઈએ તો પૂરતા ભાવ નથી મળતા. અમને વારંવાર નુકસાન થાય છે. માટે સરકાર અમારા માટે વિચારે તો સારું.

weather
indianexpress.com

વારંવાર બદલાતા હવામાનની અને માવઠાની અસરને કાને ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે, ત્યારે ફરી એક વખત પડેલા માવઠાથી ખેડૂતોને નુકસાની ભોગવવી પડી રહી છે, અચાનક બદલાયેલા વાતાવરણને કારણે ખેતી કરતા ખેડૂતો માટે ફરી એકવાર આર્થિક સંકટની પરિસ્થિતિ ઊભી થઈ છે અને સરકાર પાસેથી સહાયની માંગ ઉઠી રહી છે.

About The Author

Related Posts

Top News

ગુજરાતના હવામાનમાં સતત થતા ફેરફારોથી ખેડૂતો ચિંતાતૂર, કેરીના પાકમાં ભારે નુકસાનીની ભીતી

છેલ્લા એક-બે વર્ષથી ગુજરાત સહિત દેશભરમાં હવામાનનો મિજાજ કંઈક અલગ રહ્યો છે. અગાઉ જ્યારે સીઝન મુજબ હવામાન બદલાતું હતું,...
Gujarat 
ગુજરાતના હવામાનમાં સતત થતા ફેરફારોથી ખેડૂતો ચિંતાતૂર, કેરીના પાકમાં ભારે નુકસાનીની ભીતી

સસ્તો Realme P4 Lite 4G થયો લોન્ચ; 6300mAh બેટરીવાળા ફોનની કિંમત-ફીચર્સ વિશે વિગતવાર જાણો

Realmeએ શુક્રવારે (20 ફેબ્રુઆરી, 2026) ભારતમાં તેનો નવીનતમ સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરી દીધો. Realme P4 Lite 4G ...
Tech and Auto 
સસ્તો Realme P4 Lite 4G થયો લોન્ચ; 6300mAh બેટરીવાળા ફોનની કિંમત-ફીચર્સ વિશે વિગતવાર જાણો

અમેરિકા સાથે 'પેક્સ સિલિકા'માં સામેલ થઈ ગયું ભારત, તે શું છે? ભારત નવો કિંગ કેવી રીતે બનશે?

અમેરિકના રાજદૂત સર્જિયો ગોર અને અશ્વિની વૈષ્ણવની હાજરીમાં એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ભારત શુક્રવારે (20 ફેબ્રુઆરી,...
National 
અમેરિકા સાથે 'પેક્સ સિલિકા'માં સામેલ થઈ ગયું ભારત, તે શું છે? ભારત નવો કિંગ કેવી રીતે બનશે?

મહિલાના પેટમાંથી નીકળી સર્જિકલ કાતર; 5 વર્ષ અગાઉ થયેલી સર્જરીમાં ડૉક્ટરો ભૂલી ગયેલા

કેરળના અલાપ્પુઝા જિલ્લાના પુન્નાપરામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ વિસ્તારની રહેવાસી ઉષા જોસેફના પેટમાંથી એક સર્જિકલ કાતર (આર્ટરી...
National 
મહિલાના પેટમાંથી નીકળી સર્જિકલ કાતર; 5 વર્ષ અગાઉ થયેલી સર્જરીમાં ડૉક્ટરો ભૂલી ગયેલા
Copyright (c) Khabarchhe All Rights Reserved.