ધ કેરળ સ્ટોરી 2નું ટ્રેલર બહાર આવ્યું, ફિલ્મમાં છે પ્રેમ, ધર્મ અને ષડયંત્રના ભયાનક દાવાઓ...

'ધ કેરળ સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ' ફિલ્મનું ટ્રેલર બહાર આવતા જ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. તે વિપુલ અમૃતલાલ શાહ દ્વારા દિગ્દર્શિત 2023માં આવેલી ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી'ની સિક્વલ છે. આ નવા સિક્વલમાં વાર્તાને હજુ મોટા પાયે રજૂ કરીને બતાવવામાં આવી છે. આ વખતે, ફક્ત કેરળ જ નહીં, પણ જે રાજ્યમાં આવી ઘટનાઓ બની છે તેને એકીકૃત કરીને બતાવવામાં આવી છે. ટ્રેલરમાં ભાવનાત્મક દ્રશ્યો અને ગંભીર મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે.

Kerala-Story-24
ndtv.com

ટ્રેલર શેર કરતા નિર્માતાઓએ લખ્યું, 'તેઓએ આપણી દીકરીઓને નિશાન બનાવી. તેઓએ તેમનો વિશ્વાસ તોડ્યો. તેઓએ તેમનું ભવિષ્ય ચોરી લીધું. આ વખતે, આપણે ચૂપ નહીં રહીએ. વાર્તા આનાથી પણ આગળ વધે છે. આ વખતે અમે સહન નહીં કરીએ... અમે લડીશું.' આ ફિલ્મ 27 ફેબ્રુઆરી, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે, અને લોકો અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ટ્રેલર લવ જેહાદ અને ધાર્મિક પરિવર્તન વિશે ચેતવણીથી શરૂ થાય છે.

https://www.instagram.com/reel/DU2VdmMjKop/

Kerala-Story-2
imdb.com

આ ચેતવણીમાં જણાવાયું છે કે, આગામી 25 વર્ષમાં ભારત એક ઇસ્લામિક રાજ્ય બની શકે છે. ત્યારપછી વાર્તા રાજસ્થાન તરફ આગળ વધે છે, જ્યાં એક હિન્દુ પરિવાર તેમની 16 વર્ષની પુત્રી માટે POCSO એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવવા માટે પોલીસ સ્ટેશન જાય છે. તેઓ આરોપ લગાવે છે કે, તેમની પુત્રીને ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. ટ્રેલરમાં માતાપિતાનું દુઃખ સ્પષ્ટ દેખાય છે. પછી વાર્તા મધ્યપ્રદેશ તરફ આગળ વધે છે, જ્યાં એક હિન્દુ છોકરીને પ્રેમ અને લગ્નના નામે છેતરવામાં આવે છે.

https://www.instagram.com/reel/DUh0I5oE70Q/

Kerala-Story-21
ndtv.in

શરૂઆતમાં તેને ખાતરી આપવામાં આવે છે, પરંતુ પછી ધીમે ધીમે ઇસ્લામ ધર્મ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવે છે. છોકરીનું મૌન, એકલતા અને આંતરિક ભય દર્શકોને વિચારવા માટે મજબૂર કરે છે. ટ્રેલરમાં આ લાગણીઓને ગંભીરતાપૂર્વક દર્શાવવામાં આવી છે. ફિલ્મમાં ઉલ્કા ગુપ્તા, અદિતિ ભાટિયા અને ઐશ્વર્યા ઓઝા મુખ્ય ભૂમિકામાં છે. ત્રણેય અલગ અલગ રાજ્યોની છોકરીઓની ભૂમિકા ભજવે છે, જે પ્રેમમાં પડે છે, પરંતુ પાછળથી તેમને ખબર પડે છે કે, તેમની સામે એક મોટું કાવતરું રચવામાં આવી રહ્યું છે.

Kerala-Story-23

વાર્તામાં બતાવવામાં આવ્યું છે કે, વિશ્વાસનો કેવી રીતે ફાયદો ઉઠાવવામાં આવે છે અને પરિસ્થિતિઓ ધીમે ધીમે બદલાય છે. ટ્રેલરમાં કેરળનું એક દ્રશ્ય પણ દર્શાવવામાં આવ્યું છે. અહીં, એક મુસ્લિમ પુરુષ તેની હિન્દુ ગર્લફ્રેન્ડ સાથે લિવ-ઇન સંબંધની ચર્ચા કરે છે. જ્યારે છોકરી ધર્મ પરિવર્તન કરવાનો ઇનકાર કરે છે, ત્યારે તેમની વચ્ચે તણાવ વધી જાય છે, અને તેના પર સતત દબાણ કરવામાં આવે છે. એકંદરે, ટ્રેલર ભાવનાત્મક, ગંભીર અને વિવાદને જન્મ આપનારું છે, જેણે રિલીઝ થયા પહેલાં જ વાતાવરણને ગરમ બનાવી દીધું છે.

About The Author

Related Posts

Top News

માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં, સંબંધોના ગૂંચવાયેલા તાંતણા સાથે સંકળાયેલા એક સનસનાટીભર્યા કિસ્સાએ સમગ્ર વિસ્તારને હચમચાવી દીધો છે. અહીં એક પતિએ...
National 
માસ્ક પહેરીને આવ્યો પતિ, પ્રેમી સાથે રહેતી પત્નીને હોસ્પિટલ પહોંચાડી દીધી

અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

18 વર્ષની ઉંમરે, મંદાના કરીમી ઈરાન છોડીને ભારત આવી ગઈ હતી. અહીંયા આવીને તેણે પોતાના કામ અને કારકિર્દી પર...
Entertainment 
અભિનેત્રી મંદાના કરીમી પર ઈરાનમાં પ્રવેશ કરવા પર કેમ છે પ્રતિબંધ? બોલી- 'તે હજુ પણ મારો દેશ છે.'

જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

OnePlusના આગામી કોમ્પેક્ટ ફ્લેગશિપ, OnePlus 15T વિશે નવી માહિતી બહાર આવી છે. કંપનીના ચીનના પ્રમુખ, લી જીએ...
Tech and Auto 
જબરદસ્ત ફીચર્સ સાથે આવી રહ્યો છે OnePlus 15T, 7,500mAh બેટરી, 100W ચાર્જિંગ, સ્નેપડ્રેગન 8 એલીટ પ્રોસેસર...

સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

થોડા દિવસો પહેલા, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઇકલ વોને કહ્યું હતું કે, જો ભારત T20 વર્લ્ડ કપમાં બોલિંગ કરવા...
Sports 
સેમિફાઇનલમાં ભારતની એક નબળાઈ સામે આવી; ગંભીર-સૂર્યા આને ચેતવણી માનીને ફાઇનલ પહેલા સુધારી નાખે તો સારું!

Opinion

ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ: વ્યક્તિગત મહત્વાકાંક્ષાઓની રાજનીતિથી દૂર રહેનાર મુખ્યમંત્રી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજનીતિમાં એક એવા મુખ્યમંત્રી ગુજરાતને મળ્યા છે જેઓ વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓને રાજકારણથી દૂર રાખીને પ્રજાની સેવામાં સંપૂર્ણપણે સમર્પિત...
ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.