મિત્રને ઉછીના આપેલા પૈસા માંગવા મોંઘા પડ્યા, માત્ર ₹500 માટે લાકડીથી મારી મારીને પતાવી દીધો

ડાંગ જિલ્લાના નીલાશક્યા ગામમાં મિત્રતાને શરમસાર કરનારી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં માત્ર ₹500ના નાણાકીય વ્યવહારમેં એક વ્યક્તિનો જીવ લઇ લીધો. આ ઘટનાએ સમગ્ર પ્રદેશને હચમચાવી નાખ્યો છે, જેનાથી રહેવાસીઓમાં ભય અને આક્રોશનો માહોલ છે. અહેવાલો અનુસાર, નીલાશાક્યા ગામના રહેવાસી 50 વર્ષીય અનિલ પવારે લગભગ બે મહિના અગાઉ તેના મિત્ર જીતેશ પવારને ₹500 ઉછીના આપ્યા હતા.

બે દિવસ અગાઉ જ્યારે અનિલે તેના પૈસા પાછા માંગ્યા, ત્યારે બંને વચ્ચે ઝઘડો થઇ ગયો હતો. થોડી જ વારમાં આ સામાન્ય ઝઘડો હિંસક ઝઘડામાં પરિણમી ગયો. ગુસ્સામાં આવીને જીતેશ પવારે લાકડીથી અનિલ પર હુમલો કરી દીધો હતો. હુમલામાં અનિલને માથામાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેની છાતી પર પણ લાકડીથી માર મારવામાં આવ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ ગયો હતો.

dang2
aajtak.in

હુમલા બાદ, ગંભીર રીતે ઇજાગ્રસ્ત અનિલને તાત્કાલિક આહવા સિવિલ હૉસ્પિટલમાં તબીબી સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. ડૉક્ટરોએ તેની સારવાર શરૂ કરી દીધી હતી, પરંતુ થોડા સમય બાદ તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ, અને સારવાર દરમિયાન તેણે જીવ ગુમાવી દીધો. આ દુ:ખદ ઘટનાને કારણે ગામમાં અને સમુદાયમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી, અને આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી હતી. મૃતકની પત્ની સુબીબેન પવારે આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. તેમની ફરિયાદના આધારે પોલીસે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ હત્યાનો કેસ નોંધી લીધો છે.

dang1
aajtak.in

આ ઘટનાએ મિત્રતા અને પરસ્પર વિશ્વાસ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. ડાંગ જેવા આદિવાસી પ્રભુત્વ ધરાવતા પ્રદેશોમાં જ્યાં લોકો પરંપરાગત રીતે પરસ્પર વિશ્વાસ સાથે રહે છે, ત્યાં આવી ઘટનાઓ સામાજિક ચિંતાનું કારણ બની રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે ગ્રામીણ વિસ્તારોમાં વધતી જતી અસહિષ્ણુતા અને ક્ષણિક આવેગોને કારણે ગુનાઓના સ્વરૂપમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. આ અગાઉ પણ, ડાંગના આંતરિક વિસ્તારોમાં નાણાકીય વ્યવહારો અને જમીનના વિવાદોને કારણે હિંસક અથડામણોના કિસ્સાઓ નોંધાયા છે, જેનાથી સમુદાયની ચિંતાઓ વધુ વધી ગઈ છે.

About The Author

Related Posts

Top News

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

વડોદરા શહેરની કહાણી: વિશ્વામિત્રીથી સ્માર્ટ સિટી સુધી

કોઈ પણ શહેર માત્ર તેના રસ્તાઓ, ઇમારતો કે મહેલો માટે યાદ રહેતું નથી. એક શહેરની સાચી ઓળખ તેની શાસન...
Gujarat 
વડોદરા શહેરની કહાણી: વિશ્વામિત્રીથી સ્માર્ટ સિટી સુધી

કટ-મનીની રાજ રમત શું છે? પશ્ચિમ બંગાળની દરેક ચૂંટણીમાં CM મમતા બેનર્જી આ શબ્દથી કેમ ઘેરાયેલા રહે છે?

છેલ્લી વિધાનસભા ચૂંટણી હોય કે લોકસભા ચૂંટણી, બંગાળમાં કટ-મનીના આરોપો CM મમતા બેનર્જીને ઊંઘવા નથી દેતા. લગભગ દરેક BJP ...
National 
કટ-મનીની રાજ રમત શું છે? પશ્ચિમ બંગાળની દરેક ચૂંટણીમાં CM મમતા બેનર્જી આ શબ્દથી કેમ ઘેરાયેલા રહે છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.