કેનેડામાં 20 હજારથી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ડરમાં છે, નવા જનારા હવે તૈયાર નથી

દર વર્ષે આશરે 3. 19 લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરતા હોય છે, તેમાંથી 20,000 થી વધુ ગુજરાતના હોવાનો અંદાજ છે. આ અંદાજ ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા (IRCC) ડેટા અનુસાર લગાડવામાં આવ્યો છે. જોકે, વિદ્યાર્થીઓની સંખ્યા આનાથી પણ વધુ હોઇ શકે છે. હાલના વર્ષોમાં ગુજરાતમાંથી કેનેડા જવાનો ક્રેઝ સૌથી વધુ છે. પરંતુ તેની ઉપર હવે અસર થશે.  

વિનીપેગના બિઝનેસમેન અને ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડા (OFIC)ના ઓફિસર હેમંત એમ શાહે જણાવ્યું હતું કે આ ઘટનાઓ ભારતમાં કેનેડિયન બ્રાન્ડ્સને અસર કરી રહી છે. “અમે ભારતીય અને કેનેડિયન વ્યવસાયો પર અસરને માપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બહુપ્રતિક્ષિત વેપાર કરાર ફળીભૂત થઈ શક્યો નથી, અને હવે દેશો વચ્ચે ઝપાઝપી થઈ રહી છે, ”તેમણે ઉમેર્યું હતું કે, કોઈપણ દેશોમાંથી કોઈપણ પગલું હજારો ભારતીય વિદ્યાર્થીઓને અસર કરશે.

કેનેડામાં હિન્દુ સમુદાયના સભ્યોએ ન્યૂયોર્ક સ્થિત અલગતાવાદી શીખ નેતા ગુરપતવંત સિંહ પન્નુના નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો છે, જેમણે તેમને દેશ છોડવાનું કહ્યું હતું.

કેનેડિયન હિંદુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નરેશ ચાવડાએ જણાવ્યું હતું કે પન્નુની ચેતવણી બાદ તેઓ સામાજિક, કાનૂની અને રાજકીય પગલાં લઈ રહ્યા છે. "કોઈ પણ સમુદાય માટે ભયનું વાતાવરણ ન હોઈ શકે, અને અમે આવા નિવેદનોથી ચિંતિત છીએ,"

કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોના દાવાઓનું પરિણામ હજુ પણ બહાર આવી રહ્યું છે અને તણાવ વધી રહ્યો છે. રાજદ્વારી હકાલપટ્ટી કરવામાં આવી છે. કેનેડિયનોએ "દેશભરમાં આતંકવાદી હુમલાઓ" ના કથિત જોખમને ધ્યાનમાં રાખીને ભારતની મુસાફરી સામે મુસાફરી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. ભારતે એડવાઈઝરી સામે વળતો જવાબ આપ્યો છે કે, "કેનેડામાં વધતી જતી ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને, ત્યાંના તમામ ભારતીય નાગરિકોને અને મુસાફરી કરવાનું વિચારી રહેલા લોકોને અત્યંત સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે."

ગુજરાતમાંથી કેનેડા ભણવા જવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો ધસારો રહ્યો છે. કારણ કે ગુજરાતીઓ જે કોર્સ કરે છે તે કેનેડામાં આસાનીથી મળે છે. ત્યાં ગુજરાતી લોકોની સંખ્યામાં પણ સારી એવી છે. આ ઉપરાંત ત્યાં વિદ્યાર્થીઓને કામ પણ મળી રહે છે. ફી પણ અમેરિકા કે ઇંગ્લેંડ કરતા ઓછી પડે છે. આમ, છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડાની યુનિવર્સિટીઓ ગુજરાતીઓને આકર્ષી રહી હતી. પરંતુ હાલમાં તેની ઉપર બ્રેક લાગી છે. 

હાલમાં જાન્યુઆરીના સેશન માટેના પ્રવેશો ચાલી રહ્યા છે. પંરતુ સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ કેનેડા જવાનું માંડી વાળ્યું હોવાની જાણકારી મળી રહી છે. કારણ કે ત્યાં અનિશ્ચિતતાનો માહૌલ તો છે જ તેની સાથે ડર પણ વધી રહ્યો છે. 

 

About The Author

Top News

સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

સ્ટોરિયા ફૂડ્સ એન્ડ બેવરેજીસ પર ₹1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. કંપની પર તેના કેટલાક ઉત્પાદનો અંગે ગેરમાર્ગે દોરનારી જાહેરાતો...
Business 
સ્ટોરિયા કોકોનટ વોટરને જો '100% નાળિયેર પાણી' સમજી પીતા હોવ તો સાવધાન, કોર્ટે ફટકાર્યો દંડ

BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

ઇલેક્ટ્રિક કારને લઈને લોકોમાં એક મોટી ચિંતા તેની રેન્જને લઈને હોય છે. હવે, BYDએ આ રેન્જની ચિંતાને દૂર...
Tech and Auto 
BYDએ શક્તિશાળી EV કાર ડોલ્ફિન લોન્ચ કરી; 1000 Km રેન્જ અને પેટ્રોલથી પણ ચાલશે

Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીએ તાજેતરમાં વાર્ષિક સાધારણ સભામાં JIOના IPOની જાહેરાત કરી અને સેબીમાં દસ્તાવેજો પણ રજૂ થઇ...
Business 
Jioમાં મહેન્દ્ર નહાટાએ 48 કરોડ રોકેલા આજે 5800 કરોડ થઇ ગયા

NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

નેશનલ સ્ટોક એક્સ્ચેન્જ (NSE)એ મંગળવારે IPO માટે સેબીમાં ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટ રજૂ કરી દીધા છે અને લગભગ 30000 કરોડનો...
Business 
NSEનો 30000 કરોડનો IPO આવી રહ્યો છે, સ્ટેટ બેંકને બખ્ખા થઇ ગયા

Opinion

ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર ગુજરાત ભાજપ માટે માથાનો દુખાવો: કેટલાક બાબુઓ અને નેતાઓનો વ્યાપક ભ્રષ્ટાચાર
ગુજરાત રાજ્યમાં દાયકાઓથી ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં છે. આ સમયગાળા દરમિયાન રાજ્યે ઔદ્યોગિક વિકાસ, માળખાકીય સુવિધાઓ, શિક્ષણ, આરોગ્ય અને...
સમર્પણ, દીર્ઘદ્રષ્ટિ અને સેવાનું પ્રતીક… સુરતના અગ્રણી સમાજસેવી અશોક કાનુંનગો
સંધ્યાકાળ અને ગૌધુલી સમયનું આપણા જીવનમાં મહત્ત્વ સમજવું આવશ્યક છે
અનારબેન પટેલ એક એવું વ્યક્તિત્વ જ્યાં ભક્તિ, સેવા અને સમર્પણ ભાવનો ત્રિવેણી સંગમ છે
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.