કેનેડામાં 20 હજારથી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓ ડરમાં છે, નવા જનારા હવે તૈયાર નથી

દર વર્ષે આશરે 3. 19 લાખ ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરતા હોય છે, તેમાંથી 20,000 થી વધુ ગુજરાતના હોવાનો અંદાજ છે. આ અંદાજ ઇમિગ્રેશન, રેફ્યુજીસ અને સિટીઝનશિપ કેનેડા (IRCC) ડેટા અનુસાર લગાડવામાં આવ્યો છે. જોકે, વિદ્યાર્થીઓની સંખ્યા આનાથી પણ વધુ હોઇ શકે છે. હાલના વર્ષોમાં ગુજરાતમાંથી કેનેડા જવાનો ક્રેઝ સૌથી વધુ છે. પરંતુ તેની ઉપર હવે અસર થશે.  

વિનીપેગના બિઝનેસમેન અને ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા કેનેડા (OFIC)ના ઓફિસર હેમંત એમ શાહે જણાવ્યું હતું કે આ ઘટનાઓ ભારતમાં કેનેડિયન બ્રાન્ડ્સને અસર કરી રહી છે. “અમે ભારતીય અને કેનેડિયન વ્યવસાયો પર અસરને માપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. બહુપ્રતિક્ષિત વેપાર કરાર ફળીભૂત થઈ શક્યો નથી, અને હવે દેશો વચ્ચે ઝપાઝપી થઈ રહી છે, ”તેમણે ઉમેર્યું હતું કે, કોઈપણ દેશોમાંથી કોઈપણ પગલું હજારો ભારતીય વિદ્યાર્થીઓને અસર કરશે.

કેનેડામાં હિન્દુ સમુદાયના સભ્યોએ ન્યૂયોર્ક સ્થિત અલગતાવાદી શીખ નેતા ગુરપતવંત સિંહ પન્નુના નિવેદન સામે સખત વાંધો ઉઠાવ્યો છે, જેમણે તેમને દેશ છોડવાનું કહ્યું હતું.

કેનેડિયન હિંદુ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નરેશ ચાવડાએ જણાવ્યું હતું કે પન્નુની ચેતવણી બાદ તેઓ સામાજિક, કાનૂની અને રાજકીય પગલાં લઈ રહ્યા છે. "કોઈ પણ સમુદાય માટે ભયનું વાતાવરણ ન હોઈ શકે, અને અમે આવા નિવેદનોથી ચિંતિત છીએ,"

કેનેડિયન પીએમ જસ્ટિન ટ્રુડોના દાવાઓનું પરિણામ હજુ પણ બહાર આવી રહ્યું છે અને તણાવ વધી રહ્યો છે. રાજદ્વારી હકાલપટ્ટી કરવામાં આવી છે. કેનેડિયનોએ "દેશભરમાં આતંકવાદી હુમલાઓ" ના કથિત જોખમને ધ્યાનમાં રાખીને ભારતની મુસાફરી સામે મુસાફરી ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. ભારતે એડવાઈઝરી સામે વળતો જવાબ આપ્યો છે કે, "કેનેડામાં વધતી જતી ભારત વિરોધી પ્રવૃત્તિઓ અને નફરતના ગુનાઓ અને ગુનાહિત હિંસાને ધ્યાનમાં રાખીને, ત્યાંના તમામ ભારતીય નાગરિકોને અને મુસાફરી કરવાનું વિચારી રહેલા લોકોને અત્યંત સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવે છે."

ગુજરાતમાંથી કેનેડા ભણવા જવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનો ધસારો રહ્યો છે. કારણ કે ગુજરાતીઓ જે કોર્સ કરે છે તે કેનેડામાં આસાનીથી મળે છે. ત્યાં ગુજરાતી લોકોની સંખ્યામાં પણ સારી એવી છે. આ ઉપરાંત ત્યાં વિદ્યાર્થીઓને કામ પણ મળી રહે છે. ફી પણ અમેરિકા કે ઇંગ્લેંડ કરતા ઓછી પડે છે. આમ, છેલ્લા કેટલાક વર્ષોમાં કેનેડાની યુનિવર્સિટીઓ ગુજરાતીઓને આકર્ષી રહી હતી. પરંતુ હાલમાં તેની ઉપર બ્રેક લાગી છે. 

હાલમાં જાન્યુઆરીના સેશન માટેના પ્રવેશો ચાલી રહ્યા છે. પંરતુ સંખ્યાબંધ વિદ્યાર્થીઓએ કેનેડા જવાનું માંડી વાળ્યું હોવાની જાણકારી મળી રહી છે. કારણ કે ત્યાં અનિશ્ચિતતાનો માહૌલ તો છે જ તેની સાથે ડર પણ વધી રહ્યો છે. 

 

About The Author

Top News

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે

તલાક પામેલી મુસ્લિમ મહિલાઓના નાણાકીય સુરક્ષા અને સન્માનને મજબૂત કરતા એક ઐતિહાસિક ચુકાદામાં, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે...
National 
તલાક બાદ મુસ્લિમ મહિલાઓ લગ્ન સમયે પતિ અને તેને મળેલી ભેટ પણ પાછી મેળવી શકશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.