શા માટે ફ્લોપ થઈ રહી છે બોલિવુડ ફિલ્મો, અનુરાગ કશ્યપે જણાવ્યું કારણ

વર્ષ 2023ને શરૂ થયાને 1 મહિના કરતા વધુ સમય થઈ ગયો છે અને આ વર્ષે હિટ કરતા વધુ ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. બીજી તરફ સાઉથની ફિલ્મો બોલિવુડ પર સારી કમાણી કરી રહી છે. એવામાં સાઉથ વર્સીસ બોલિવુડનો મુદ્દો છેલ્લાં કેટલાક દિવસોથી ખૂબ જ ગરમાયો છે. ઘણા સેલેબ્સે તેના પર પોતાના મંતવ્યો રજૂ કર્યા છે. હવે અનુરાગ કશ્યપે એક ઈન્ટરવ્યૂ દરમિયાન બોલિવુડમાં ફ્લોપ થઈ રહેલી ફિલ્મોનું કારણ જણાવતા ફિલ્મકારો પર તીખો વાર કર્યો છે.

એક ટ્રેલર લોન્ચ પર અનુરાગ કશ્યપે હિંદી ફિલ્મોના ખરાબ બિઝનેસ વિશે વાત કરી છે. અનુરાગ કશ્યપે હિંદી ફિલ્મોના ફ્લોપ થવાનું કારણ આપતા કહ્યું કે, આજકાલ ફિલ્મમેકર દર્શકોને ઈમ્પ્રેસ કરવા માટે પોતાની શૈલીમાંથી બહાર નીકળી રહ્યા છે અને તે મોટાભાગના દર્શકોને સમજમાં નથી આવતું. અનુરાગ કશ્યપે આગળ કહ્યું કે, તામિલ, તેલૂગુ, મલયાલમ ફિલ્મ પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલી હોય છે, ભલે તે મેનસ્ટ્રીમ કલ્ચર હોય કે પછી નો-મેનસ્ટ્રીમ હોય. પરંતુ, હિંદી ફિલ્મોની સાથે એવુ નથી.

તેમણે ટોણો મારતા કરતા કહ્યું કે, જો અંગ્રેજી બોલનારા હિંદી ફિલ્મો બનાવશે તો ફિલ્મોની હાલત શું થશે, જે હાલ થઈ રહ્યું છે તેવું થશે. તેના જણાવ્યા અનુસાર, હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં હવે એવા ફિલ્મ મેકર્સ છે, જે હિંદી બોલી પણ નથી શકતા અને તે જ બાબત તેમની ફિલ્મોમાં પણ જોવા મળે છે. આપણે જમીન સાથે જોડાયેલી ફિલ્મો બનાવવાનું ભૂલી ગયા છીએ. જે ‘ગંગુબાઈ’ અને ‘ભૂલ ભૂલૈયા 2’ ચાલી છે તેની સફળતા પાછળનું કારણ એ જ છે કે આ ફિલ્મો જમીન સાથે જોડાયેલી હતી.

આ કોઈ પહેલો અવસર નથી જ્યારે અનુરાગ કશ્યપે વિવાદિત નિવેદન આપ્યું હોય. અનુરાગ કશ્યપ અવારનવાર આવા નિવેદન આપે છે જે આગળ જતા વિવાદનું રૂપ લઈ લે છે. તેની ફિલ્મ ‘દોબારા’ને લઈને આરોપ લાગી રહ્યા છે કે, તે વિદેશી ફિલ્મ ‘મિરાજ’ની રીમેક છે, જેને સ્વીકારવાનો તેણે ઈન્કાર કરી દીધો છે અને જણાવ્યું કે, હું રીમેક ફિલ્મ બનાવવામાં વિશ્વાસ નથી રાખતો. 

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.