આ ફેમસ ક્રિકેટરોના આ હિરોઇનો સાથે હતા અફેર પણ કોઈ કારણે વાત ન વધી આગળ

દુનિયાની બે સૌથી વધારે ફેઇમ અને પૈસાવાળી ઈન્ડસ્ટ્રી ફિલ્મ અને રમત જગત છે. ઘણી વખત આ બે અલગ ઈન્ડસ્ટ્રી વચ્ચે પ્રેમનો સંબંધ જોવા મળે છે. ઘણા બધા ક્રિકેટ અને બોલિવુડના સિતારાઓએ લગ્ન કર્યા છે અને તે ખુશ પણ છે. જ્યારે ઘણા સિતારાઓની અફેરની ખબરો લોકોમાં છવાયેલી રહે છે પણ તેમના લગ્ન થઈ શક્યા નહીં. આજે આપણે આવા જ અમુક ક્રિકેટરોની લવ સ્ટોરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આ લિસ્ટમાં પહેલું નામ મહેન્દ્ર સિંહ ધોનીનું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એક સમયે ધોની તમિલ એક્ટ્રેસ અને મોડલ લક્ષ્મી રાયને ડેટ કરી રહ્યો હતો. ખબરો અનુસાર બંનેનું અફેર પણ હતું, પણ પછી બંનેનું બ્રેક-અપ થઈ ગયું હતું.  

  

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનું નામ પણ એક સમયે અમૃતા સિંહ સાથે જોડાયેલું હતું. કહેવામાં આવે છે કે બંનેએ કેમેરા સામે પોતાના સંબંધને સ્વીકાર પણ કર્યો હતો. પણ આગળ જઈને આ સંબંધનો અંત આવ્યો અને 1990માં રવિ શાસ્ત્રીએ રીતુ સિંહ સાથે લગ્ન કરી લીધા અને અમૃતાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા.

ટીમ ઇન્ડિયાના સૌથી હેન્ડસમ ક્રિકેટરોમાંથી એક યુવરાજ સિંહનું ફિમેલ ફેન ફોલોઇંગ ઘણું વધારે છે. હવે ભલે યુવરાજ સિંહ એક્ટ્રેસ હેઝલ કીચ સાથે વિવાહિત સંબંધમાં હોય પરંતુ એક સમયે તેનું નામ એક્ટ્રેસ કિમ શર્મા સાથે જોડાયેલું હતું. તે સમયે બંનેના સંબંધને લઈને મીડિયામાં ઘણી ખબરો ફેલાઈ હતી.

ક્રિકેટર વસીમ અકરમ અને બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેનના રિલેશનશિપની ખબરો ખૂબ ચર્ચામાં હતી. પરંતુ આ જોડી લગ્નના સંબંધમાં બંધાઈ શકી નહીં.

બોલ્ડ લુક માટે પ્રસિદ્ધ એક્ટ્રેસ સોફિયા હયાત અને રોહિત શર્મા ડેટિંગ કરતા હતા અને આ વાતનો ખુલાસો 2012માં ખુદ સોફિયાએ કર્યો હતો. પણ સમય જતા બંને અલગ થઈ ગયા હતા.

સાઉથ એક્ટ્રેસ નગમા અને સૌરવ ગાંગુલીના અફેરની વાત પણ લોકોમાં ખૂબ ચર્ચામાં હતી. એ વાતની અફવા પણ ઉડી હતી કે બંનેએ કોલકાતાના એક એવા મંદિરમાં સાથે પૂજા કરી હતી જ્યાં માત્ર કપલ્સ જ પૂજા કરી શકે છે. નગમાએ બંને વચ્ચેના સંબંધને ઘણી વખત સ્વીકાર પણ કર્યો હતો. પરંતુ ગાંગુલીએ જાહેરમાં આ સંબંધનો ક્યારેય પણ સ્વીકાર કર્યો નથી.

About The Author

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.