આ ફેમસ ક્રિકેટરોના આ હિરોઇનો સાથે હતા અફેર પણ કોઈ કારણે વાત ન વધી આગળ

દુનિયાની બે સૌથી વધારે ફેઇમ અને પૈસાવાળી ઈન્ડસ્ટ્રી ફિલ્મ અને રમત જગત છે. ઘણી વખત આ બે અલગ ઈન્ડસ્ટ્રી વચ્ચે પ્રેમનો સંબંધ જોવા મળે છે. ઘણા બધા ક્રિકેટ અને બોલિવુડના સિતારાઓએ લગ્ન કર્યા છે અને તે ખુશ પણ છે. જ્યારે ઘણા સિતારાઓની અફેરની ખબરો લોકોમાં છવાયેલી રહે છે પણ તેમના લગ્ન થઈ શક્યા નહીં. આજે આપણે આવા જ અમુક ક્રિકેટરોની લવ સ્ટોરી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

આ લિસ્ટમાં પહેલું નામ મહેન્દ્ર સિંહ ધોનીનું છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એક સમયે ધોની તમિલ એક્ટ્રેસ અને મોડલ લક્ષ્મી રાયને ડેટ કરી રહ્યો હતો. ખબરો અનુસાર બંનેનું અફેર પણ હતું, પણ પછી બંનેનું બ્રેક-અપ થઈ ગયું હતું.  

  

ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાસ્ત્રીનું નામ પણ એક સમયે અમૃતા સિંહ સાથે જોડાયેલું હતું. કહેવામાં આવે છે કે બંનેએ કેમેરા સામે પોતાના સંબંધને સ્વીકાર પણ કર્યો હતો. પણ આગળ જઈને આ સંબંધનો અંત આવ્યો અને 1990માં રવિ શાસ્ત્રીએ રીતુ સિંહ સાથે લગ્ન કરી લીધા અને અમૃતાએ સૈફ અલી ખાન સાથે લગ્ન કરી લીધા હતા.

ટીમ ઇન્ડિયાના સૌથી હેન્ડસમ ક્રિકેટરોમાંથી એક યુવરાજ સિંહનું ફિમેલ ફેન ફોલોઇંગ ઘણું વધારે છે. હવે ભલે યુવરાજ સિંહ એક્ટ્રેસ હેઝલ કીચ સાથે વિવાહિત સંબંધમાં હોય પરંતુ એક સમયે તેનું નામ એક્ટ્રેસ કિમ શર્મા સાથે જોડાયેલું હતું. તે સમયે બંનેના સંબંધને લઈને મીડિયામાં ઘણી ખબરો ફેલાઈ હતી.

ક્રિકેટર વસીમ અકરમ અને બોલિવુડ અભિનેત્રી સુષ્મિતા સેનના રિલેશનશિપની ખબરો ખૂબ ચર્ચામાં હતી. પરંતુ આ જોડી લગ્નના સંબંધમાં બંધાઈ શકી નહીં.

બોલ્ડ લુક માટે પ્રસિદ્ધ એક્ટ્રેસ સોફિયા હયાત અને રોહિત શર્મા ડેટિંગ કરતા હતા અને આ વાતનો ખુલાસો 2012માં ખુદ સોફિયાએ કર્યો હતો. પણ સમય જતા બંને અલગ થઈ ગયા હતા.

સાઉથ એક્ટ્રેસ નગમા અને સૌરવ ગાંગુલીના અફેરની વાત પણ લોકોમાં ખૂબ ચર્ચામાં હતી. એ વાતની અફવા પણ ઉડી હતી કે બંનેએ કોલકાતાના એક એવા મંદિરમાં સાથે પૂજા કરી હતી જ્યાં માત્ર કપલ્સ જ પૂજા કરી શકે છે. નગમાએ બંને વચ્ચેના સંબંધને ઘણી વખત સ્વીકાર પણ કર્યો હતો. પરંતુ ગાંગુલીએ જાહેરમાં આ સંબંધનો ક્યારેય પણ સ્વીકાર કર્યો નથી.

About The Author

Related Posts

Top News

નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે વૈશ્વિક આર્થિક વિકાસ દરમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા છે, પરંતુ તેનાથી 2008ના વૈશ્વિક નાણાકીય...
World 
નોબેલ વિજેતાના મતે યુદ્ધના કારણે 2008 જેવી આર્થિક મંદીની શક્યતા નહિવત, પણ...

'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરે T20 વર્લ્ડ કપ 2026ની ઐતિહાસિક જીતને ભારતીય ક્રિકેટના એવા દિગ્ગજોને સમર્પિત કરી છે...
Sports 
'મુશ્કેલ સમયમાં જય શાહે સાથ આપ્યો...', જીત બાદ ગંભીર ભાવુક, દ્રવિડ-લક્ષ્મણને...

ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

લોકસભાના બજેટ સત્રનો બીજો તબક્કો આજથી શરૂ થઈ રહ્યો છે, અને તેની સાથે જ સંસદમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ...
National 
ઓમ બિરલા સામે લાવવામાં આવેલી અવિશ્વાસ પ્રસ્તાવ પ્રક્રિયા શું છે? ક્યારે ક્યારે આ દરખાસ્તો લાવવામાં આવી હતી?

સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિને કારણે પુણેમાં આવશ્યક સેવાઓ પર અસર થવા લાગી છે. મહારાષ્ટ્રના પુણેમાં સૌથી મોટું સ્મશાનગૃહ...
National 
સ્મશાનગૃહ પર પણ ગેસ સંકટનો ભય! વૈકુંઠ ધામમાં ગેસ આધારિત અગ્નિસંસ્કાર ઠપ્પ

Opinion

Copyright (c) Khabarchhe All Rights Reserved.