'પઠાણ'ની OTT રીલિઝને લઈને આવ્યું મોટું સ્ટેટમેન્ટ, મેકર્સે કરવા પડશે આ બદલાવ

દિલ્હી હાઈ કોર્ટે શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ 'પઠાણ'ની OTT રીલિઝને લઈને કેટલાંક ખાસ નિર્દેશ આપ્યા છે. દિલ્હી હાઈકોર્ટે યશ રાજ ફિલ્મ્સને કહ્યું છે કે 'પઠાણ'ની OTT રીલિઝ પહેલા તેના માટે એક ઓડિયો ડિસ્ક્રીપ્શન, ક્લોઝ કેપ્શનિંગ અને હિંદી સબટાઈટલ તૈયાર કરે. કોર્ટે આ નિર્દેશ એટલા માટે આપ્યો છે જેથી જોવામાં અને સાંભળવામાં અસક્ષમ લોકો પણ આ ફિલ્મને જોઈ શકે.

જોકે હજુ સુધી એ જાહેરાત નથી કરવામાં આવી કે શાહરુખ ખાન, દીપિકા પાદુકોણ અને જ્હોન અબ્રાહમ સ્ટારર આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર ક્યારે રીલિઝ થશે. જ્યાં સુધી ફિલ્મને કયા પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવશે તો હાલમાં જ એવી ખબરો સાંભળવામાં આવી હતી કે Amazon Prime Videoએ 'પઠાણ'ના OTT રાઈટ્સ ખરીદ્યા છે. માટે આ ફિલ્મને આ જ પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવશે.

એક રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે શાહરુખ ખાનની આ ફિલ્મના OTT રાઈટ્સ 100 કરોડ રૂપિયામાં વેચાયા છે. માલૂમ થાય કે શાહરુખ ખાન આ ફિલ્મ દ્વારા લાંબા સમયના અંતર પછી બોક્સ ઓફિસ પર પાછો ફરી રહ્યો છે. શાહરુખ ખાન છેલ્લે અનુષ્કા શર્મા અને કેટરીના કૈફ સાથેની 'ઝીરો' ફિલ્મમાં જોવા મળ્યો હતો. જોકે તેના પછીથી અત્યાર સુધીમાં તેણે ઘણી ફિલ્મોમાં કેમિયો રોલ કર્યો છે. પરંતુ લીડ રોલમાં તે ઘણા લાંબા સમય પછી પાછો ફરી રહ્યો છે.

શાહરુખ ખાનની ફિલ્મ 'પઠાણ'નું ટીઝર અને ટ્રેલર બંને ઘણું ચર્ચામાં છે. ફિલ્મના ટ્રેલરને હાલમાં જ દુનિયાની સૌથી ઊંચી બિલ્ડીંગ એવી દુબઈની બુર્જ ખલિફા પર પણ બતાવવામાં આવ્યું હતું. ફિલ્મને લઈને લોકોમાં ઘણો બઝ જોવા મળી રહ્યો છે અને માનવામાં આવી રહ્યું છે કે ફિલ્મ દમદાર ઓપનિંગ મેળવવામાં સફળ રહેશે.

ફિલ્મ 25 જાન્યુઆરીના રોજ થિયેટરોમાં રીલિઝ થવાની છે. ફિલ્મ રીલિઝ થવા પહેલા જ તેના ગીતના લીધે વિરોધના વંટોળમાં ફસાઈ ચૂકી હતી. જેના પગલે દેશભરમાં તેનો વિરોધ થઈ રહ્યો હતો અને ઘણી જગ્યાએ ફિલ્મને રીલિઝ થતી અટકાવવાની પણ માંગણી કરવામાં આવી છે. તો હવે જોવું રહ્યું કે શાહરુખ સફળ થાય છે કે પછી આમીર ખાનની જેમ સુપર ફ્લોપ જશે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.