શું છે નેશનલ હેરાલ્ડ કેસ, જેમાં સોનિયા-રાહુલને મળી રાહત; ગાંધી પરિવારને એક ઝટકો પણ લાગ્યો

નેશનલ હેરાલ્ડ કેસમાં ગાંધી પરિવારને મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે ગાંધી પરિવાર વિરુદ્ધ EDની ફરિયાદ પર ધ્યાનમાં લેવાનો ઇનકાર કરી દીધો છે. રાઉઝ એવન્યૂ કોર્ટે નેશનલ હેરાલ્ડ કેસમાં પોતાનો ચુકાદો આપ્યો છે, જેનાથી ગાંધી પરિવારને રાહત મળી છે. રાઉઝ એવન્યુ કોર્ટે પોતાના નિર્ણયમાં એમ પણ કહ્યું છે કે FIRની નકલો હાલમાં સોનિયા ગાંધી અને આ કેસના અન્ય આરોપીઓને આપવામાં નહીં આવે.

મંગળવારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને રાહત આપતા દિલ્હીની રાઉઝ એવન્યૂ કોર્ટના સ્પેશિયલ જજ વિશાલ ગોગણેએ જણાવ્યું હતું કે આ તબક્કે ધ્યાન આપી શકાય નહીં કારણ કે EDનો કેસ સુબ્રમણ્યમ સ્વામી દ્વારા દાખલ કરાયેલી ખાનગી ફરિયાદ પર આધારિત છે અને મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા સમન્સના આદેશો પર આધારિત છે, FIR પર નહીં.

Gandhi-Family1
india.com

નેશનલ હેરાલ્ડ કેસની સુનાવણી કરતા કોર્ટે પોતાના નિર્ણયમાં જણાવ્યું હતું કે તપાસ એજન્સી CBIએ અત્યાર સુધી પ્રિડિકેટ ગુનો નોંધ્યો નથી, છતા EDએ તપાસ આગળ વધારી છે. FIR ન હોવા છતા મની લોન્ડરિંગ તપાસ અને તેના આધારે દાખલ કરાયેલી ફરિયાદ કાયમ નહીં રહી શકે. કોર્ટે વધુમાં જણાવ્યું હતું કે આવી ફરિયાદના આધારે મની લોન્ડરિંગની કાર્યવાહી પણ જાળવી શકાતી નથી. ખાનગી વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદનું ધ્યાન રાખવું કાયદેસર રીતે માન્ય નથી. કેસના ગુણ-દોષ (મેરિટ્સ) વગેરે સાથે જોડાયેલા તર્કો પર વિચાર કરવાની કે નિર્ણય લેવાની કોઈ જરૂર નથી.

આ કોર્ટના નિર્ણય બાદ દિલ્હી પોલીસની EOW દ્વારા દાખલ કરવામાં આવેલી FIR હવે મહત્ત્વપૂર્ણ રહેશે. EOWએ તાજેતરમાં નેશનલ હેરાલ્ડ મામલે કેસ નોંધ્યો છે. આરોપીઓને આર્થિક ગુના શાખા (EOW) દ્વારા દાખલ કરવામાં આવેલી FIRની નકલ પૂરી પાડવા માટે મેજિસ્ટ્રેટ કોર્ટના આદેશને પડકારતી દિલ્હી પોલીસની અરજી પર મંગળવારે સુનાવણી થઈ હતી. આ અગાઉ સોમવારે પણ સુનાવણી થઈ હતી. રાઉઝ એવન્યૂ કોર્ટમાં સુનાવણી આજે એટલે કે મંગળવાર સુધી મુલતવી રાખવામાં આવી હતી.

Gandhi-Family2
hindustantimes.com

દિલ્હી પોલીસની આર્થિક ગુના શાખાએ 3 ઓક્ટોબરના રોજ નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલી નવી FIR નોંધી હતી. આ FIRમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, સોનિયા ગાંધી, વરિષ્ઠ નેતા સેમ પિત્રોડા, સુમન દુબે, યંગ ઇન્ડિયન પ્રાઇવેટ લિમિટેડ અને અન્ય લોકોને આરોપી બનાવવામાં આવ્યા છે. FIR નોંધાયા બાદ, આરોપીઓએ FIRની નકલ માંગી હતી. જોકે, કોર્ટે હવે સ્પષ્ટતા કરી છે કે આરોપીઓને FIRની નકલ નહીં મળે.

નેશનલ હેરાલ્ડ કેસ શું છે?

નેશનલ હેરાલ્ડ કેસ પહેલાથી જ રાજકીય ઉથલ-પાથલનું કેન્દ્ર બન્યો છે. નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના 1938માં પંડિત જવાહરલાલ નેહરુએ 5,000 સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે મળીને કરી હતી અને એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) દ્વારા આ અખબાર પ્રકાશિત કરવામાં આવતું હતું. નાણાકીય મુશ્કેલીઓને કારણે 2008માં આ અખબાર બંધ કરી દેવામાં આવ્યું હતું, ત્યારબાદ વિવાદની શરૂઆત થઈ. 2010માં, યંગ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ નામની એક કંપનીની રચના કરવામાં આવી હતી, જેમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની 38-38 ટકા હિસ્સેદારી છે.

નેશનલ હેરાલ્ડ કેસની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસમાં જાણવા મળ્યું કે યંગ ઇન્ડિયને લગભગ 2,000 કરોડની AJL સંપત્તિ 50 લાખ રૂપિયામાં ખરીદી હતી, જ્યારે તેનું બજાર મૂલ્ય ખૂબ વધારે હતું. નવેમ્બર 2023માં EDએ લગભગ 661 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતો અને 90.2 કરોડ રૂપિયાના AJL શેર જપ્ત કર્યા હતા, જેને ગુનામાંથી મળેલી રકમ માનવામાં આવી હતી.

About The Author

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.