ટ્રેનમાં યુવકના મોત મામલે રાહુલ ગાંધીએ વીડિયો શેર કરીને સરકાર પર પ્રહારો કર્યા, રેલવેએ કહ્યું, અફવાઓ ન ફેલાવો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્રેનમાં એક યુવાનના કથિત મૃત્યુનો વીડિયો શેર કરીને કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, સરકાર તેના અબજોપતિ મિત્રો પર લાખો કરોડો રૂપિયા ખર્ચ કરે છે, પરંતુ વિદ્યાર્થીઓને સલામત મુસાફરીની સુવિધા પણ પૂરી પાડી નથી શકતા. જ્યારે, રેલવેએ રાહુલ ગાંધીના આ દાવાને ફગાવી દીધો છે, તેને અફવા ગણાવી છે. રેલવેએ કહ્યું છે કે, પ્રાથમિક તપાસમાં એવું જણાય છે કે, યુવાનની તબિયત કોઈ તબીબી સમસ્યા અથવા અતિશય થાકને કારણે બગડી હતી.

રાહુલ ગાંધીએ સોમવારે રાત્રે 'X' પર કોંગ્રેસના પ્રવક્તા અતુલ લોંધે પાટીલ દ્વારા શેર કરાયેલા દુ:ખદ વીડિયોનો ઉલ્લેખ કર્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે, બિહારના પાટલીપુત્ર સ્ટેશન પર ટ્રેનમાં ભીડને કારણે એક યુવાનનું મોત થયું હતું.

Rahul-Gandhi-Shares-Clip
navbharattimes.indiatimes.com

રાહુલ ગાંધી, જેઓ બુધવારે રાજસ્થાનના કોટામાં યુવાનો અને વિદ્યાર્થીઓ પર વિદ્યાર્થી સંમેલન શરૂ કરવાના છે, તેમણે પોસ્ટ કર્યું, 'આ વીડિયોએ મને ખુબ આઘાત આપ્યો. આ એ ભારતના લાચાર યુવાનો છે, જેમની સરકાર તેના અબજોપતિ મિત્રો પર લાખો કરોડો ખર્ચ કરી નાખે છે, પરંતુ પોતાના જ વિદ્યાર્થીઓ માટે સલામત મુસાફરીની સુવિધા પણ પૂરી પાડી શકતી નથી.'

તેમણે દાવો કર્યો હતો કે ચૂંટણી દરમિયાન, આ જ સરકાર આખે આખી ટ્રેનોની વ્યવસ્થા કરે છે, અને પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓના ભાગે ભીડ, ગૂંગળામણ અને લાચારી જ આવે છે.

કોંગ્રેસના નેતાએ કહ્યું, 'આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે મોદી સરકાર વિદ્યાર્થીઓનો અવાજ સાંભળવા માંગતી નથી?' તેમણે ઉમેર્યું, 'પરંતુ હું વચન આપું છું, અમે આ અવાજ બહેરા કાનો સુધી પહોંચાડીશું. દરેક વિદ્યાર્થીને તેમના અધિકારો અને ન્યાય મળશે.'

કોંગ્રેસના અન્ય ઘણા નેતાઓએ પણ આ વીડિયો શેર કરીને સરકાર પર હુમલો કર્યો હતો. રાહુલ ગાંધીની પોસ્ટને ફરીથી પોસ્ટ કરતા, પૂર્વ મધ્ય રેલ્વે ઝોને X પર કહ્યું, 'આ ઘટના પાટલીપુત્ર સ્ટેશન પર બની નથી. એ પણ સ્પષ્ટ કરવું જરૂરી છે કે, કોઈપણ વ્યક્તિના મૃત્યુ અંગે કોઈ સ્ત્રોત પાસેથી કોઈ માહિતી નથી. કૃપા કરીને આવી કોઈ અફવાઓ કે ખોટી માહિતી ફેલાવશો નહીં.'

Rahul-Gandhi-Shares-Clip1
hindi.opindia.com

તેમાં ઉમેર્યું, 'વીડિયોમાં દેખાતી વ્યક્તિની શારીરિક ગતિવિધિઓ અને સ્થિતિના આધારે, પ્રથમ નજરે એવું લાગે છે કે તે વ્યક્તિ કોઈ તબીબી સમસ્યા અથવા થાક સંબંધિત બીમારીથી પીડિત હોઈ શકે છે.'

પેપર લીકના મુદ્દાએ દેશભરના યુવાનોને ઉશ્કેર્યા છે. યુવાનો સરકાર પાસેથી જવાબો માંગી રહ્યા છે, અને હવે વિપક્ષી પાર્ટીઓ પણ આ મુદ્દાનો લાભ લેવાનો પ્રયાસ કરી રહી છે. વિપક્ષી નેતા રાહુલ ગાંધી આ અઠવાડિયે દિલ્હીથી રાજસ્થાનના કોટા સુધી ટ્રેનમાં મુસાફરી કરવાની તૈયારી કરી રહ્યા છે. આ યાત્રા દ્વારા તેઓ શિક્ષણ ક્ષેત્રે એક નવું અભિયાન શરૂ કરશે. તેઓ અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે અને શિક્ષણ સંબંધિત મુદ્દાઓ ઉઠાવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, વિપક્ષી નેતા ચોમાસા સત્ર દરમિયાન સરકારને ઘેરવા માટે પણ આ મુદ્દાનો ઉપયોગ કરશે.

About The Author

Related Posts

Top News

‘મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઈક્સ અને વ્યૂઝ નહીં...’, ટીકાકારો પર વરસ્યા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર

ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ રવિવાર (23 ઓગસ્ટ)થી કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC)માં રમાઈ રહી...
Sports 
‘મારું કામ ટ્રોફી જીતવાનું છે, લાઈક્સ અને વ્યૂઝ નહીં...’, ટીકાકારો પર વરસ્યા ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર

42 વર્ષ જીવવાનું છે... હાઈ કોર્ટે મહિલાનું ભરણપોષણ 10 લાખથી વધારીને 40 લાખ કર્યું

ઝારખંડ હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં 28 વર્ષીય મહિલાને આપવામાં આવતા કાયમી ભરણપોષણની રકમ ₹10 લાખથી વધારીને ₹40 લાખ કરી દીધી...
National 
42 વર્ષ જીવવાનું છે... હાઈ કોર્ટે મહિલાનું ભરણપોષણ 10 લાખથી વધારીને 40 લાખ કર્યું

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 25-08-2026 દિવસ: મંગળવાર મેષ: દરેક કાર્ય ધીરે ધીરે પૂર્ણ થતા લાગે, કૌટુંબિક પ્રશ્નોમાં ઉકેલ મળે, સ્વજનો અંગેની ચિંતા દૂર...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી- દીકરી પાછી લાવી આપો

વડોદરા જિલ્લામાંથી લવ-જેહાદનો મામલો સામે આવ્યો છે. કરજણ તાલુકાના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવક સામે જંબુસરની હિન્દુ ડૉક્ટર...
Gujarat 
વડોદરામાં હિન્દુ ડૉક્ટર યુવતી સાથેના લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કર્યું, માતા બોલી-  દીકરી પાછી લાવી આપો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.