દેશના મુખ્ય આર્થિક સલાહકારે કહ્યું કે, 'જૂના વાહનો માટે E10 પેટ્રોલ પાછું લાવો' E20ને કારણે...

E20, અથવા 20 ટકા ઇથેનોલ-મિશ્રિત પેટ્રોલનો દેશવ્યાપી ઉપયોગ ફરજિયાત થયા પછી, ડ્રાઇવરો અને ઓટોમોબાઇલ ક્ષેત્ર દ્વારા ઇંધણ કાર્યક્ષમતા અને એન્જિન સ્વાસ્થ્ય અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન, ભારત સરકારના મુખ્ય આર્થિક સલાહકાર (CEA) V. અનંત નાગેશ્વરને વ્યવહારુ અને મહત્વપૂર્ણ સૂચન આપીને આ ચર્ચાને નવો વળાંક આપ્યો છે.

એક અંગ્રેજી અખબારમાં છપાયેલા પોતાના લેખમાં, નાગેશ્વરન સૂચવે છે કે જૂના વાહનો માટે પેટ્રોલ પંપ પર E10 ઇંધણ વિકલ્પ ફરીથી સ્થાપિત કરવો જોઈએ, જ્યારે E20 વિકલ્પ નવા અને સુસંગત વાહનો માટે ચાલુ રાખવો જોઈએ.

મુખ્ય આર્થિક સલાહકાર માને છે કે, ઇથેનોલ મિશ્રણ કાર્યક્રમ પાછો ખેંચવાની કે અટકાવવાની જરૂર નથી, પરંતુ દેશના હાલના વાહન કાફલાને ધ્યાનમાં રાખીને એક લવચીક અભિગમની જરૂર છે.

Government-Adviser

નાગેશ્વરને કહ્યું, 'પેટ્રોલ પંપ પર E20 સાથે E10 જેવા ઓછા ઇથેનોલ મિશ્રણવાળા ઇંધણની ફરીથી ઉપલબ્ધતા સામાન્ય લોકોની મોટી ચિંતાઓને દૂર કરી શકે છે.'

નાગેશ્વરને ઓનલાઈન ફરતા એવા દાવાઓને ફગાવી દીધા હતા કે, E20 પેટ્રોલથી ગાડીના એન્જિન તરત જ ખરાબ થઇ જાય છે અથવા આ બળતણથી માઈલેજ 30 ટકા સુધી ઘટી જાય છે.

ઇથેનોલમાં પેટ્રોલ કરતાં ઓછી ઉર્જા હોય છે, જેના પરિણામે E20 ઇંધણ સાથે બળતણ માઈલેજમાં માત્ર 6 થી 7 ટકાનો જ ઘટાડો થાય છે.

E-Ten
prabhasakshi.com, ndtv.in, primetvindia.com, abplive.com

દેશમાં આશરે 7.5થી 8 કરોડ જૂના ટુ-વ્હીલર (ખાસ કરીને BS-IV પહેલાના કાર્બ્યુરેટર મોડેલ) ચાલી રહ્યા છે. કાર્બ્યુરેટર એન્જિન મિશ્રણમાં વધારાના ઓક્સિજનના પ્રમાણે પોતાને એડજસ્ટ કરી શકતા નથી, જેના કારણે તે વધુ ગરમ થઇ જાય છે. આ ઉપરાંત, જૂના રબર સીલ અને બળતણ સિસ્ટમના ભાગો ઇથેનોલના સંપર્કમાં આવે ત્યારે ઝડપથી બગડી શકે છે.

CEAએ પેટ્રોલ પંપ ચર્ચાથી આગળ કૃષિ અને ખાદ્ય સુરક્ષા સુધી આ મુદ્દાને તેમની ટિપ્પણીઓથી વિસ્તૃત કર્યો છે.

જો ભારત 20 ટકાથી વધુ ઇથેનોલ મિશ્રણ (જેમ કે E27 અથવા E30) તરફ આગળ વધે છે, તો તેને મકાઈ, શેરડી અને અન્ય અનાજની મોટા પાયે ખેતીની જરૂર પડશે.

Government-Adviser.jpg-3

વધુ ઇથેનોલ એટલે કે બળતણ ઉત્પાદન માટે ખેતીની જમીન અને પાણીનો ઉપયોગ થશે, જે ખાદ્ય પાક અને પશુધનના ખોરાક (જેમ કે મકાઈ)ના પુરવઠાને અસર કરી શકે છે.

એકવાર ખેડૂતો, ભઠ્ઠીઓ અને કૃષિ માળખાગત સુવિધાઓ બળતણ ઉત્પાદન માટે અનુકૂળ થઈ જાય, પછી ખાદ્ય કટોકટી અથવા ફુગાવાના સમયમાં તેમના પર પાછા ફરવું અત્યંત જટિલ બની જાય છે.

તેથી, તેઓ ભલામણ કરે છે કે, E20થી વધુ લક્ષ્યો નક્કી કરતા પહેલા 'ખોરાક વિરુદ્ધ બળતણ' સંતુલનનું સંપૂર્ણ ખર્ચ-લાભ વિશ્લેષણ હાથ ધરવામાં આવે.

About The Author

Related Posts

Top News

દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું 408 કિલો નકલી પનીર પકડાયું

થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે ગુજરાતમાં એનાલોગ પનીર વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે દેશના રાજસ્થાનથી અમદાવાદમાં લૉ...
Gujarat 
દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું  408 કિલો નકલી પનીર પકડાયું

તેલંગાણાના CM રેવંત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી

તેલંગાણાના CM રેવંત રેડ્ડી તેમના પ્રતિનિધિમંડળ સાથે 10 દિવસના વિદેશ પ્રવાસ પર નીકળી રહ્યા છે. તેનું કારણ છે 'તેલંગાણા...
National 
તેલંગાણાના CM રેવંત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી

સુરતના વેપારીઓ માટે દિવાળી ચોપડા પૂજાનું શુભ મુહૂર્ત 2026: રાજ જ્યોતિષાચાર્યની સલાહ

સુરત (ગુજરાત) [ભારત], 21 ઑગસ્ટ: આ વર્ષે દિવાળી 8 નવેમ્બર, 2026, રવિવારના રોજ ઉજવાશે, અને આ જ દિવસે સુરતના હીરા...
Gujarat 
સુરતના વેપારીઓ માટે દિવાળી ચોપડા પૂજાનું શુભ મુહૂર્ત 2026: રાજ જ્યોતિષાચાર્યની સલાહ

દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી

તહેવારોની મોસમ પહેલાં દેશમાં ખાંડના રેકોર્ડબ્રેક ભાવને નિયંત્રણમાં લેવા અને સ્થાનિક પુરવઠો વધારવાના હેતુથી ભારત સરકારે ગુરુવારે 10 લાખ મેટ્રિક...
Business 
દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.