જાતિ-ધર્મ, કુલ બેંક ખાતા અને કોવિડ વેક્સીનની વિગત.. વસ્તી ગણતરી માટે પૂછાશે આ 40 પ્રશ્નો, જુઓ સંપૂર્ણ યાદી

કેન્દ્રની મોદી સરકારે વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનારા પ્રશ્નોની યાદી જાહેર કરી છે. શુક્રવારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાતિ, ધર્મ, બાળકોની સંખ્યા અને કોવિડ-19 વેક્સીનેશનની માહિતી માંગવામાં આવી છે. સવાલોની આ યાદીમાં પૂછવામાં આવ્યું છે કે તમે કોવિડ-19 વેક્સીનેશન ક્યાંથી કરાવ્યું. વસ્તી ગણતરી વખતે 40 સવાલ પૂછવામાં આવશે.

census 2027
x.com/arvindgunasekar

વસ્તી ગણતરી દરમિયાન પૂછવામાં આવનાર 40 સવાલો

1. વ્યક્તિનું નામ

2. મુખ્ય વ્યક્તિ સાથે સંબંધ

3. લિંગ

4. જન્મ તારીખ અને ઉંમર (પૂર્ણ વર્ષોમાં)

5. વર્તમાન વૈવાહિક સ્થિતિ

6. લગ્ન સમયે ઉંમર (પૂર્ણ વર્ષોમાં)

7. જીવનસાથીનું નામ

8. જાહેર કરેલ રાષ્ટ્રીયતા

9. ધર્મ

10. અનુસૂચિત જાતિ (SC)/ અનુસૂચિત જનજાતિ (ST)/ જાતિ

11. પિતાની વિગત

12. માતાની વિગત

13. ડિસેબિલિટી

14. માતૃભાષા અને અન્ય ભાષાઓનું જ્ઞાન

15. સાક્ષરતા અને ડિજિટલ સાક્ષરતાની સ્થિતિ

16. શૈક્ષણિક સંસ્થામાં શિક્ષણ ગ્રહણ સ્થિતિ

17. પ્રાપ્ત કરેલ શિક્ષણનું ઉચ્ચતમ સ્તર અને પ્રવાહ/વિષય

18. ગયા વર્ષ દરમિયાન કોઈપણ કામકાજ કર્યું

19. આર્થિક પ્રવૃત્તિની શ્રેણી

20. વ્યવસાય

census 2027
x.com/arvindgunasekar

21. ઉદ્યોગ, વેપાર અથવા સેવાનું સ્વરૂપ

22. કામદારનો વર્ગ

23. બિન-આર્થિક પ્રવૃત્તિઓ (અલ્પકાલિન, અર્ધ-અલ્પકાલિન અને બિનકામદારો માટે)

24. કામ શોધી રહ્યા છો અથવા કામ માટે ઉપલબ્ધ છો (અલ્પકાલિન, અર્ધ-અલ્પકાલિન અને બિનકામદારો માટે)

25. કાર્યસ્થળ સુધીની મુસાફરી

26. જન્મ સ્થળ

27. ભૂતપૂર્વ નિવાસ સ્થાન

28. સ્થાન બદલવાનું કારણ

29. સ્થળાંતર પછી આ ગામ/નગરમાં રહેવાનો સમયગાળો

30. કાયમી રહેઠાણનું સરનામું

31. વર્તમાનમાં જીવતા બાળકોની સંખ્યા (ફક્ત વર્તમાન પરિણીત, વિધવા, છૂટાછેડા લીધેલ અને અલગ થયેલી મહિલાઓ માટે)

32. જીવંત જન્મેલા બાળકોની સંખ્યા (ફક્ત વર્તમાન પરિણીત, વિધવા, છૂટાછેડા લીધેલ અને અલગ થયેલી સ્ત્રીઓ માટે)

33. છેલ્લા એક વર્ષ દરમિયાન જીવંત પેદા થયેલા જન્મોની સંખ્યા (ફક્ત હાલમાં પરિણીત મહિલાઓ માટે)

34. COVID-19 વેક્સીનેશનનું સ્થાન

35. બેંક ખાતાઓની કુલ સંખ્યા

36. મોબાઇલ નંબર (જો ઉપલબ્ધ હોય તો)

38. મતદાર ઓળખ નંબર (જો ઉપલબ્ધ હોય તો)

37. આધાર નંબર (જો ઉપલબ્ધ હોય તો)

39. પાસપોર્ટ નંબર (જો તમારી પાસે ભારતીય પાસપોર્ટ હોય તો)

40. ડ્રાઇવિંગ લાયસન્સની ઉપલબ્ધતા

census-20271
newsonair.gov.in

સ્વતંત્રતા પછીની 8મી વસ્તી ગણતરી

નોંધનીય છે કે વસ્તી ગણતરી એ દેશના તમામ વ્યક્તિઓના વસ્તી વિષયક, સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક ડેટા એકત્રિત કરવા, સંકલન, વિશ્લેષણ કરવા અને પ્રસારિત કરવાની પ્રક્રિયા છે. 2027ની વસ્તી ગણતરી ભારતીય વસ્તી ગણતરીની શ્રેણીમાં 16મી અને સ્વતંત્રતા પછીની 8મી વસ્તી ગણતરી હશે. તે વિશ્વની સૌથી મોટી વસ્તી ગણતરી કવાયત હશે, જે ડિજિટલ સમાવેશન, મજબૂત ડેટા સુરક્ષા અને પ્રક્રિયાઓના સરળીકરણ તરફ એક મહત્ત્વપૂર્ણ પગલું છે.

પ્રથમ વસ્તી ગણતરી 1865 અને 1872ની વચ્ચે હાથ ધરવામાં આવી હતી, ત્યારબાદ 1881માં પ્રથમ રાષ્ટ્રવ્યાપી સમકાલિન (એક સાથે) વસ્તી ગણતરી કરવામાં આવી હતી. ત્યારથી, ભારતમાં દર 10 વર્ષે વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. જો કે, 2021 માટે નિર્ધારિત વસ્તી ગણતરી કોવિડ-19 મહામારીને કારણે સમયસર થઈ શકી નથી. તેથી, 2027ની વસ્તી ગણતરી આ ક્રમમાં હશે, જે સ્વતંત્રતા પછીની 8મી વસ્તી ગણતરી હશે.

વસ્તી ગણતરીનો પહેલો તબક્કો 16 એપ્રિલથી શરૂ થયો

ગણતરીના પ્રથમ તબક્કા (ઘરની યાદી અને રહેઠાણ ગણતરી) 16 એપ્રિલથી અનેક રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં શરૂ થયો હતો અને 30 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે. આ તબક્કા દરમિયાન, ગણતરી કરનારા કર્મચારી ઘરો પરિવારો અને મૂળભૂત સુવિધાઓ વિશે માહિતી મેળવવા માટે ઘરો અને ઇમારતોની મુલાકાત લશે. તેઓ પરિવારના વડા વિશેની વિગતો પણ એકત્રિત કરે છે, જેમાં તેમનું નામ અને લિંગ, તેમજ માલિકી અધિકારો સંબંધિત માહિતીનો સમાવેશ થાય છે.

About The Author

Top News

શ્રીલંકાની પીચો પર કેમ નિષ્ફળ થઇ જાય છે ભારતનો સ્પિન ફોર્મ્યૂલા? આ રીતે મળે છે વિકેટ

ભારતીય ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે, જ્યાં 15 ઓગસ્ટથી બે મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થવાની છે. આ સીરિઝમાં સ્પિન...
Sports 
શ્રીલંકાની પીચો પર કેમ નિષ્ફળ થઇ જાય છે ભારતનો સ્પિન ફોર્મ્યૂલા? આ રીતે મળે છે વિકેટ

JNUના VC શાંતિશ્રી પંડિતે આવક વધારવા કેમ્પસમાં મંદિર બનાવવા કહ્યું

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના કુલપતિ શાંતિશ્રી ધુલીપુરી પંડિતનું એક નિવેદન હાલમાં ચર્ચામાં છવાયેલું છે. તેમણે યુનિવર્સિટીની આવક વધારવા...
National 
JNUના VC શાંતિશ્રી પંડિતે આવક વધારવા કેમ્પસમાં મંદિર બનાવવા કહ્યું

સની દેઓલની ફિલ્મ 'બટવારા 1947' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લો રિવ્યૂ

કેટલીક પીડાઓ એવી હોય છે જેનું શબ્દોમાં વર્ણન કરવું ખુબ મુશ્કેલ છે. જે લોકો તેમાંથી પસાર થયા છે તેઓ જ...
Entertainment 
સની દેઓલની ફિલ્મ 'બટવારા 1947' જોવાનો પ્લાન હોય તો પહેલા વાંચી લો રિવ્યૂ

'Gen Alpha' મેદાને..., વિદ્યાર્થીઓએ પોતાને ક્લાસરૂમમાં બંધ કરી લીધા; કલેક્ટર દોડતા થયા

ઉત્તર પ્રદેશના કન્નૌજમાં, કેટલાક શાળાના વિદ્યાર્થીઓએ એવું વિરોધ પ્રદર્શન કર્યું, જેને કારણે વહીવટીતંત્રએ શાળા સુધી દોડવું પડ્યું હતું. આ...
National 
'Gen Alpha' મેદાને..., વિદ્યાર્થીઓએ પોતાને ક્લાસરૂમમાં બંધ કરી લીધા; કલેક્ટર દોડતા થયા

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.