- Sports
- શ્રીલંકાની પીચો પર કેમ નિષ્ફળ થઇ જાય છે ભારતનો સ્પિન ફોર્મ્યૂલા? આ રીતે મળે છે વિકેટ
શ્રીલંકાની પીચો પર કેમ નિષ્ફળ થઇ જાય છે ભારતનો સ્પિન ફોર્મ્યૂલા? આ રીતે મળે છે વિકેટ
ભારતીય ટીમ હાલમાં શ્રીલંકાના પ્રવાસે છે, જ્યાં 15 ઓગસ્ટથી બે મેચની ટેસ્ટ સીરિઝ શરૂ થવાની છે. આ સીરિઝમાં સ્પિન બોલરોની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેવાની છે. શ્રીલંકાની ટર્નિંગ પીચો પર સ્પિનરોનો હંમેશા દબદબો રહ્યો છે. જોકે, ફક્ત બોલ ટર્ન થવું જ ગાલે સ્થળ પર સફળતાની ગેરન્ટી નથી. આંકડા દર્શાવે છે કે ઉપદ્વીપના અન્ય દેશોની તુલનામાં, શ્રીલંકાની પરિસ્થિતિઓમાં એ જ સ્પિનરો સૌથી વધુ સફળ થાય છે જેઓ થોડી ધીમી ગતિએ બોલ ફેંકે છે અને લેન્થ આગળ તરફ ફેંકે છે.
શ્રીલંકાની પીચો ભારતથી કેટલી અલગ છે?
ભારત અને બાંગ્લાદેશની તુલનામાં શ્રીલંકામાં સફળ થવા માટે સ્પિનરોએ અલગ બોલિંગ અભિગમ અપનાવવાની જરૂર છે. શ્રીલંકાની પીચો પર સ્પિનરો માટે વધુ બાઉન્સ રહે છે. જ્યારે બોલમાં વધુ બાઉન્સ હોય છે, ત્યારે સ્પિનરો ઘણીવાર 'ઓવરસ્પિન'નો સહારો લે છે, જેને કારણે સ્વા બોલ હવામાં ધીમો થઇ જાય છે. આ કારણે સ્લિપ, ગલી, શોર્ટ લેગ અને સિલી પોઈન્ટ પર કેચ છૂટવાની શક્યતા વધારે છે. એવામાં, બોલરોએ ધીમી ગતિ સાથે-સાથે લેન્થ પણ આગળ રાખવી પડે છે.
2020 બાદના દર્શાવે છે કે શ્રીલંકામાં સ્પિનરોની સરેરાશ ગતિ લગભગ 83 કિમી/કલાક છે, જ્યારે ભારતમાં તે 89 કિમી/કલાકની આસપાસ રહે છે. આ ઉપરાંત, શ્રીલંકામાં બોલને થોડો ઉપર પિચ કરવો વધુ અસરકારક સાબિત થાય છે એટલે કે 3 થી 5 મીટરની ફૂલર લેન્થ પર, , જ્યારે ભારતમાં 4 થી 6 મીટરની લેન્થ આદર્શ માનવામાં આવે છે.
શ્રીલંકાની પીચો પર 'બેક-ઓફ-એ-લેન્થ' ડિલિવરી કરવાથી બેટ્સમેનોને કટ અથવા પુલ શોટ રમવાની પૂરતી તક મળે છે. જો કે, જ્યારે બોલને વધુ ઉપર પિચ કરવામાં આવે છે ત્યારે ખેલ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. આગળના બોલ પર બેટ્સમેનોને બોલ રમવા માટે ડ્રાઇવ રમવા અથવા ક્રીઝની બહાર નીકળવાની ફરજ પડે છે. જેને કારણે આ બોલ ટર્નિં થવા અથવા અસમાન રીતે ઉછળવાને કારણે ધાર લાગવા, બોલ્ડ થવા અથવા LBW આઉટ થવાની સંભાવના ખૂબ વધે છે.
ભારતીય સ્પિનરો સામે મુખ્ય પડકાર શું છે?
શ્રીલંકામાં, ઘરેલૂ અને વિદેશી સ્પિનરો વચ્ચેના પ્રદર્શનનું અંતર માત્ર ત્રણનું રહ્યું છે, એટલે કે વિદેશી બોલરો માટે પણ ત્યાં સમાન તકો મળે છે. જોકે, આ વખતે ભારતીય ટીમ મેનેજમેન્ટ સામે પડકારો થોડા અલગ છે. આર. અશ્વિન જેવા અનુભવી ઓફ-સ્પિનરની ગેરહાજરીમાં ભારતીય સ્પિનરોને નવી રણનીતિ બનાવવી પડશે; શ્રીલંકાના પાછલા પ્રવાસ દરમિયાન અશ્વિન ટીમનો ભાગ હતો. તો, એ જોવું રસપ્રદ રહેશે કે 37 વર્ષીય રવિન્દ્ર જાડેજા તેની ગતિમાં કેટલો ફેરફાર કરે છે અને શું તે ધીમી બોલિંગ અપનાવે છે. આ ઉપરાંત, માનવ સુથારે અત્યાર સુધી ફક્ત એક જ ટેસ્ટ રમી છે, અને કુલદીપ યાદવનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ પરિસ્થિતિઓ પર આધાર રાખશે.

