દિલ્હીમાં પેલેટ ગનનો શિકાર બનેલા પીડિતની FIR ના નોંધાતા પોલીસ સ્ટેશનમાં રાહુલ ગાંધીના ધરણા

દિલ્હીના પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશન બહાર શુક્રવારે ભારે રાજકીય નાટક સર્જાયું હતું. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ પેલેટ ગનથી ઈજાગ્રસ્ત થયેલા એક પીડિત સાથે પોલીસ સ્ટેશનની બહાર ધરણા પ્રદર્શન કર્યું હતું. પીડિત યુવકે આક્ષેપ કર્યો હતો કે દિલ્હી પોલીસ આ મામલે FIR નોંધવાનો ઈનકાર કરી રહી છે. રાહુલ ગાંધી 19 વર્ષીય સાહિલ લોચબ સાથે પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. સાહિલ 20 જુલાઈના રોજ Gen Z દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પેલેટ ગનના પ્રહારથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

સામે આવેલા દૃશ્યોમાં રાહુલ ગાંધી સાહિલ લોચબ અને અન્ય સાથીઓ સાથે અચાનક પોલીસ સ્ટેશનમાં પ્રવેશતા જોવા મળ્યા હતા, જેને જોઈને ત્યાં હાજર પોલીસ અધિકારીઓ ચોંકી ગયા હતા. જ્યારે પોલીસે FIR નોંધવાની ના પાડી, ત્યારે રાહુલ ગાંધીએ પોલીસ સ્ટેશનની બહાર જ જમીન પર બેસીને વિરોધમાં ધરણા શરૂ કરી દીધા હતા. કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધું છે કે જ્યાં સુધી પોલીસ FIR નહીં નોંધે ત્યાં સુધી રાહુલ ગાંધી ધરણા સમાપ્ત નહીં કરે.

04

કોંગ્રેસ પક્ષે દાવો કર્યો છે કે 20 જુલાઈના 'સંસદ ચલો' માર્ચ દરમિયાન RAF - રેપિડ એક્શન ફોર્સના જવાનો દ્વારા પેલેટ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે ત્યારબાદના દિવસોમાં કેટલાક દેખાવકારો ઈજાગ્રસ્ત થયા હોવાના કિસ્સા સામે આવ્યા છે. જોકે, દિલ્હી પોલીસે પેલેટ ગન ચલાવવાના દાવાઓને સતત નકાર્યા છે, જ્યારે CRPF તરફથી આ મુદ્દે હજુ સુધી મૌન જાળવવામાં આવ્યું છે.

01

આમ છતા ઈજાગ્રસ્ત દેખાવકારોના નિવેદનો, મેડિકલ રિપોર્ટ્સ અને ઈન્ડિયા ટુડેના તપાસ અહેવાલ બાદ 20 જુલાઈના રોજ પેલેટ ગનનો ઉપયોગ ન થયો હોવાના પોલીસના દાવા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

ઉલ્લેખનીય છે કે, 20 જુલાઈના રોજ પરીક્ષાના પેપર લીક મામલે તત્કાલીન શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સેંકડો વિદ્યાર્થીઓએ સંસદ તરફ કૂચ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. આ વિરોધ પ્રદર્શનના પરિણામે થોડા દિવસો બાદ તત્કાલીન શિક્ષણ મંત્રીએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.

03

આ ઘટનાક્રમ દરમિયાન વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી સૌપ્રથમ પીડિત યુવક સાથે કનોટ પ્લેસ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં તેમને માહિતી મળી હતી કે નવી દિલ્હીના DCP સચિન શર્મા પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનમાં હાજર છે. ત્યાર બાદ રાહુલ ગાંધી સીધા પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને સમગ્ર મામલે ચાલી રહેલી તપાસ અંગે અપડેટ માંગી હતી.

About The Author

Related Posts

Top News

દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું 408 કિલો નકલી પનીર પકડાયું

થોડા દિવસ અગાઉ રાજ્ય સરકારે ગુજરાતમાં એનાલોગ પનીર વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. ત્યારે દેશના રાજસ્થાનથી અમદાવાદમાં લૉ...
Gujarat 
દારૂનું, સોનાનું સ્મગલિંગ તમે સાંભળ્યું હશે, પનીરનું સ્મગલિંગ સાંભળ્યું છે, રાજસ્થાનથી અમદાવાદ આવતું  408 કિલો નકલી પનીર પકડાયું

તેલંગાણાના CM રેવંત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી

તેલંગાણાના CM રેવંત રેડ્ડી તેમના પ્રતિનિધિમંડળ સાથે 10 દિવસના વિદેશ પ્રવાસ પર નીકળી રહ્યા છે. તેનું કારણ છે 'તેલંગાણા...
National 
તેલંગાણાના CM રેવંત રેડ્ડી શિક્ષણમાં સુધારા માટે અમેરિકા જઈ રહ્યા હતા, પરંતુ કેન્દ્ર સરકારે જવાની ના પાડી દીધી

સુરતના વેપારીઓ માટે દિવાળી ચોપડા પૂજાનું શુભ મુહૂર્ત 2026: રાજ જ્યોતિષાચાર્યની સલાહ

સુરત (ગુજરાત) [ભારત], 21 ઑગસ્ટ: આ વર્ષે દિવાળી 8 નવેમ્બર, 2026, રવિવારના રોજ ઉજવાશે, અને આ જ દિવસે સુરતના હીરા...
Gujarat 
સુરતના વેપારીઓ માટે દિવાળી ચોપડા પૂજાનું શુભ મુહૂર્ત 2026: રાજ જ્યોતિષાચાર્યની સલાહ

દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી

તહેવારોની મોસમ પહેલાં દેશમાં ખાંડના રેકોર્ડબ્રેક ભાવને નિયંત્રણમાં લેવા અને સ્થાનિક પુરવઠો વધારવાના હેતુથી ભારત સરકારે ગુરુવારે 10 લાખ મેટ્રિક...
Business 
દેશમાં ખાંડની સ્થિતિ ખરાબ, ભાવ 70 નજીક પહોંચ્યો, 10 વર્ષમાં પહેલીવાર ડ્યૂટી ફ્રી ખાંડ આયાત કરવી પડી

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.