હાર્દિક પંડ્યા સાથે ડેટિંગના સમાચારો પર ઈશા ગુપ્તાએ તોડ્યું મૌન, બોલી- ‘અમારી બંને વચ્ચે..’

ઈશા ગુપ્તાએ હાલમાં જ ઘણી વસ્તુઓને લઈને ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે હાઉસફુલની શૂટિંગ દરમિયાન તેના અને સાજિદ ખાન વચ્ચે થયેલા ઝઘડા બાબતે જણાવ્યું હતું. તેની સાથે જ્યારે એક્ટ્રેસને પૂછવામાં આવ્યું કે શું તે ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે ડેટ કરી છે. આ સવાલના જવાબમાં, એક્ટ્રેસે એવી વાત કહી દીધી કે તેનું નિવેદન ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

esha gupta
facebook.com/EshaGuptaOfficial

 

સિદ્ધાર્થ કનનને આપેલા ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસે કહ્યું કે, ‘હા, અમે લોકોએ થોડા મહિનાઓ સુધી વાત કરી, પરંતુ એવું લાગતું નથી કે અમે લોકોએ એક-બીજાને ડેટ કરી. કદાચ થોડા સમય બાદ એવું થતું કે પછી ન થતું. પરંતુ ડેટિંગ સ્ટેજ પર પહોંચવા અગાઉ જ અમારા સંબંધ સમાપ્ત થઈ ગયા. તો ડેટિંગ નહોતી. અમે લોકો એક કે બે વખત મળ્યા. તે થોડા મહિનાઓનું હતું અને ખતમ થઈ ગયું. અમારી વચ્ચે કોઈ કનેક્શન નહોતું. જે એક સંબંધ માટે જરૂરી હોય છે. દરેક વ્યક્તિનો એક પ્રકાર હોય છે. હું એક સેલ્ફ ઓબ્સેસ્ડ લોકો સાથે નહીં રહી શકું. હું રોજ સવારે મારા પોતાના વખાણ સાંભળી શકતી નથી, આ મારા વશની વાત નથી.

esha gupta
facebook.com/EshaGuptaOfficial

 

ઇશાને જ્યારે પૂછવામાં આવ્યું કે શું તેઓ આગામી સમયમાં કપલ બની શકે છે, ત્યારે તેણે કહ્યું કે, ‘બની શકતું હતું, પરંતુ એવું લાગે છે કે અમે બંને એક-બીજા માટે બન્યા નથી. પરંતુ, ટીવી પર જેવું જ કંઈક ઑનએર થયું તો એ ગરીબ લોકો ખૂબ ઝીલી રહ્યા હતા. ત્યારબાદ થોડા સમય બાદ અમારા બંનેની વાતચીત બંધ થઈ ગઈ. એક્ટ્રેસને જ્યારે પૂછવામાં આવ્યું કે શું કરણ જોહરના શૉ 'કોફી વિથ કરણ'એ તમને ઇફેક્ટ કર્યા, જેમાં કેએલ રાહુલ સાથે હાર્દિક પંડ્યા આવ્યો હતો, તો એક્ટ્રેસે કહ્યું કે એ વિવાદથી તેના પર કોઈ ફરક પડ્યો નથી. ઈશાએ આગળ કહ્યું કે, ‘ત્યાં સુધી હું જાડી ચામડીની થઈ ગઈ હતી. જ્યારે કરણનો એપિસોડ ઑન એર થયો તો તેનાથી મારા પર કોઈ ફરક ન પડ્યો. અને એ ગરીબ છોકરા પહેલાથી જ ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યા હતા.

About The Author

Top News

ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ

(ઉત્કર્ષ પટેલ) સુરત વિશ્વનું હીરા ઉદ્યોગનું હૃદય. અહીં ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગમાં પરંપરાગત કામથી આગળ વધીને વિકાસ અને નવીનતાની નવી...
Business  Opinion 
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ

મુખ્યમંત્રી શ્રી GIDC સચિન નોટિફાઇડ કચેરીના ભ્રષ્ટાચારથી ઉદ્યોગકારો ત્રાહિમામ છે

ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસ માટે અગત્યની ભૂમિકા ભજવતું નિગમ છે અને એની પ્રાદેશિક અને નોટીફાઇડ કચેરીઓ ખૂબ...
Opinion 
મુખ્યમંત્રી શ્રી GIDC સચિન નોટિફાઇડ કચેરીના ભ્રષ્ટાચારથી ઉદ્યોગકારો ત્રાહિમામ છે

‘સહન નહીં કરું...’, SIR મુદ્દે મમતા સરકાર પર કેમ ગુસ્સે થયા CJI?

મંગળવારે SIR કેસની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચ (ECI), મમતા બેનર્જી સરકાર અને વિવિધ અરજદારોને સખત ઠપકો...
National 
‘સહન નહીં કરું...’, SIR મુદ્દે મમતા સરકાર પર કેમ ગુસ્સે થયા CJI?

ધો. 12 ગણિતની પરીક્ષાના પ્રશ્નપત્ર પર QR કોડથી અંગ્રેજી ગાયકના યુ-ટ્યુબ પરનો વીડિયો ખુલ્યો! CBSEએ સ્પષ્ટતા બહાર પાડી

ધોરણ 12 ગણિતની પરીક્ષાના પ્રશ્નપત્ર પર છપાયેલા QR કોડે સોશિયલ મીડિયા પર વિવાદ જગાવ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો હતો...
Education 
ધો. 12 ગણિતની પરીક્ષાના પ્રશ્નપત્ર પર QR કોડથી અંગ્રેજી ગાયકના યુ-ટ્યુબ પરનો વીડિયો ખુલ્યો! CBSEએ સ્પષ્ટતા બહાર પાડી
Copyright (c) Khabarchhe All Rights Reserved.