'કંગનાને બિનજામીનપાત્ર વોરંટ આપો' જાવેદ અખ્તર અરજી લઈને કોર્ટમાં ગયા

બોલિવૂડના પ્રખ્યાત ગીતકાર જાવેદ અખ્તરે અભિનેત્રી અને સાંસદ કંગના રનૌત વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડવાની માંગ કરી છે. કંગના રનૌત સતત કોર્ટમાં હાજર ન રહેવાના કારણે તેમની તરફથી આ માંગ કરવામાં આવી છે. હકીકતમાં, કંગના રનૌત 20 જુલાઈએ કોર્ટમાં હાજર થવાની હતી, પરંતુ તે આવી ન હતી. આ પછી જાવેદ અખ્તરના વકીલ જય ભારદ્વાજે આ માંગ કરતી અરજી કોર્ટમાં દાખલ કરી છે.

અગાઉ જ્યારે જામીનપાત્ર વોરંટ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે કંગના કોર્ટમાં હાજર થઈ હતી. ત્યારપછી તેણે જામીનપાત્ર વોરંટ રદ કરાવ્યું હતું. જ્યારે કેસ 20 જુલાઈએ સુનાવણી માટે આવ્યો ત્યારે જાવેદ અખ્તરના વકીલે કહ્યું કે, આરોપી કંગના રનૌતે વારંવાર કોર્ટની કાર્યવાહીમાં વિલંબ કરવાનો પ્રયાસ કર્યો. બિનજામીનપાત્ર વોરંટ બહાર પાડવા સિવાય આરોપીની હાજરી સુનિશ્ચિત કરવાનો બીજો કોઈ રસ્તો દેખાતો નથી.

મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કંગના રનૌતે કોર્ટમાં હાજર રહેવાથી કાયમી છૂટ માંગી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. આ મુક્તિ સેશન્સ કોર્ટ તેમજ બોમ્બે હાઈકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી ન હતી. જય ભારદ્વાજનું કહેવું છે કે, કંગના રનૌતની અરજી ફગાવી દેવામાં આવી હોવા છતાં, તે અલગ-અલગ તારીખે કોર્ટમાં હાજર રહી ન હતી અને મુક્તિની અરજીઓ કરતી રહી હતી. કોર્ટે 1 માર્ચ, 2021ના રોજ તેની સામે જામીનપાત્ર વોરંટ પણ બહાર પાડયું હતું.

જો કે, 20 જુલાઈના રોજ, કોર્ટે જાવેદ અખ્તરની અરજી મુલતવી રાખી હતી અને કંગના રનૌતને હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો. આ દરમિયાન, કંગનાના વકીલોએ વચન આપ્યું હતું કે, તે આગામી સુનાવણીની તારીખ એટલે કે 9 સપ્ટેમ્બર, 2024ના રોજ કોર્ટમાં હાજર થશે.

આ કેસ 2016માં શરૂ થયો હતો. વર્ષ 2020માં કંગના રનૌતે એક TV ઈન્ટરવ્યુમાં જાવેદ અખ્તર પર ગંભીર આરોપ લગાવ્યા હતા. ત્યારપછી તેણે કહ્યું હતું કે, વર્ષ 2016માં જાવેદ અખ્તરે તેને પોતાના ઘરે બોલાવી હતી અને રિતિક રોશનના પરિવારની માફી માંગવા કહ્યું હતું. કંગના રનૌતનો આરોપ છે કે, જાવેદ અખ્તરે તેને ધમકી આપી હતી કે, તેની કારકિર્દી ખતમ થઈ જશે. કંગના રનૌતના આવા આરોપો પછી જાવેદ અખ્તરે તેની સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મામલો હજુ કોર્ટમાં ચાલી રહ્યો છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.