'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી, એવા સંકેતો મળી રહ્યા હતા કે ભાજપ પંજાબમાં કેટલાક મોટી રાજકીય જોઇનિંગનું આયોજન કરી રહી છે, ફક્ત યોગ્ય સમયની રાહ જોઈ રહ્યું છે. શુક્રવારે, જ્યારે રાઘવ ચઢ્ઢા, સંદીપ પાઠક અને અશોક મિત્તલ પ્રેસ કોન્ફરન્સને કરવા પહોંચ્યા ત્યારે ભાજપના નેતાઓની હાજરીએ સ્પષ્ટ કર્યું કે સમગ્ર રણનીતિ પૂર્વ-આયોજિત હતી.

અચાનક પ્રેસ કોન્ફરન્સને સંબોધવા માટે પહોંચેલા રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠકે આમ આદમી પાર્ટીમાં ભ્રષ્ટાચાર અને રાજકીય સમાધાનના આરોપો લગાવ્યા. સાથે જ, તેમણે ભાજપમાં જવાની જાહેરાત કરી દીધી. રાઘવે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી પાસે હાલમાં કુલ 10 સાંસદો છે, જેમાંથી 7 સાંસદો ઉપરાષ્ટ્રપતિને લેખિતમાં પોતાની ઈચ્છા વ્યક્ત કરી ચૂક્યા છે, તેઓ ભાજપમાં ભળી જવા માંગે છે.

ચઢ્ઢાએ કહ્યું કે, જરૂરી બે તૃતીયાંશ બહુમતી સંખ્યાબળ હોવું જોઈએ, તેનું કડક પાલન કરતા તેમણે ઉપરાષ્ટ્રપતિને આમ આદમી પાર્ટીના સંસદીય જૂથને ભાજપમાં ભળી જવા માટે ઔપચારિક વિનંતી કરી છે. સંસદીય નિષ્ણાતોના મતે રાજ્યસભાના અધ્યક્ષને AAP સાંસદો દ્વારા રજૂ કરાયેલી અપીલ બાદ ઉપરાષ્ટ્રપતિ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ પાસે સલાહ લેશે અને તેમની સંમતિ પ્રાપ્ત થયા બાદ આ બાબતે રાજ્યસભા સચિવાલય ઔપચારિક નોટિફિકેશન જાહેર કરશે.

Raghav-Chadha1
indiatoday.in

રાજ્યસભા દ્વારા નોટિફિકેશન જાહેર થયા બાદ, તેને રાજપત્રમાં પ્રકાશિત કરવામાં આવશે. આ પ્રકારે આ તમામ 7 સાંસદોને સત્તાવાર રીતે ભાજપના સભ્યો માનવામાં આવશે. જ્યાં સુધી રાષ્ટ્રપતિ દ્વારા નોટિફિકેશન જાહેર નહીં થાય, ત્યાં સુધી  ટેક્નિકલી રીતે આ સાંસદો સત્તાવાર રીતે ભાજપમાં નહીં જોડાય. ભાજપના સૂત્રોએ જણાવ્યું હતું કે શુક્રવારે 3 સાંસદો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષને મળ્યા હતા, જ્યારે બાકીના 4 સભ્યો આગામી 4-5 દિવસમાં પક્ષના વરિષ્ઠ નેતૃત્વને મળવાના છે.

બાકીના 4 સાંસદોમાંથી એક હાલમાં અમેરિકામાં છે. બીજા IPL ક્રિકેટ મેચ માટે કોમેન્ટ્રી કરી રહ્યા છે. આયા એક સમિતિની બેઠકમાં હાજરી આપવા માટે બહાર છે અને ચોથા આજે મોડી સાંજે દિલ્હી પહોંચે તેવી અપેક્ષા છે. આ 7 સાંસદો ઉપરાષ્ટ્રપતિની મંજૂરી મેળવ્યા પછી જ સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે, ત્યારબાદ રાજ્યસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ રાજપત્રમાં દાખલ કર્યા બાદ આ સાતેય સાંસદ સત્તાવાર રીતે ભાજપમાં જોડાશે.

પક્ષના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આગામી પંજાબ વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP)ના આ સાંસદોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. સાથે જ, રાજ્યસભામાં NDAને મજબૂત બનાવવાના સંદર્ભમાં આ પગલું મહત્ત્વપૂર્ણ છે. આ સાત સાંસદોની જોઇનિંગ સાથે જ રાજ્યસભામાં NDAની સંખ્યા 141 થી વધીને 148 થઇ જશે. ઉપલા ગૃહમાં બે તૃતીયાંશ બહુમતી મેળવવા માટે ગઠબંધન હવે ફક્ત 18 સાંસદોથી દૂર છે.

'મિશન પંજાબ'ની શરૂઆત

પંજાબ વિધાનસભાની ચૂંટણીઓ આગામી વર્ષની શરૂઆતમાં થવાની છે, અને ભાજપ આ વખતે એકલા અને સંપૂર્ણ તાકાત સાથે ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહી છે. ચઢ્ઢા અને અન્ય AAP નેતાઓના પક્ષમાં સામેલ થવું આ મોટી વ્યૂહરચનાનો એક અભિન્ન ભાગ માનવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યમાં ભાજપની હાજરીને મજબૂત બનાવવાનો છે.

AAP-MPs
aajtak.in

2022ની પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં AAPની જીતમાં રાઘવ ચઢ્ઢા અને સંદીપ પાઠકે મુખ્ય રણનીતિકાર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંને નેતાઓ છેલ્લા કેટલાક મહિનાઓથી BJP સાથે સંપર્કમાં હતા. BJP હવે સમગ્ર પંજાબમાં વિવિધ મતદારો પર ધ્યાન કેન્દ્રિત કરવાની યોજના બનાવી રહી છે; આ જ પહેલના ભાગ રૂપે મોટા નેતાઓને પાર્ટીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે.

પાર્ટીની નજર 'પંથિક' મત બેંક પર પણ છે, જેના પર એક સમયે શિરોમણી અકાલી દળ (SAD)નું પ્રભુત્વ હતું. ભાજપના નેતાઓ માને છે કે SAD નબળી પડવાને કારણે આ મત બેંક હાલમાં એક નવા રાજકીય વિકલ્પની શોધમાં છે, કારણ કે તેઓ કોંગ્રેસ સાથે જોડાવા તૈયાર નથી અને AAPથી અસંતુષ્ટ છે. આ મહિનાની શરૂઆતમાં સુપ્રીમ કોર્ટના પ્રખ્યાત વકીલ એચ.એસ. ફૂલકાના ભાજપમાં સમાવેશને પંથિક મતદારોને જીતવા માટેની રણનીતિનો હિસ્સો માનવામાં આવી રહ્યો  છે.

રાજ્યમાં અનુસૂચિત જાતિ (SC) સમુદાય પર જ્યારે કોંગ્રેસ પાર્ટીની મજબૂત પકડ છે, પરંતુ ભાજપ હવે આ વર્ગ સુધી પગપેસારો કરવા માટે સક્રિયપણે પ્રયાસ કરી રહી છે. ફેબ્રુઆરીમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંત રવિદાસ જયંતીના અવસર પર જલંધરમાં ડેરા સચખંડ બલ્લાંની મુલાકાત લીધી હતી. તાજેતરમાં જ ડેરા સચખંડ બલ્લાંના વડા સંત નિરંજન દાસને કેન્દ્ર સરકાર દ્વારા પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.

આ ડેરા રવિદાસિયા સમુદાય માટે એક પ્રમુખ ધાર્મિક કેન્દ્ર છે, જ્યાં દેશભરના ભક્તોને આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી વિધાનસભા ચૂંટણી પહેલા ઘણા મોટા નેતાઓ, સામાજિક કાર્યકરો અને ધાર્મિક સંગઠનો સાથે સંકળાયેલા વ્યક્તિઓ ભાજપમાં જોડાઈ શકે છે, કારણ કે પાર્ટી તેની સ્થિતિને વધુ મજબૂત બનાવવા માંગે છે.

About The Author

Related Posts

Top News

સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

અયોધ્યાના શ્રી રામ મંદિરમાં ચડાવો અને દાન ચોરી કેસમાં SIT દ્વારા પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કર્યાના બે દિવસ પછી,...
National 
સુભાષ દાન ગણતરી કરાવતો, ટીનુ પાસે તેની ચાવીઓ હતી... જાણો દાનની ચોરીમાં પકડાયેલા 8 લોકોની ભૂમિકા વિશે

બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

પુણે કેતન અગ્રવાલ હત્યા કેસની તપાસ જેમ જેમ આગળ વધે છે, તેમ તેમ કેસના નવા પાસાઓ બહાર આવી રહ્યા...
National 
બે માતાઓના અલગ અલગ દાવા..., કોણે કોનાથી શું છુપાવ્યું? કેતન-સિયા વાર્તામાં નવો વળાંક

11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

(દિલીપ પટેલ) અલ નીનો ભારતની 30 હજાર કરોડ રૂપિયાની વરસાદી કૃષિ પેદાશો પર ખતરો છે. ગુજરાતનો 5 ટકા હિસ્સો ગણીએ...
Gujarat 
11 વર્ષ પછી વાવણીની ગંભીર સ્થિતિ, 9 ટકા સિંચાઈથી વાવેતર

પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?

શું તમે ભારતના નાગરિક છો? તમે કહેશો, 'હા, બિલકુલ હું છું! મારી પાસે મતદાર ઓળખપત્ર છે...
Opinion 
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.