મધુબાલાના પરિવારે તેની બાયોપિક પર વાંધો ઉઠાવ્યો

આમ તો બોલિવુડમાં ઘણી બધી આદાકારાઓ છે. પણ મધુબાલા જેવું તો કોઇ જ નથી. ‘મુઘલ એ આઝમ’ જેવી ગ્રાન્ડ ફિલ્મોમાં નજર આવેલી મધુબાલાએ પોતાના કરિયરમાં મોટી સફળતા જોઇ છે. પણ તેના ચાહકોને એ વાતનો અફસોસ રહી ગયો છે કે, તે નાની ઉંમરમાં જ દુનિયાને અલવિદા કહી ગઇ હતી.

થોડા દિવસો પહેલા પદ્મિનિ કોલ્હાપુરીના પતિ અને ફિલ્મ પ્રોડ્યુસર ટૂટૂ શર્માએ મધુબાલાની બાયોગ્રાફી ‘મધુબાલા – દર્દ કા સફર’ના કોપીરાઇટ્સ હાંસલ કર્યા હતા. તે મધુબાલા પર ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે. આ સમાચાર આવ્યા બાદ મધુબાલાની બહેન મધુર ભૂષણે આ મુદ્દે આપત્તિ વ્યક્ત કરી હતી. મધુરે કહ્યું હતું કે, જો આ ફિલ્મ બને છે, તો તે મેકર્સ વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવામાં સંકોચ ન કરશે. આ મુદ્દા પર ટૂટૂ શર્માનું રીએક્શન આવી ગયું છે.

મીડિયા સાથેની વાતચીતમાં ટૂટૂ શર્માએ કહ્યું કે, મેં આ બાયોપિક ફિલ્મને બનાવવા માટે એલાન કર્યું છે. તે મિસ સુશીલા કુમારીની લખેલી બાયોગ્રાફી બુક ‘મધુબાલા – દર્દ કા સફર’ પર આધારિત છે. આ બુક વર્ષોથી પબ્લિક ડોમેનમાં જ છે. મધુબાલા એક ફેમસ પબ્લિક ફિગર હતી. મને લાગે છે કે, તેની વાર્તા લોકો સુધી પહોંચવી જોઇએ. ટૂટૂ શર્મા સમજે છે કે, કાયદામાં ચોખવટ છે કે, તમે કોઇપણ પબ્લિક ફિગરના જીવનનો કોપીરાઇટ ન લઇ શકો. ભલે તે તમારા પોતાના કેમ ન હોય.

તેમણે આગળ કહ્યું કે, જો આવું કંઇ હોત તો આપણે ફેમસ ફિગર્સની ઉપર બનેલી આટલી બધી બાયોપિક ન જોઇ હોત. જેટલા પણ દાવા કરવામાં આવે છે. તે બધા બેકાર છે અને તે વિશે મારી લીગલ ટીમ નીરાકરણ કાઢી રહી છે. ટૂટૂ શર્માને સવાલ પૂછ્યો હતો કે, શું મધુબાલાની પર્સનલ લાઇફને આ બાયોપિકમાં બતાવશે કે નહીં. તેમણે કહ્યું કે, જે પણ બુકમાં લખાયું છે તે જ હું બતાવીશ.

મધુબાલાની બહેન મધુર ભુષણની વાત કરીએ તો, તેમણે એ ઇન્ટર્વ્યુમાં કહ્યું હતું કે, જો ફિલ્મને બનાવવાની તેમની વાતને ન માનવામાં આવશે તો તેઓ કાયદાકીય પગલા લેશે. જે પણ લોકો એવી ફિલ્મો બનાવે છે તેમને કોર્ટ સુધી લઇ જવા જોઇએ. હું એક યોદ્ધા છું, હું આના માટે લડીશ.

About The Author

Top News

પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

તેલંગાણાના નિર્મલ જિલ્લાના આ ચૂંટણીના સમાચાર સાબિત કરે છે કે, દરેક લોકોએ મત આપવો કેટલો મહત્વપૂર્ણ હોય છે. અહીં...
National 
પુત્રવધૂ સરપંચની ચૂંટણી 1 મતથી જીત્યા, સસરા સ્પેશિયલ અમેરિકાથી 1 વોટ નાખવા આવેલા

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.