મુશ્કેલીમાં અજયની ફિલ્મ 'મેદાન', કોર્ટે ફિલ્મની રીલિઝ પર આ કારણે લગાવી રોક

અજય દેવગન અભિનીત 'મૈદાન'ની રીલિઝ ડેટની ફેન્સ કાગડોળે રાહ જોઈ રહ્યા છે. વર્ષ 2024ની આ મોસ્ટ અવેટેડ ફિલ્મ આજે ઈદના અવસર પર સિનેમાઘરોમાં રીલિઝ થવાની હતી. જો કે, હવે એમ લાગી રહ્યું છે કે આ ફિલ્મની રીલિઝ ડેટ ટળી ગઈ છે. આ સ્પોર્ટ્સ ડ્રામા કાયદાકીય દાવપેચમાં ફસાઈ ગઈ છે. મૈસૂર કોર્ટે ફિલ્મની રીલિઝ પર રોક લગાવવાના આદેશ જાહેર કર્યા છે. ચાલો આ આર્ટિકલમાં આગળ જાણીએ કે રીલિઝ પર રોક લગાવવાનું કારણ શું છે?

મીડિયા રિપોર્ટ મુજબ, કર્ણાટકના એક સ્ક્રિપ્ટ રાઇટરે આરોપ લગાવ્યો છે કે બોની કપૂર અને Zee સ્ટુડિયો દ્વારા નિર્મિત ફિલ્મ ભારતના પૂર્વ ફૂટબોલના કોચ સૈયદ અબ્દુલ રહિમના જીવન પર તેમની સ્ક્રિપ્ટ ચોરવામાં આવી છે. એવામાં મૈસૂર કોર્ટે સ્ક્રિપ્ટ રાઇટરનું સાહિત્ય ચોરી કરવાના આધાર પર ફિલ્મની રીલિઝ ડેટ પર રોક લગાવવાનો આદેશ જાહેર કર્યો છે. મૈસુરના લેખક અનિલ કુમારે લિન્ક્ડઇન પર કહાનીનો પોતાની પક્ષ શેર કર્યો છે.

તેમણે લખ્યું કે, '2010માં મેં કહાની લખવાની શરૂ કરી અને વર્ષ 2018માં મેં તેની બાબતે એક પોસ્ટ કરી અને હું પોતાની લિન્ક્ડઇન પોસ્ટના માધ્યમથી ડિરેક્ટર સુખદાસ સૂર્યવંશીના કોન્ટેક્ટમાં આવ્યો. તેમણે મને બોમ્બે (મુંબઈ) બોલાવ્યો અને સ્ક્રિપ્ટ લાવવા કહ્યું. મારી પાસે આખી ચેટ હિસ્ટ્રી છે. તેમણે મને કહ્યું કે, તેઓ મારી મુલાકાત આમીર ખાન સાથે કરાવશે, પરંતુ કેટલાક કારણોસર હું તેમને ન મળી શક્યો. મેં તેમને કહાની આપી અને તેને સ્ક્રીન રાઇટર્સ એસોસિએશન સાથે રજીસ્ટર કરવી.

તેમણે કહ્યું કે, સુખદાસ સૂર્યવંશી મૈદાનમાં સહાયક ડિરેક્ટર બન્યા હતા. હાલમાં જ મેં સાંભળ્યું કે, મૈદાન નામની એક ફિલ્મ રીલિઝ થઈ રહી છે. હું હેરાન હતો કેમ કે મારી પણ આ જ કહાની છે. જ્યારે મેં ટીઝર અને તેમના નિવેદન જોયા તો ખબર પડી કે આ મારી કહાની હતી. તેમણે મુખ્ય સ્ટોરીને તોડી મરોડીને આ ફિલ્મ બનાવી દીધી છે. મેં કહાનીનું નામ પાદકંદુકા રાખ્યું.' તો અનિલના મૈસુરના મુખ્ય જિલ્લા અને સેશન કોર્ટમાં ગયા બાદ કોર્ટે ફિલ્મની રીલિઝ પર રોક લગાવવાનો આદેશ આપ્યો છે. હવે આ મામલાની આગામી સુનાવણી 24 એપ્રિલે થવાની છે.

સત્ય ઘટના પર આધારિત ફિલ્મ મૈદાન દેશના સૌથી પ્રખ્યાત ફૂટબોલ કોચ સૈયદ અબ્દુલ રહિમની લાઈફ પર બેઝ્ડ છે. તેમણે પોતાનું જીવન ફૂટબોલ માટે સમર્પિત કરી દીધું હતું અને ભારતને ખૂબ ગૌરવ અપાવ્યું. ફિલ્મમાં અજય દેવગને સૈયદ અબ્દુલ રહિમનો રોલ નિભાવ્યો છે. ફિલ્મની આ સ્ટાર કાસ્ટમાં પ્રિયમણી, ગજરાજ રાવ અને બંગાળી એક્ટર રુદ્રનીલ ઘોષ સામેલ છે. ફિલ્મમાં ઓસ્કાર વિજેતા એ.આર. રાહમાને મ્યુઝિક કમ્પોઝ કર્યું છે. બુધવારે સાંજે આ ફિલ્મના કેટલાક પેઇડ પ્રિવ્યૂ પણ થયા હતા.

About The Author

Related Posts

Top News

મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

મેટાએ નવા સ્માર્ટ ચશ્મા રજૂ કર્યા છે, જે દેખાવમાં ખૂબ જ સ્ટાઇલિશ લાગે છે. આ વખતે માર્ક ઝુકરબર્ગની કંપની...
Tech and Auto 
મેટાએ 3K વીડિયો સપોર્ટ અને ડબલ બેટરી બેકઅપ સાથે નવા સ્માર્ટ ચશ્મા લોન્ચ કર્યા, આ કિંમત છે

ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

પાકિસ્તાન ક્રિકેટ ટીમ હોય કે તેમનું બોર્ડ, મોટા ભાગે કોઈક ને કોઈ વિવાદને કારણે ચર્ચામાં બન્યા રહે છે. આવો...
Sports 
ગેરી કર્સ્ટને જણાવ્યું પાકિસ્તાન ક્રિકેટ ટીમના કોચપદેથી કેમ આપ્યું રાજીનામું

ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ભાજપના ધારાસભ્યની ગુંડાગર્દીના એક સમાચાર સામે આવ્યા છે. વંદે ભારતમાં એક યાત્રીએ સીટ બદલવાનો ઇન્કાર કર્યો તો આ ધારાસભ્યોના સમર્થકોએ...
National 
ધારાસભ્યને વિન્ડો સીટ જોઈતી હતી જેની સીટ હતી એને આપવાની ના પાડી તો...

ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?

શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈ ખેલાડીને ટેસ્ટમાં કાળા મોજા પહેરવા માટે સજા થઈ હોય! હવે એવું થતા કદાચ...
Sports 
ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં ગિલે કાળા મોજા પહેર્યા એમાં કેમ હોબાળો મચ્યો છે, શું દંડ થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.