સની દેઓલે જણાવ્યું તેઓ લોકસભા 2024ની ચૂંટણી લડશે કે નહીં, જુઓ વીડિયો

ભાજપ સાંસદ અને એક્ટર સની દેઓલે એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું કે, તેઓ વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી નહીં લડે. તેમણે જણાવ્યું કે, એક્ટર બનીને રહેવું જ મારી ચૂંટણી છે. મને લાગે છે કે હું એક્ટર તરીકે દેશ સેવા કરું, જે હું કરતો આવી રહ્યો હતો. તમે કોઈ પણ એક જ કામ કરી શકો છો. એક સાથે ઘણા બધા કામ કરવું અસંભવ છે. હું જે વિચાર સાથે રાજનીતિમાં આવ્યો હતો, એ બધા કામ હું એક્ટર રહેતા પણ કરી શકું છું.

સની દેઓલે કહ્યું કે, એક્ટિંગની દુનિયામાં મારું જે દિલ કરે, તે હું કરી શકું છું, પરંતુ રાજનીતિમાં જો કંઈક કમિટ કરી દઉં અને તેને પૂરી ન કરી શકું, તો મને એ સહન થતું નથી. હું એવું નહીં કરી શકું. સની દેઓલની સાંસદ તરીકે લોકસભામાં માત્ર 19 ટકા જ ઉપસ્થિતિ છે જેને લઈને સાંસદે કહ્યું કે, જ્યારે આપણે બીજા લોકોને કહીએ છીએ કે એવો વ્યવહાર ન કરો. જ્યારે એ જોઉ છું તો લાગે છે કે હું એવો નથી. તેનાથી સારું તો એ છે કે હું ક્યાંક દૂર જતો રહું. સાથે જ કહ્યું કે, હું હવે કોઈ ચૂંટણી લડવા માગતો નથી.

ફિલ્મ એક્ટર સની દેઓલે વર્ષ 2019માં પોતાના રાજનૈતિક સફરની શરૂઆત કરી હતી. તેમણે વર્ષ 2019ની સામાન્ય ચૂંટણીમાં પંજાબના ગુરુદાસપુર લોકસભા સીટ પરથી નસીબ અજમાવ્યું અને જનતાએ પણ તેમને નિરાશ ન કર્યા. ગુરુદાસપુરની જનતાએ 84 હજાર કરતા વધુ અંતરથી ભારે વિજયનો આશીર્વાદ આપીને સની દેઓલને લોકસભામાં મોકલ્યા હતા. સની દેઓલે ચૂંટણી પ્રચાર દરમિયાન લોકસભા ક્ષેત્રની જનતાને મોટા મોટા વાયદા પણ કર્યા, પરંતુ વાયદા પૂરા કરવાના તો દૂર, તેઓ જીત બાદ ફરીને ગુરુદાસપુર પણ ન ગયા.

તેને લઈને લોકોમાં આક્રોશ વધી રહ્યો છે. સની દેઓલના ક્ષેત્રથી સતત ગાયબ રહેવા અને લોકસભામાંથી પણ ગેરહાજર રહેવાના કારણે હવે વિરોધી પણ મુદ્દો બનાવવા લાગ્યા છે. ગત દિવસોમાં લોકોએ તેમની વિરુદ્ધ ગુરુદાસપુરમાં પ્રદર્શન પણ કર્યું હતું. ગુરુદાસપુર મોહલ્લા સંત નગરના લોકોએ ફેબ્રુઆરીના મહિનામાં પણ લોકસભા સ્પીકર ઓમ બિરલાને ચિઠ્ઠી લખીને સની દેઓલની સભ્યતા રદ્દ કરવાની માગ કરી હતી. અમરજોત સિંહે પોતાની ચિઠ્ઠીમાં લખ્યું હતું કે સની દેઓલ લગભગ 4 વર્ષથી પોતાના લોકસભા ક્ષેત્રથી ગેરહાજર છે. ગુરદાસપુરની જનતાએ તેમને ખૂબ આશાઓ સાથે ચૂંટ્યા હતા.

About The Author

Top News

અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

અમદાવાદના 52 વર્ષ જૂના સુભાષ બ્રિજના મધ્ય ભાગમાં તિરાડ પડી હોવાની રિપેરિંગ માટે બ્રિજ 5 દિવસ બંધ રહેશે. એકાએક બ્રિજ...
Gujarat 
અમદાવાદનો સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ, જાણો શું છે કારણ

23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આણંદ શહેરના લોટિયા ભાગોળ થી કપાસિયા બજાર તરફ જવાના માર્ગ પર 28 લાખ રૂપિયાના ખર્ચે 180 મીટરનો RCC રોડ તૈયાર...
Gujarat 
23 લાખના ખર્ચે બનાવેલો RCC રોડ 44 દિવસમાં જ તોડી નાખવાની નોબત આવી ગઈ

આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં બંપર જીત પછી ભાજપે હવે રાષ્ટ્રીય અધ્યક્ષના નામની પસંદગીનો ધમધમાટ શરૂ કરી દીધો છે. દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષના...
National 
આ વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉત્તર પ્રદેશથી હશે, 2 નામો ચર્ચામાં

બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા

કોંગ્રેસ સાસંદ મુરારીલાલ મીણાએ લોકસભાના શિયાળુ સત્રમાં સવાલ પુછ્યો હતો કે દેશમા અત્યાર સુધીમાં કેટલા આર્થિક અપરાધીઓ વિદેશ ભાગી ગયા...
National 
બેંકોનું 58 હજાર કરોડનું કરીને વિદેશ ભાગી ગયા, સરકારે 15 ભાગેડુના નામ જાહેર કર્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.