વિકી કૌશલના ફિટનેસ પ્લાને ચાહકો સહિત અમિતાભ બચ્ચનને પણ આશ્ચર્યચકિત કરી દીધા

પિઝા, બર્ગરનું નામ જ્યારે પણ કોઈના મોઢા પર આવે છે, તો તેના મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ આ પ્રકારના જંક ફૂડ ખાવાથી જે વજન વધે છે, તે દુઃખની વાત છે. અભિનેતા વિકી કૌશલને પણ જંક ફૂડ ખાવાનું પસંદ છે. આમ તો છે તો એ પંજાબી, પરંતુ ટેસ્ટ તેનો થોડો ઇટાલિયન ખાવાનો છે. વિકી કૌશલ અને કિયારા અડવાણી, અમિતાભ બચ્ચનના ક્વિઝ શો 'KBC 14'મા જોવા મળવાના છે. હોટસીટ પર બેઠેલા બંને જ કલાકારો તેમના અંગત જીવન સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ જણાવવાના છે.

મેકર્સ સોશિયલ મીડિયા પર દર્શકો માટે કેટલાક પ્રોમો શેર કરી રહ્યા છે, જેમાંથી એક પ્રોમોમાં વિકી એવું જણાવતા જોવા મળે છે કે, તે એક સમસ્યાથી ઘેરાયેલો છે. તે એ છે કે, પિઝા, બર્ગર ખાધા પછી પણ તેનું વજન વધતું નથી. અમિતાભ બચ્ચન અને કિયારા અડવાણી, વિકીની આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે.

KBC 14ના ફિનાલે એપિસોડમાં અમિતાભ બચ્ચનની સામે વિકી કૌશલે તેના ડાયેટ પ્લાન અને વજન ઘટાડવાની ટિપ્સનો ખુલાસો કર્યો છે. વિકી કૌશલના ફિટનેસ પ્લાને ચાહકો સહિત અમિતાભ બચ્ચનને પણ આશ્ચર્યચકિત કરી દીધા. વિકી કૌશલે અમિતાભ બચ્ચનની સામે કહ્યું, સર પિઝા-બર્ગર ખાધા પછી પણ તેનું વજન વધતું નથી. વિકીના ડાયટનું સિક્રેટ જાણીને કિયારા અડવાણીનું મોં ખુલ્લુ જ રહી ગયું.

વિકી કૌશલ કેવી રીતે કરે છે ડાયટ મેન્ટેન?

વિકી કૌશલે KBCના સ્ટેજ પર જણાવ્યું કે, 'તેની એક સુંદર સમસ્યા છે જેમાં તેનું વજન વધતું જ નથી.' વિકીની વાત સાંભળ્યા પછી અમિતાભ બચ્ચન સહિત કિયારા અડવાણી ચકિત રહી ગયા. વિકી KBCના સ્ટેજ પર કહે છે કે, 'તે બર્ગર-પિઝા ખાઈને પણ વજન ઘટાડી શકે છે'. વિકીની આ વાત સાંભળ્યા પછી, અમિતાભ બચ્ચનની પાસે કોઈ જવાબ નથી રહી જતો અને તે ઓડિયન્સની તરફ જોવા લાગી જાય છે.

વિકી કૌશલને જ્યારે અમિતાભ બચ્ચને પૂછ્યું, 'વજન વધારવા માટે શું કરો છો.' આ અંગે વિકી કૌશલ કહે છે કે, 'તે ખૂબ જ બોરિંગ ફૂડ ખાય છે. જેમ કે બધુ ગ્રિલ્ડ ખાવાનું છે.' વિકીની આ વાતને સાંભળ્યા પછી અમિતાભ બચ્ચનનું માથું ફરવા લાગે છે.

જીમમાં જઈને વિકી વધારે છે વજન

વિકી કૌશલ KBCના મંચ પર કહે છે, 'લોકો જીમમાં જઈને વજન ઘટાડે છે, પરંતુ તેમણે જિમમાં વજન વધારવા માટે જવું પડે છે.' અમિતાભ બચ્ચન વિકીની વાતોને સાંભળ્યા પછી હસી પડે છે અને કહે છે કે, આ સમસ્યા પંજાબી ઘરો માટે ખૂબ સારી છે.

About The Author

Related Posts

Top News

મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કથિત દારૂ કૌભાંડ અને મની લોન્ડરિંગ કેસમાં લાંબા સમયથી જેલમાં રહેલા દિલ્હીના ભૂતપૂર્વ DyCM મનીષ સિસોદિયા અને ભૂતપૂર્વ આરોગ્ય પ્રધાન...
National 
મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈન ફરી મુશ્કેલીમાં, આ વખતે મામલો 2000 કરોડનો

કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

દિલ્હી કેપિટલ્સ (DC) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે 29 એપ્રિલે અરુણ જેટલી સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જ્યાં...
Sports 
કુલદીપે રિંકુ સિંહને 2 વખત લાફા ઝીક્યા, મેચ બાદ થઈ ઘટના, જુઓ વીડિયો

પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

કાશ્મીરના પહેલગામની ઘટના પછી કોંગ્રેસના કેટલાંક નેતાઓ પોતાની જ પાર્ટીની ફજેતી કરી રહ્યા છે. કર્ણાટકના મુખ્યમંત્રી અને સિનિયર નેતા સિદ્ધાર્થ...
National 
પહેલગામની ઘટના પછી કોંગ્રેસ નેતા રાહુલ ટેન્શનમાં કેમ છે?

નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં

આજકાલ નાના બાળકોમાં ચશ્મા પહેરવાની સમસ્યા ઝડપથી વધી રહી છે. પહેલા ચશ્મા પહેરવાનું ઉંમર વધવાની સાથે જોવા મળતું હતું, જ્યારે...
Lifestyle 
નાની ઉંમરમાં જ કેમ વધી રહ્યા છે બાળકોના ચશ્માના નંબર? જાણો કારણો અને નિવારણના પગલાં
Copyright (c) Khabarchhe All Rights Reserved.