વિકી કૌશલના ફિટનેસ પ્લાને ચાહકો સહિત અમિતાભ બચ્ચનને પણ આશ્ચર્યચકિત કરી દીધા

On

પિઝા, બર્ગરનું નામ જ્યારે પણ કોઈના મોઢા પર આવે છે, તો તેના મોઢામાં પાણી આવી જાય છે. પરંતુ આ પ્રકારના જંક ફૂડ ખાવાથી જે વજન વધે છે, તે દુઃખની વાત છે. અભિનેતા વિકી કૌશલને પણ જંક ફૂડ ખાવાનું પસંદ છે. આમ તો છે તો એ પંજાબી, પરંતુ ટેસ્ટ તેનો થોડો ઇટાલિયન ખાવાનો છે. વિકી કૌશલ અને કિયારા અડવાણી, અમિતાભ બચ્ચનના ક્વિઝ શો 'KBC 14'મા જોવા મળવાના છે. હોટસીટ પર બેઠેલા બંને જ કલાકારો તેમના અંગત જીવન સાથે જોડાયેલા કેટલાક કિસ્સાઓ જણાવવાના છે.

મેકર્સ સોશિયલ મીડિયા પર દર્શકો માટે કેટલાક પ્રોમો શેર કરી રહ્યા છે, જેમાંથી એક પ્રોમોમાં વિકી એવું જણાવતા જોવા મળે છે કે, તે એક સમસ્યાથી ઘેરાયેલો છે. તે એ છે કે, પિઝા, બર્ગર ખાધા પછી પણ તેનું વજન વધતું નથી. અમિતાભ બચ્ચન અને કિયારા અડવાણી, વિકીની આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે.

KBC 14ના ફિનાલે એપિસોડમાં અમિતાભ બચ્ચનની સામે વિકી કૌશલે તેના ડાયેટ પ્લાન અને વજન ઘટાડવાની ટિપ્સનો ખુલાસો કર્યો છે. વિકી કૌશલના ફિટનેસ પ્લાને ચાહકો સહિત અમિતાભ બચ્ચનને પણ આશ્ચર્યચકિત કરી દીધા. વિકી કૌશલે અમિતાભ બચ્ચનની સામે કહ્યું, સર પિઝા-બર્ગર ખાધા પછી પણ તેનું વજન વધતું નથી. વિકીના ડાયટનું સિક્રેટ જાણીને કિયારા અડવાણીનું મોં ખુલ્લુ જ રહી ગયું.

વિકી કૌશલ કેવી રીતે કરે છે ડાયટ મેન્ટેન?

વિકી કૌશલે KBCના સ્ટેજ પર જણાવ્યું કે, 'તેની એક સુંદર સમસ્યા છે જેમાં તેનું વજન વધતું જ નથી.' વિકીની વાત સાંભળ્યા પછી અમિતાભ બચ્ચન સહિત કિયારા અડવાણી ચકિત રહી ગયા. વિકી KBCના સ્ટેજ પર કહે છે કે, 'તે બર્ગર-પિઝા ખાઈને પણ વજન ઘટાડી શકે છે'. વિકીની આ વાત સાંભળ્યા પછી, અમિતાભ બચ્ચનની પાસે કોઈ જવાબ નથી રહી જતો અને તે ઓડિયન્સની તરફ જોવા લાગી જાય છે.

વિકી કૌશલને જ્યારે અમિતાભ બચ્ચને પૂછ્યું, 'વજન વધારવા માટે શું કરો છો.' આ અંગે વિકી કૌશલ કહે છે કે, 'તે ખૂબ જ બોરિંગ ફૂડ ખાય છે. જેમ કે બધુ ગ્રિલ્ડ ખાવાનું છે.' વિકીની આ વાતને સાંભળ્યા પછી અમિતાભ બચ્ચનનું માથું ફરવા લાગે છે.

જીમમાં જઈને વિકી વધારે છે વજન

વિકી કૌશલ KBCના મંચ પર કહે છે, 'લોકો જીમમાં જઈને વજન ઘટાડે છે, પરંતુ તેમણે જિમમાં વજન વધારવા માટે જવું પડે છે.' અમિતાભ બચ્ચન વિકીની વાતોને સાંભળ્યા પછી હસી પડે છે અને કહે છે કે, આ સમસ્યા પંજાબી ઘરો માટે ખૂબ સારી છે.

Related Posts

Top News

તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

આગ્રામાં તાજમહેલના રોયલ ગેટ પર રવિવારે મધપૂડો તૂટવાને કારણે પર્યટકોમાં અફરાતફરી મચી ગઈ હતી. મધમાખીઓએ પર્યટકો પર હુમલો કર્યો હતો,...
National 
તાજમહેલમાં ફરી રહેલા પર્યટકો પર મધમાખીના હુમલાથી અફરાતફરી, ASIની ભૂલથી થઈ ઘટના

સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

(ઉત્કર્ષ પટેલ) જીવન એક એવી યાત્રા છે જેમાં આપણે દરેક પગલે પસંદગીઓ કરીએ છીએ. આ પસંદગીઓ આપણાં કર્મો નક્કી કરે...
Lifestyle 
સારા કર્મો કરો, કાળ પણ તમારી રક્ષા કરશે

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 18-03-2025 દિવસ: મંગળવાર મેષ: આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. તમે વ્યવસાયિક ક્ષેત્રો સાથે સંબંધિત લોકો સાથે સંપર્ક...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો

ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો ગુજરાતનો જોઇન્ટ ડાયરેકટર અને કલાસ-1 અધિકારી 25,000વી લાંચ લેતા રંગે હાથે પકડાઇ ગયો છે. ફરિયાદીને ફુડ...
Gujarat 
ગુજરાત ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટીનો જોઇન્ટ ડાયરેક્ટર 25000ની લાંચ લેતા પકડાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.