મિસ યુનિવર્સ હરનાઝ સંધુનું આ અજીબ રોગના કારણે વધી રહ્યું છે વજન

મિસ યુનિવર્સ હરનાઝ સંધૂ  પોતાના વધતા વજનને લઈને ઈન્ટરનેટ પર ચર્ચામાં છે. જોકે,  પંજાબી કુડી પહેલા પણ ઘણા કારણોસર ચર્ચામાં રહી છે પરંતુ, આ વખતે તે બોડી શેમિંગનો શિકાર બની ગઈ છે. તેણે હાલમાં જ લેક્મે ફેશન વીકમાં રેમ્પ વોક કર્યું. ત્યારબાદ જ્યારે આ શોનો ફોટો વાયરલ થયો તો લોકોએ તેના વધતા વજનને લઈને તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ. હવે હરનાઝે પોતાના વધતા વજનની પાછળનું કારણ જણાવ્યું છે. તેણે જણાવ્યું છે કે, લોકો તેના વજનને લઈને ઘણા પ્રકારની ખોટી માહિતી શેર કરી રહ્યા છે. તેણે જણાવ્યું કે, ઘણા લોકો નથી જાણતા કે મને ગ્લૂટેનથી એલર્જી છે અને મને સીલિએક રોગ છે. હરનાઝને આ રોગ જન્મથી છે. તેને એક ખાસ પ્રકારના પ્રોટીની એલર્જી છે, જે ઘઉં, જવ અને રાઈમાં ભરપૂર માત્રામાં મળી આવે છે.

આ રોગના કારણે હરનાઝ ઘઉંના લોટની રોટલી પણ નથી ખાઈ શકતી. આ બીમારીમાં જાગૃતતા ના હોવાના કારણે જ્યાં સુધી આ બીમારી પોતાની અંતિમ અવસ્થામાં ના પહોંચી જાય ત્યાં સુધી ઘણા લોકોને તે અંગે જાણ જ નથી થતી. તમે પણ જાણી લો આ રોગ વિશે.

 

View this post on Instagram

A post shared by Miss Universe (@missuniverse)

સીલિએક રોગ શું છે?

સીલિએક રોગ એક ઓટોઈમ્યૂન સ્થિતિ છે, જેમા પ્રભાવિત વ્યક્તિની પોતાની પ્રતિરક્ષા પ્રણાલી શરીર વિરુદ્ધ કામ કરે છે. આ ઓટોઈમ્યૂન પ્રતિક્રિયા ત્યારે શરૂ થાય છે જ્યારે કોઈ ગ્લૂટેન ખાય છે. સીલિએક રોગથી કુપોષણ, હાડકાંના ઘનત્વમાં ઉણપ, પ્રજનન સંબંધી સમસ્યા, તંત્રિકા સંબંધી રોગ અને ક્યારેક-ક્યારેક કેન્સર પણ થઈ જાય છે.

View this post on Instagram

A post shared by Harnaaz Kaur Sandhu (@harnaazsandhu_03)

તેના લક્ષણો

સીલિએક રોગના લક્ષણોમાં ડાયરિયા, કબજિયાત, પગમાં સુન્નતા, માસિક ધર્મ ઓછું આવવુ, એનીમિયા, વાંઝિયાપણું, ઓસ્ટિયોપોરોસિસ, દાંતનું મલિનિકરણ, પેટમાં દુઃખાવો, સોજા, માંસપેશિઓમાં દુઃખાવો, સાંધામાં દુઃખાવો અને ખંજવાળ વગેરે સામેલ છે.

હરનાઝે હાલમાં કહ્યું હતું કે, પહેલા તેની પાતળાપણાને લઈને મજાક ઉડાવવામાં આવતી હતી અને હવે વધતા વજનના કારણે. મારા સીલિએક રોગ વિશે કોઈ નથી જાણતું. હું ઘઉંનો લોટ અને ઘણી અન્ય વસ્તુઓ નથી ખાઈ શકતી. 

View this post on Instagram

A post shared by Harnaaz Kaur Sandhu (@harnaazsandhu_03)

તમને આ રોગ છે તે અંગે કઈ રીતે જાણકારી મળશે?

જો તમે લાંબા સમય સુધી ફૂલેલું શરીર, કબજિયાત, પેટ ખરાબ, કારણ વિના વજન ઘટવાનો અનુભવ કરી રહ્યા હો તો તમારે તમારા ભોજનની તપાસ કરાવવી જોઈએ અને ડૉક્ટર સાથે સંપર્ક કરવો જોઈએ. વિશેષજ્ઞોનું કહેવુ છે કે, સીલિએક રોગ આનુવંશિક છે, જેનો અર્થ છે કે જો તમારા પરિવારમાં કોઈને આ રોગ હશે, તો તમને રોગ થવાની સંભાવના વધુ છે. સીલિએક રોગ ઉંમર અને લિંગની પરવાહ કર્યા વિના તમામને પ્રભાવિત કરે છે. અધ્યયનો અનુસાર, પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં આ રોગ વધુ હોય છે.

About The Author

Related Posts

Top News

સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

બાળકો ત્યજી દેવાની ઘટનાઓ ખૂબ જ ચોંકાવનારી અને  ચિંતાજનક હોય છે. અવારનવાર તમે આવી ઘટનાઓ સમાચારોમાં સાંભળી હશે અથવા થોડા...
Gujarat 
સુરત પોલીસે ત્યજી દેવાયેલી નવજાત બાળકીની છઠ્ઠી વિધિ ઉજવી; નામ રાખ્યું- ‘હસ્તી’

રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બિહારના રસ્તાઓ પર ખાડા હોવાની જાણ કરનાર કોઈપણ વ્યક્તિને 5000 રૂપિયા મળશે. આ નવી યોજના 15 ફેબ્રુઆરી બાદ લાગૂ કરવામાં...
Politics 
રસ્તા પર ખાડા હોવાની જાણ કરનારને મળશે રૂ. 5000, આ રાજ્યમાં આવી રહી છે નવી સ્કીમ

બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ઉત્તર પ્રદેશના રાયબરેલીમાં બજરંગ દળના જિલ્લા સંયોજકે પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા છે. વિનોદ મૌર્યનો આરોપ છે કે, પોલીસે...
National 
બજરંગ દળના નેતાને UP પોલીસે આખી રાત પોલીસ સ્ટેશનમાં ધાબળો ઓઢાડી ખૂબ માર્યા; મંત્રી અને ધારાસભ્યએ વિરોધ પ્રદર્શન કર્યું

ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ

સામાન્ય રીતે સત્તા પક્ષ અને વિપક્ષના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવતા રહેતા હોય છે. વિપક્ષના નેતાઓ રાજયમાં બનતી કેટલીક ઘટનાઓને...
Gujarat 
ભાજપના MLAએ ચૈતર વસાવા અને અનંત પટેલને સિંહ કહ્યા, સભામાં હાજર BJPના કાર્યકરો અને હોદ્દેદારો પણ સ્તબ્ધ
Copyright (c) Khabarchhe All Rights Reserved.