‘રામાયણ’ ટેલિકાસ્ટ કરવા 2 વર્ષ સુધી રામાનંદ સાગરને સરકારી ઓફિસોમાં દોડવું પડેલું

પૌરાણિક શૉ ‘રામાયણ’ રામાનંદ સાગરનો સૌથી સક્સેસફૂલ શૉ રહ્યો. આ શૉએ વર્ષ 1987માં એ હદ સુધીની પોપ્યુલરિટી હાંસલ કરી કે તેના બધા પાત્રોને રિયલ લાઇફમાં પણ રામ-સીતા કહીને પૂજા થવા લાગી. આજે પણ લોકો વચ્ચે આ શૉના બધા પાત્રોને તેમના અસલી નામથી વધારે તેમના ઓનસ્ક્રીન રોલથી જાણે છે. પરંતુ શું તમે જાણો છો કે, 80ના દશકમાં નાના પરદા પર ધૂમ મચાવનાર આ પૌરાણિક શૉને દૂરદર્શન પર ટેલિકાસ્ટ કરવા માટે રામાનંદ સાગરને 2 વર્ષ સુધી સરકારી ઑફિસોના ચક્કર લગાવવા પડ્યા હતા.

જી હાં, બરાબર સાંભળ્યું, રામાનંદ સાગરના પુત્ર પ્રેમ સાગરે પોતાના પુસ્તક ‘અન એપિક લાઇફ: રામાનંદ સાગર ફ્રોમ બરસાત ટૂ રામાયણ’માં જણાવ્યું હતું કે, રામાનંદ સાગર માટે દૂરદર્શન ચેનલ પર ‘રામાયણ’નું ટેલિકાસ્ટ કરાવવાનું સરળ નહોતું. તેના પર રોક લગાવવા માટે દૂરદર્શનના માલિકથી લઈને સરકાર સુધી, બધાએ ભરપૂર પ્રયાસ કર્યો. કોઈને પણ રામાનંદ સાગરનો શૉ બનાવવાનો આઇડિયા પસંદ આવ્યો નહોતો. રામાનંદે ‘રામાયણ’ના 3 પાયલટ એપિસોડ બનાવ્યા હતા અને ત્રણેય રિજેક્ટ કરી દેવામાં આવ્યા.

એક સમય એવો હતો કે રામાનંદ પરેશાન થઈ ગયા હતા. એક તો તેમનો સમય જઈ રહ્યો હતો અને ઉપરથી પૈસા ખર્ચ થઈ રહ્યા હતા. જો કે, રામાનંદ હાર માનનારાઓમાંથી નહોતા. તેમણે આ પ્રોજેક્ટને પાસ કરાવવા માટે ખૂબ અપમાન સહ્યું, લોકોએ ‘રામાયણ’ના ડાયલોગ્સનું મજાક બનાવ્યું. તેમને ઓફિસોમાં કલાકો સુધી ઊભા રહેવું પડ્યું, પરંતુ તેઓ પોતાના સપના માટે અડગ રહ્યા. તેમની મહેનત ત્યારે રંગ લાવી, જ્યારે દૂરદર્શને આ પ્રોજેક્ટ પાસ કર્યો.

રામાનંદ સાગરે રાહતના તો શ્વાસ લીધા હતા, પરંતુ તેમની મુશ્કેલી અહી જ ઓછી થઈ નહોતી. તેમના માટે આગામી પડકાર સરકારને મનાવવાનું હતું. 2 વર્ષ સુધી રામાનંદ સરકાર અને દૂરદર્શનને માનવતા રહ્યા. દૂરદર્શને માન્યું, પછી સરકારને માનવવ માટે રામાનંદ નીકળી પડ્યા. પછી એક સમય આવ્યો, જ્યારે તેમનું સપનું પૂરું થયું. જ્યારે વર્ષ 1986માં સૂચના અને પ્રસારણ મંત્રીની ખુરશી પર અજીત કુમાર પાંજા બેઠા હતા તો તેમણે રામાનંદ સાગરના આ પ્રોજેક્ટને લીલી ઝંડી દેખાડી દીધી અને પછી વર્ષ 1987માં તેનું ટેલિકાસ્ટ શરૂ કરવામાં આવ્યું.

એ સમયે રામયણે સક્સેસના બધા રેકોર્ડ પણ તોડી દીધા હતા. ઘર-ઘરમાં નક્કી સમય પર લોકો બધુ કામ છોડીને ટી.વી. પર ‘રામાયણ’ જોવા બેસું જતા હતા. જેમની પાસે ટી.વી. નહોતું, તેઓ બીજાના ઘરમાં બેસીને આ શૉનો લુપ્ત ઉઠાવતા હતા. વર્ષ 2020માં કોરોના વાયરસના કારણે જ્યારે આખા દેશમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું ત્યારે પણ રામાયણનું ટેલિકાસ્ટ થયું અને આ શૉ એ સમયે પણ સૌથી વધુ જોવાતા પૌરાણિક શૉની લિસ્ટમાં સામેલ થઈ ગયો હતો.

About The Author

Related Posts

Top News

સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા પ્રેક્ટિસ મેચ રમી રહી છે. આ મેચ ઈન્ડિયા A અને મુખ્ય ટીમ વચ્ચે...
Sports 
સરફરાઝ ખાને પહેલા 92 રન બનાવ્યા, પછી ફટકારી સદી, હવે સિલેક્ટરોને શું જોઈએ છે?

રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

રાજા રઘુવંશી કેસમાં હવે શિલોંગ પોલીસે મોટી ચોખવટ કરી છે કે, રાજા રઘુવંશી હત્યા કેસમાં રાજ કુશવાહ માસ્ટર માઇન્ડ...
National 
રાજા રઘુવંશી કેસમાં રાજ માસ્ટર માઇન્ડ હતો સોનમે...

પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

ઉત્તર પ્રદેશના બાગપત જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક મહિલાએ તેના પતિ પર ધાર્મિક માર્ગથી ભટકી...
National 
પતિએ 'ફરમાન'ના કહેવાથી ઈદ ઉજવવાનું શરૂ કર્યું, પત્નીએ કહ્યું- અજયે મંદિર જવાનું બંધ કર્યું, ડર છે કે...

કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી

ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે તેની ધરતી પર પાંચ મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે, જેના માટે ભારતીય...
Sports 
કેપ્ટન ગિલ પાસેથી કોચ ગંભીરને કોઈ અપેક્ષા નથી! ગૌતમે તેને ફક્ત મુક્તપણે રમવાની સલાહ આપી
Copyright (c) Khabarchhe All Rights Reserved.