મનોજ કુમારે ઈન્દિરા ગાંધીની સરકાર પર કેમ કર્યો હતો કેસ, જાણો તેનું શું પરિણામ આવ્યું હતું?

દિગ્ગજ એક્ટર મનોજ કુમારનું નિધન થઇ ગયું છે. તેમણે પોતાની ફિલ્મો અને એક્ટિંગથી દર્શકોના દિલ જીતી લીધા હતા. મનોજ કુમાર એવા અભિનેતા રહ્યા છે, જેમણે પોતાની ફિલ્મો દ્વારા દેશભક્તિ અને સામાજિક સંદેશ આપ્યો છે. તેમના નિધનથી હિન્દી સિનેમાના એક દિગ્ગજ જતા રહ્યા, પરંતુ તેમની ફિલ્મોની છાપ હંમેશાં લોકોના દિલમાં રહેશે. મનોજ કુમારના સાહસિક વલણના ઘણા કિસ્સા સાંભળવા મળે આવે છે, પરંતુ એક કહાની એવી છે જે ઇન્દિરા ગાંધી સાથે જોડાયેલી છે. આ ઘટના એ સમયની છે, જ્યારે મનોજ કુમારે ઈન્દિરા ગાંધીની ઈમરજન્સીનો ઉગ્ર વિરોધ કર્યો હતો.

manoj-kumar
economictimes.indiatimes.com

શરૂઆતના તબક્કામાં ઈન્દિરા ગાંધી અને મનોજ કુમાર વચ્ચે બધુ બરાબર હતું, પરંતુ જ્યારે તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ ઈમરજન્સીની જાહેરાત કરી ત્યારે થોડી જ વારમાં બધું બદલાઈ ગયું. એ સમયે ફિલ્મી કલાકારો ઇમરજન્સીનો વિરોધ કરી રહ્યા હતા, તેમને બેન કરી દેવામાં આવ્યા હતા. આ સ્ટાર્સની ફિલ્મો રીલિઝ થતા જ તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવતો હતો, પરંતુ મનોજ કુમાર એવા હિંમતવાન એક્ટર હતા, જેમણે ખુલીને ઈમરજન્સીનો વિરોધ કર્યો હતો. તો તેમની ફિલ્મો પર પણ બેન લાગવાના ચાલૂ થઇ ગયા હતા. મનોજ કુમારની ફિલ્મ 'દસ નંબરી' રીલિઝ થઈ તો તેના પર સૂચના અને પ્રસારણ મંત્રાલયે પ્રતિબંધ લગાવી દીધો હતો. ત્યારબાદ જ્યારે 'શોર' રીલિઝ થઈ ત્યારે પણ કંઈક આવું જ જોવા મળ્યું હતું.

manoj-kumar1
moneycontrol.com

'શોર'ના ડિરેક્ટર અને પ્રોડ્યૂસર બંને મનોજ કુમાર હતા. એવામાં, સિનેમાઘરોમાં પ્રતિબંધ બાદ, તે સમયે ફિલ્મને તરત જ દૂરદર્શન પર રીલિઝ કરી દેવામાં આવી હતી. આ કારણે, કમાણી બિલકુલ ન થઈ અને રીલિઝ બાદ તેમને ભારે નુકસાન થયું હતું. હવે મનોજ કુમાર પાસે કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નહોતો. તેણે કોર્ટનો દરવાજો ખખડાવ્યો અને ઘણા અઠવાડિયાઓ સુધી કોર્ટના ચક્કર લગાવ્યા. જો કે મનોજ કુમારને તેનો ફાયદો થયો અને નિર્ણય તેમના પક્ષમાં આવ્યો. એટલે, તેમના માટે એમ પણ કહેવામાં આવે છે કે તેઓ દેશમાં એકમાત્ર એવા એક્ટર છે જેમણે સરકાર સામે કેસ જીત્યો છે. જો કે મનોજ કુમારને પાછળથી સરકારે ઈમરજન્સી પર ફિલ્મ બનાવવા કહ્યું હતું, પરંતુ તેમણે તે ઓફર ફગાવી દીધી હતી.

manoj-kumar4
hindustantimes.com

આટલું જ નહીં, જ્યારે મનોજ કુમારને માહિતી અને પ્રસારણ તરફથી ફોન આવ્યો કે, શું તેઓ ઈમરજન્સી પર બની રહેલી ડોક્યૂમેન્ટ્રીનું નિર્દેશન કરશે, તો તેમણે સ્પષ્ટ ના પાડી દીધી હતી. જ્યારે તેમને ખબર પડી કે, તેની સ્ક્રિપ્ટ કોઇ બીજું નહીં, પરંતુ તે સમયના પ્રખ્યાત લેખિકા અમૃતા પ્રીતમ લખી રહ્યા છે, ત્યારે તેમણે ગુસ્સામાં અમૃતા પ્રિતમને ફોન કરી દીધો. એને તેમણે અમૃતા પ્રીતમને સીધું જ પૂછી લીધું કે, શું તેઓ વેંચાઈ ચૂક્યા છે? મનોજ કુમારના મોઢેથી આવી વાતો સાંભળીને અમૃતા પણ ઉદાસ થઈ ગયા અને કહેવાય છે કે મનોજ કુમારે તેમને એમ પણ કહ્યું હતું કે, તેમણે આ ડોક્યૂમેન્ટ્રીની સ્ક્રિપ્ટ ફાડી દેવી જોઈએ.

About The Author

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 21-05-2025 દિવસ: બુધવાર મેષ: તમારો વધતો ખર્ચ આજે તમારા માટે પરેશાનીનું કારણ બનશે, પરંતુ તમારે તેના માટે તમારા જમા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું
Copyright (c) Khabarchhe All Rights Reserved.