ગટરમાં ઉતરી સફાઇ કરવામાં છેલ્લા 3 વર્ષમાં 16 કામદારોના મોત, સૌથી વધુ સુરતમાં

ગુજરાતના શહેરી વિસ્તારોમાં ગટરના કામો મશીનરીથી કરવાનો અદાલતનો આદેશ હોવા છતાં હજી પણ મ્યુનિસિપલ અને મ્યુનિસિપાલિટીના વિસ્તારમાં કામદારોને સફાઇ માટે ગટરમાં ઉતારવામાં આવી રહ્યાં છે. આવી ઘટનાઓમાં સુરત અને અમદાવાદ ટોચક્રમે છે છતાં શહેરના વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવતા નથી, જ્યારે કોઇ ઘટના બને છે ત્યારે જવાબદારો સામે માત્ર ગુનો દાખલ કરવામાં આવતો હોય છે.

ચોંકાવનારી બાબત એવી છે કે ગુજરાત હાઇકોર્ટના ચૂકાદા પછી રાજ્યના ચાર વિભાગોએ આદેશ બહાર પાડીને સ્પષ્ટ સૂચના આપી છે કે ગટરની સફાઇના કામ માટે કોઇપણ કામદારને અંદરમાં ઉતારવા નહીં પરંતુ મશીનરીના અભાવે કામદારોને સફાઇનનું કામ સોંપવામાં આવે છે પરિણામે ગંભીર દુર્ઘટના બને છે.

સામાજીક અધિકારિતા વિભાગના ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે અદાલતના ચૂકાદા અને સરકારના આદેશ છતાં કામદારોને ગટરમાં ઉતારવાની કામગીરી ચાલુ છે. સરકારના શહેરી વિકાસ, શહેરી ગૃહ નિર્માણ, પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ તરફથી માર્ગદર્શક સૂચનાઓ આપવામાં આવેલી છે છતાં નાના-મોટા શહેરોમાં કરૂણ ઘટનાઓ સામે આવે છે.

તેમણે કહ્યું હતું કે છેલ્લા ત્રણ વર્ષમાં સુરતમાં સાત, અમદાવાદમાં ચાર, અમરેલીમાં બે, સાબરકાંઠામાં એક, સુરેન્દ્રનગરમાં એક અને રાજકોટમાં એક કામદારનું ઝેરી ગેસના કારણે મોત થયાં છે. આ કામદારો ગટરની સફાઇ કરવા માટે ગટરલાઇનમાં ઉતર્યા હતા અને ગૂંગળાઇ જવાથી મોતને ભેટ્યાં હતા.

રાજ્યના પંચાયત વિભાગે તેના આદેશમાં કહેલું છે કે જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતના સફાઇ કામદારો મારફત ભૂગર્ભ ગટરની સફાઇની કામગીરી કરાવવી નહીં, કારણ કે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેરી વિકાસ વિભાગે પણ કહ્યું છે કે રાજ્યના મહાનગર તેમજ પાલિકા વિસ્તારમાં કામદારોને ભૂગર્ભ ગટરમાં ઉતારવા નહીં, જ્યારે શહેરી ગૃહ નિર્માણ વિભાગના આદેશ પ્રમાણે આવી પ્રવૃત્તિ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

Related Posts

Top News

50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

ક્રિકેટમાં ઘણીવાર એકતરફી મેચ જોવા મળે છે, પરંતુ કેટલીક મેચમાં સંઘર્ષ એટલો બધો થઇ જાય છે કે તેના પર...
Sports 
50 ઓવરની મેચ ફક્ત 5 બોલમાં સમાપ્ત થઈ ગઈ... 49 ઓવર બાકી રહેતા ટીમ જીતી ગઈ

'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પુણે કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો છે કે, તેમના જીવને ગંભીર જોખમ છે. આ...
National 
'સાવરકર પરના મારા નિવેદનને કારણે મારો જીવ જોખમમાં', રાહુલે ગાંધીજીનો ઉલ્લેખ કરતા કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન ન થવા દો

E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનોથી થતા એર પોલ્યુશનને રોકવા અને ફ્યુલના ભાવો ઘટાડવા માટે દુનિયાભરની સરકારો ઇથેનોલ બ્લેન્ડેડ ફ્યુઅલ પર કામ કરી...
Tech and Auto 
E20 પેટ્રોલથી ગાડીની એવરેજ ઘટવાની વાત ખોટી છેઃ નીતિન ગડકરી

તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે

બિહારના ભૂતપૂર્વ DyCM તેજસ્વી યાદવ છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચ પર સંપૂર્ણ પ્રહાર કરી રહ્યા છે. જ્યારથી બિહારમાં SIR પ્રક્રિયા...
National 
તેજસ્વીએ એવું કેમ કહ્યું કે- ‘ગુજરાતના લોકો બિહારના મતદારો બની રહ્યા છે’; BJPનું આ ષડયંત્ર સમજવું પડશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.