ગામના 8 લોકોને કેન્સરની બીમારી થતા 21 વર્ષથી ગુજરાતના આ આખા ગામે છોડ્યું વ્યસન

હાલના આ દેખાદેખીના યુગમાં વ્યસન કરવું એ જાણે ફેશન બની ગયું છે. હાલના સમયમાં તમે ગમે તે સ્થળે જાઓ તમને ત્યાં કોઇને કોઇ તો વ્યસની મળી જ જશે. પરંતુ ગુજરાતનું એક ગામ એવું છે કે જ્યાં આખા ગામમાં કોઇ પણ વ્યકિત વ્યસન કરતું નથી. જી હા, કદાચ આ વાત સાંભળીને તમને આશ્ચર્ય થશે. પણ આ વાત સાચી છે. ગુજરાતનાં મહેસાણા જિલ્લામાં આશરે 6 હજારની વસ્તી ધરાવતા વડનગરના બાદરપુર ગામમાં નાનાથી લઈને મોટા સુધી સૌ કોઇ વ્યસનથી જાણે 100 ડગલાં દૂર રહે છે. આ ગામમાં છેલ્લા 21 વર્ષથી ગુટખા-તંબાકુના વેચાણ પર પ્રતિંબંધ છે. અને પોતાના આ નિર્ણયને કારણે આ ગામ કોઇ મંદિર, મસ્જિક કે પ્રવાસન સ્થળથી નહીં પણ પોતાના અડીખમ નિર્ણયથી ઓળખાય છે.

છેલ્લા 21 વર્ષથી વ્યસન નહીં કરવાના નિર્ણય પર અડગ છે ગામ

મહેસાણાથી 35 કિલોમીટર દૂર આવેલા વડનગરના બાદરપુર ગામમાં તમામ જ્ઞાતિ-જાતિના લોકો એકસંપ થઇને રહે છે. આખે-આખા ગામને વ્યસન મુક્ત કરવું એ કોઈ નાનો નિર્ણય નથી પણ ચોક્કસ આને ઐતિહાસિક નિર્ણય કહી શકાય. વર્ષ 1997 આસપાસ આ ગામના એક યુવાનનું વ્યસનના કારણે અકાળે મૃત્યુ થયું હતું. વ્યસનના કારણે આ યુવકનું ગંભીર બીમારીથી મોત નિપજયા બાદ વર્ષ 1997થી 2001ના સમયગાળામાં ગામના 8 જેટલા લોકોને કેન્સરની બીમારી થઈ હોવાનું સામે આવતા ગામના સરપંચ ગુલામ હૈદરે આખા ગામના લોકોને ભેગયા કર્યા અને એક નિર્ણય લીધો. અને આ નિર્ણય એ હતો કે, આજ પછી ગામમાં કોઇએ વ્યસન કરવું નહીં તેમજ કોઇ પણ પ્રકારના ગુટખા, તંબાકું અને બીડી જેવી વસ્તુંનું વેચાણ પણ કરવું નહીં.

સરપંચ દ્વારા સંભળાવવામાં આ નિર્ણયને આખા ગામે વધાવી લીધો. ત્યારબાદ બીજા દિવસે જેટલી ગામમાં જેટલી દુકાનો પર ગુટખા, તંબાકુની વસ્તુઓ હતી એ બધી વસ્તુઓ ગામલોકોએ ખરીદી લીધી અને તેની હોળી કરી દીધી. ત્યારથી લઈને આજ સુધી કોઇ પણ પ્રકારની દંડકીય કાર્યવાહી વગર આજે 21 વર્ષ બાદ પણ બાદરપુર ગામ પોતાના અડિખમ નિર્ણય પર અડગ છે.

સરપંચના આ નિર્ણય બાદ ગામના ખેડૂતોએ પણ તંબાકુની ખેતી કરવાનું બંધ કરી દીધું અને ગામને આ વ્યસનની જાળમાંથી બહાર લાવવામાં મદદ કરી. આ સાથે જ ગામમાં જ્યારે આ નિર્ણય લેવામાં આવ્યો ત્યારે આશરે 40 જેટલી દુકાનો હતી. જે નિર્ણય બાદ આ દુકાનોમાંની અડધી દુકાનો બંધ થઇ ગઇ છે.

રોજની 25 બીડી પીતા આ ગામના વૃદ્ધે એક ઝાટકે છોડી દીધી બીડી

રિપોર્ટ મુજબ ગામમાં વસવાટ કરતા 80 વર્ષીય હબીબભાઈનું કહેવું છે કે, મારી 15 વર્ષની ઉમરથી જ હું બીડી પીતો હતો. મને રોજની 25 બીડી પીવા જોઈતી હતી. પરંતુ ગામજનો દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય બાદ મે પણ બીડી પીવાનું છોડી દીધું છે. બીડી ન છોડવી મારા માટે ઘણી મુશ્કેલ હતી પણ મે છોડી દીધી. આ સાથે જ તેઓ કહે છે કે તમાકુ એક ઝેર છે અને ઝેર જેવું કામ કરે છે.

આ ઐતિહાસિક નિર્ણયને સાંભળીને ગામની બહારથી આવતા લોકો ચોંકી જાય છે

બાદરપુર ગામમાં જો કોઇ વ્યક્તિ બહારથી આવ્યો હોય અને તે દુકાન પર જઇને તંબાકુ કે ગુટખા માંગે તો દુકાનદાર તરફથી જવાબ મળે છે કે, અહીં આવું કઇ નહીં મળે. આ જવાબ સાંભળીને ઘણા લોકો ચોંકી જાય છે. અને જો તેમને વ્યસન વીના ચાલે એમ જ ન હોય તો બાજુના ગામમાં લેવા જવું પડે છે ગ્રામજનોના આ અડગ નિર્ણય પાછળનો હેતુ એટલો જ છે કે, ગામના એક-એક યુવક નિરોગી રહે. આ સાથે જ ગ્રામજનો ઇચ્છી રહ્યાં છે કે, યુવાનોના હિત માટે આવા નિર્ણય દરેક ગામે લેવા જોઇએ.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.