અંબાલાલ અને પરેશ ગોસ્વામીના મતે ગુજરાતમાં આ તારીખ સુધી રહેશે વરસાદી માહોલ

On

અત્યારે દેશભરમાં ઉનાળો ચાલી રહ્યો છે, પરંતુ ગુજરાતમાં કમૌસમી વરસાદ વરસી રહ્યો છે. તેને લઈને ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. તો ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહેશે તેને લઇને હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં 17 મે સુધી વરસાદ પડે તેવી સંભાવના છે. ત્યારબાદ ફરી રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. ગુજરાતના વાતારણને લઇને હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે જણાવ્યુ કે, આગામી 16 મે સુધીમાં હજુ પણ પ્રી-મોનસુન એક્ટિવિટી થશે.

ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની સંભાવના રહેશે. એ સિવાય 19 મે સુધીમાં પ્રી-મોનસુન એક્ટિવિટી થશે. વાવાઝોડનું પ્રમાણ વધારે રહેશે. 17 મે બાદ અકળાવી મુકનારી ગરમી પડશે. મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન 43-44 ડિગ્રી જેવું થવાની સંભાવના રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી છે. બનાસકાંઠા, પાલનપુર ડીસા, કાંકરેજ, રાધનપુર વગેરેમાં વોવાઝોડાનુ પ્રમાણ વધારે રહેશે. કચ્છના ભાગોમાં પવનની ગતિ વધારે રહેશે. 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે.

અંબાલાલ પટેલે જણાવ્યુ કે, મે મહિનાના અંતમાં પણ પ્રી-મોનસુન એક્ટિવિટી થવાની સંભાવના રહેશે. 24 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રનો વરસાદ ગુજરાતના ઘણા ભાગોમાં થવાની સંભાવના રહેશે. 16 મે બાદ બંગાળના ઉપસાગરમાં લગભગ 24 મે સુધીમા અંદમાન નિકોબારમાં ચોમાસું બેસી જવાની સંભાવના રહેશે. આ વર્ષે ચોમાસુ વહેલું બેસી જવાની સંભાવના રહેશે. મે મહિનાના અંતમાં અને જૂન મહિનાની શરુઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સક્રિય થઇ શકે છે.

પશ્ચિમ મહાસાગર અન્ય મહાસાગરો કરતા ગરમ રહેશે. જેના કારણે ચક્રવાત સર્જાવાની સંભાવના રહેશે. મૃગશિર્ષ નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવના રહેશે. ચોમાસાની શરુઆતનો વરસાદ પણ ભારે વાવાઝોડા સાથે પડવાની સંભાવના રહેશે. વાવાઝોડાના કારણે બાગાયતી પાકો પર અસર થશે અને વિષમ હવામાનની વિપરિત અસરના કારણે શાકભાજીના પાકોમાં રોગ આવવાની સંભાવના વધારે રહેશે.

તો ગુજરાતના જાણીતા હવામાન હજુ પણ પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં 16 મે સુધીમાં ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે. તેની સાથે તેમણે મે મહિનાની 17 તારીખથી ભયંકર ગરમી પડશે તેવી પણ આગાહી કરી છે. 15 તારીખે વરસાદની તીવ્રતા વધશે. આજે ગુજરાતને અડીને આવેલા મધ્ યપ્રદેશ અને મહારાષ્ટ્રની બોર્ડર પાસેના વિસ્તારોમાં વરસાદની ગતિમાં ઘટાડો નોંધાશે, પરંતુ બીજી તરફ વરસાદી સિસ્ટમ ઉત્તર પશ્ચિમ તરફ ખસી રહી છે. જેના કારણે સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં અને રાજસ્થાનથી લઇને અરબ સાગરના ઉભા પટ્ટામાં વરસાદની ગતિમાં વધારો નોંધાવાની સંભાવના છે.

Top News

વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

આજે આપણે વાત કરીએ એક એવા સમાજસેવકની જે ધરાતલ પર સમાજસેવા અને લોકસંપર્ક કરે છે.  આજના સોશિયલ મીડિયાના યુગમાં જ્યાં...
Politics 
વિવેક પટેલ: એક એવા ભૂતપૂર્વ ધારાસભ્ય જે પ્રસિદ્ધિથી દૂર બસ કામમાં વ્યસ્ત રહે છે

એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

PM નરેન્દ્ર મોદી 30 માર્ચે નાગપુરમાં RSS મુખ્યાલયની મુલાકાત લેશે. 2014માં PM બન્યા પછી આ પહેલી વાર હશે, ...
National 
એક PM તરીકે નરેન્દ્ર મોદી પહેલીવાર નાગપુર મુખ્યાલયમાં RSS નેતાઓ સાથે બેઠક કરી શકે છે!

સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 17 વર્ષથી વીરાંજલિ સમિતિ દ્વારા ગુજરાતના અલગ અલગ સ્થળો પર વીરાંજલિ નામે કાર્યક્રમો યોજી 23મી માર્ચે શહીદ દિન ઉજવવામાં...
Gujarat 
સાણંદમાં 23મી માર્ચે ભવ્ય વીરાંજલિ કાર્યક્રમ, 100થી વધુ કલાકારો ક્રાંતિવીરોની શોર્ય ગાથાને રજૂ કરશે

છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે રાજ્યસભામાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે તેમણે રેલવેમાં ભરતીને લઈને ભ્રામક નિવેદનો ન આપવા...
National  Politics 
છેલ્લા 10 વર્ષમાં રેલવેએ કેટલા લોકોને આપ્યો રોજગાર, કેટલી ભરતી પ્રોસેસમાં છે? અશ્વિની વૈષ્ણવે આપી જાણકારી
Copyright (c) Khabarchhe All Rights Reserved.