રાજકોટ એરપોર્ટ પર દિલ્હી જેવું થયું, વરસાદને કારણે પીકઅપ એરિયાની કેનોપી પડી

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર શનિવારે મોટી દુર્ઘટના ટળી હતી. અહીં પણ દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 જેવી દુર્ઘટના ટળી હતી. હિરાસરના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ટર્મિનલની બહાર પેસેન્જર પીકઅપ-ડ્રોપ એરિયાની ઉપરની કેનોપી તૂટી પડી હતી. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી. PM મોદીએ જુલાઈ 2023માં રાજકોટ એરપોર્ટના નવા ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કર્યું હતું. આ એરપોર્ટનું વિસ્તરણ 1400 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું હતું.

આના એક દિવસ પહેલા દિલ્હી એરપોર્ટના ટર્મિનલ 1 પર આવી જ એક ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હતો અને કેટલાક લોકો ઘાયલ થયા હતા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત પર ચક્રવાતી સિસ્ટમ સક્રિય છે, જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં વ્યાપક વરસાદ થઈ રહ્યો છે. હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે, આગામી પાંચ દિવસ સુધી વરસાદી માહોલ ચાલુ રહેશે. IMDએ દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

ગુરુવારે ભારે વરસાદને કારણે જબલપુરના ડુમના એરપોર્ટના નવા વિસ્તૃત ટર્મિનલની કેનોપીનો પણ એક ભાગ તૂટી ગયો હતો. આ ઘટનામાં કેનોપી નીચે પાર્ક કરેલી સરકારી અધિકારીની કારને નુકસાન થયું હતું. PM નરેન્દ્ર મોદીએ ત્રણ મહિના પહેલા જ આ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. જબલપુર એરપોર્ટના મેનેજમેન્ટે જણાવ્યું કે, આ દુર્ઘટના કેનોપીની અંદર ભારે માત્રામાં વરસાદી પાણી જમા થવાને કારણે થઈ છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 'આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેની ખાતરી કરવા માટે ઘટનાના ટેકનિકલ કારણોની તપાસ કરવામાં આવી રહી છે. AAI (જબલપુર), ઘટના બદલ ખેદ વ્યક્ત કરે છે અને વ્યાપક ઉકેલની ખાતરી આપે છે.'

આ દરમિયાન, દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ મેનેજમેન્ટે શુક્રવારે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 1 પર કેનોપી પડી જવાની ઘટનાની તપાસ કરવા માટે એક સમિતિની રચના કરી છે. દિલ્હી પોલીસે ઘટના પછી ભારતીય દંડ સંહિતાની કલમ 304A (બેદરકારીથી મૃત્યુનું કારણ બને છે) અને 337 (અન્યના જીવન અથવા વ્યક્તિગત સુરક્ષાને જોખમમાં મૂકતા કૃત્યથી નુકસાન પહોંચાડવું) હેઠળ કેસ નોંધ્યો છે. નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી મુરલીધર મોહોલે કહ્યું કે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે દેશભરના તમામ એરપોર્ટ ટર્મિનલ્સનું સ્ટ્રક્ચરલ ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે.

About The Author

Related Posts

Top News

ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

મર્સિડીઝ બેન્ઝ CLA સાથે ભારતમાં પાછી ફરી છે, પરંતુ આ વખતે ઇલેક્ટ્રિક કાર તરીકે આવી છે. 2020માં પેટ્રોલ-ડીઝલ...
Tech and Auto 
ભારતમાં લોન્ચ થઇ મર્સિડીઝની ઈલેક્ટ્રિક કાર CLA EV, 792 Km રેન્જ, કિંમત તેની પેટ્રોલ કારથી ઓછી

'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

આમ આદમી પાર્ટી (AAP)ના નેતા રાઘવ ચઢ્ઢા અને અન્ય 6 સાંસદો ભાજપ સંસદીય દળમાં ભળી ગયા છે. છેલ્લા...
Politics 
'મિશન પંજાબ'થી રાજ્યસભામાં 'નંબર્સ ગેમ' સુધી.. રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદોનું ભાજપમાં જોડાવાનું મહત્ત્વ સમજો

પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

મધ્ય પ્રદેશના શિવપુરી જિલ્લામાં ચોરીની ઘટનાઓ ઓછી થવાનું નામ લઈ રહી નથી. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે પોલીસ...
National 
પોલીસ અધિકારીના ઘરમાં જ ચોરોએ હાથ સાફ કરી નાખ્યા, 4 તોલું સોનું લઈને થયા રફુચક્કર

સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'

BJP અને આમ આદમી પાર્ટી વચ્ચે શબ્દયુદ્ધ ચાલુ છે. આ દરમિયાન, દિલ્હીના કેબિનેટ મંત્રી પરવેશ વર્માએ ફરી એકવાર AAP...
National 
સરકારે કેજરીવાલને જે બંગ્લો આપ્યો એના ફોટો શેર કરી ભાજપે તેને શીશ મહેલ 2.0 કહ્યો, AAPએ કહ્યું કે, 'એના કરતા તો AIનો ઉપયોગ કરી લીધો હોત'
Copyright (c) Khabarchhe All Rights Reserved.