કોર્ટે આ કેસમાં MLA હાર્દિક પટેલ સામે અરેસ્ટ વોરંટ કર્યું ઈશ્યૂ

ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય અને પૂર્વ પાસ કન્વિનર વિરમગામથી ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલ વિરુદ્ધ ધ્રાંગધ્રા કોર્ટે અરેસ્ટ વોરંટ ઇસ્યૂ કર્યું છે. ધ્રાંગધ્રાના હરિપર ગામે પાટીદાર અનામત આંદોલન સમયે પાસની સભા દરમિયાન આચાર સંહિતાનો ભંગ થતા તાલુકા પોલીસ મથકે હાર્દિક પટેલ સામે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. ધ્રાંગધ્રા પ્રિન્સિપલ સીનિયર સિવિલ કોર્ટમાં કેસની મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટે અરેસ્ટ વોરંટ ઇસ્યૂ કર્યું છે. જો કે, હવે જોવાનું એ રહેશે કે, પોલીસ હાર્દિક પટેલની ધરપકડ કરે છે કે નહીં?

ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂટંણી વખત ચૂંટણી પંચને આપેલા સોગંદનામામાં હાર્દિક પટેલ વિશે કેટલીક માહિતી સામે આવી હતી. જેમાં હાર્દિક પટેલ સામે રાજદ્રોહના બે કેસ સહિત 20 કેસ નોંધાયેલા છે. જ્યારે હાર્દિક પટેલે એફિડેવિટમાં પોતાની કુલ સંપત્તિ 61.48 લાખ દર્શાવી હતી. હાર્દિક પટેલ પર 20 ફોજદારી કેસ પેન્ડિંગ છે. 2015માં જ્યારે હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલનનું નેતૃત્વ કર્યું હતું, ત્યારે તેની સામે આ કેસ નોંધાયા હતા. આ 20 કેસમાંથી નવ કેસમાં બે વર્ષ કે તેથી વધુની સજા થઇ છે.

સુરત અને અમદાવાદમાં પાટીદાર અનામત આંદોલન દરમિયાન તેમની સામે નોંધાયેલા 20માંથી બે કેસ રાજદ્રોહના કેસ છે. આ સિવાય હાર્દિક પટેલ સામે 11 ફોજદારી કેસ પેન્ડિંગ છે જેમાં બે વર્ષથી ઓછી સજા થઇ છે. આ અંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ વિરુદ્ધ અરેસ્ટ વોરંટ ઇસ્યૂ કર્યુ હતું. ભાજપ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ ધાંગ્રધ્રા તાલુકાના હરિપર ગામે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર માટે જઇને એક જાહેર સભા આયોજિત કરી હતી, જેમાં તેણે આચારસંહિતાનો ભંગ કર્યો હતો. આ ભંગ બદલ તેમની સામે તાલુકા પોલીસે ગુનો નોધ્યો હતો.

પોલીસ બાદ કોર્ટમાં હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ થયો હતો, જેમાં મુદત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા તેમની વિરુદ્વ અરેસ્ટ વોરટ ઇસ્યૂ કરવામાં આવ્યુ છે. હાલમાં જ જામનગરની એક કોર્ટે વર્ષ 2017ના કેસમાં હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા હતા. જામનગર કોર્ટમાં આ કેસને લઇ તમામ દલીલો પૂર્ણ થઇ હતી. વર્ષ 2017માં પાસ કન્વીનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો. હાર્દિક પટેલના વકીલની દલીલો માન્ય રાખી કોર્ટે ચૂકાદો આપ્યો હતો.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.