ગુજરાતમાં સરકારી શાળામાં બાળકોના ભણતર સિવાય બધું થાય છે: AAP નેતાના પ્રહાર

ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. રાજ્યમાં 6000 કરતા પણ વધારે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ ગુજરાતના શિક્ષણને લઇને સરકાર પર આંકરા પ્રહારો કર્યા છે.

દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમે જોઈએ છીએ કે શિક્ષકોને પગાર મળતો નથી. થોડા દિવસો પહેલા જ હાઈકોર્ટે સરકારને ફટકારને લગાવી હતી કે, શિક્ષકોને પગાર સમયસર મળવો જોઈએ. બીજી તરફ જોઈએ છીએ કે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. 6 હજાર કરતા પણ વધારે સરકારી શાળામાં બંધ કરી દેવામાં આવી છે. આ શા માટે? આ એટલા માટે છે કે, સરકાર શાળા ચલાવી શક્તી નથી.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, શાળા એટલી ખરાબ હાલતમાં છે કે, લોકો તેમના બાળકોને શાળામાં ભણવા માટે મોકલવા માગતા નથી. તમે શાળામાં જાવ તો 80થી 90% શાળાઓ એવી મળશે કે જ્યાં ટીચર ક્લાસરૂમની બહાર છે. જ્યાં પીવાનું પાણી કે બાળકોની માટે કોઈ સુવિધા નથી. આ બધામાં શિક્ષકો સરકારી કામોમાં લાગ્યા છે. ગુજરાતમાં સરકારી શાળામાં બાળકોના ભણતર સિવાય બધું થાય છે. આજ રીયાલીટી છે જેનાથી શાળાઓની હાલત આટલી વધારે ખરાબ છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, આજ સત્યતા દિલ્હીમાં પણ હતી 2015 પહેલા આમ આદમી પાર્ટીની સરકાર આવી તે પહેલા. દિલ્હીમાં પણ સરકારી શાળાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ હતું. શિક્ષકોને અલગ-અલગ કામ આપવામાં આવતા હતા. બાળકોના પરિણામ ખરાબ આવતા હતા. પણ છેલ્લા 7 વર્ષમાં આમ આદમી પાર્ટીની સરકારે જે કામ કર્યું છે તેનાથી દિલ્હીની સરકારી શાળામાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે.

આજે દિલ્હીની સરકારી શાળામાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને આજે જે સરકારી શાળામાં સુવિધા છે તે કદાચ પ્રાઈવેટ શાળામાં પણ નથી. દિલ્હીની સરકારી શાળાના શિક્ષકોને દેશ-વિદેશમાં મોકલવામાં આવી રહ્યા છે. દિલ્હીના સરકારી શાળાના આચાર્ય હાવર્ડ ગયા છે, કેમ્બ્રિજ ગયા છે. ટ્રેનીંગ માટે IIM અમદાવાદમાં પણ આવ્યા છે. આ બધાના કારણે દિલ્હીમાં સરકારી શાળાનું પરિણામ સારું આવી રહ્યું છે. સરકારી શાળામાં ધોરણ 12નું પરિણામ પ્રાઈવેટ કરતા સારું આવે છે. દર વર્ષે 500થી 700 IIT અને NEETની પરીક્ષા ક્લીયર કરે છે અને મોટી-મોટી એન્જિનિયરીંગ અને મેડીકલ કોલેજોમાં જાય છે.

Top News

ભારતની મોટી કૂટનીતિક જીત! શશિ થરૂરની નારાજગી બાદ આ દેશે પાકિસ્તાન પર આપેલું નિવેદન પાછું લીધું

કોલંબિયાએ પાકિસ્તાનમાં માર્યા ગયેલા આતંકવાદીઓને લઈને આપેલા પોતાના નિવેદનને પાછું લઈ લીધું છે. કોલંબિયા હવે આતંકવાદ પર ભારતના વલણનું પુરજોરથી...
World 
ભારતની મોટી કૂટનીતિક જીત! શશિ થરૂરની નારાજગી બાદ આ દેશે પાકિસ્તાન પર આપેલું નિવેદન પાછું લીધું

‘પાકિસ્તાનના સુરાબ શહેર પર અમારો કબજો’, બલૂચ આર્મીનો મોટો દાવો; જોતો રહી ગયો શરીફ

બલૂચિસ્તાનની આઝાદી માટે સંઘર્ષ કરી રહેલી બલૂચ લિબરેશન આર્મી (BLA)એ પાકિસ્તાનના એક શહેર પર કબજો કરવાનો દાવો કર્યો...
World 
‘પાકિસ્તાનના સુરાબ શહેર પર અમારો કબજો’, બલૂચ આર્મીનો મોટો દાવો; જોતો રહી ગયો શરીફ

1 જૂનથી બદલાઈ જશે આ 8 નિયમો, આધાર, LPG થી લઈને UPI સુધી... તમારા ખિસ્સા પર પડશે અસર

દર મહિનાની જેમ, જૂન મહિનામાં પણ મોટા ફેરફારો થવા જઈ રહ્યા છે, જે તમારા ખિસ્સા પર અસર કરી...
Business 
1 જૂનથી બદલાઈ જશે આ 8 નિયમો, આધાર, LPG થી લઈને UPI સુધી... તમારા ખિસ્સા પર પડશે અસર

ગિલ અને પંડ્યા વચ્ચે અણબનાવ હોવાના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ!

શુક્રવારે મુંબઈ ઇન્ડિયન્સ (MI) અને ગુજરાત ટાઇટન્સ (GT) વચ્ચે રમાયેલી IPL 2025 એલિમિનેટર મેચમાં એક વિચિત્ર દૃશ્ય જોવા...
Sports 
ગિલ અને પંડ્યા વચ્ચે અણબનાવ હોવાના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.