ગુજરાતમાં સરકારી શાળામાં બાળકોના ભણતર સિવાય બધું થાય છે: AAP નેતાના પ્રહાર

ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ કથળી રહી છે. રાજ્યમાં 6000 કરતા પણ વધારે શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ ગુજરાતના શિક્ષણને લઇને સરકાર પર આંકરા પ્રહારો કર્યા છે.

દિલ્હીના આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં અમે જોઈએ છીએ કે શિક્ષકોને પગાર મળતો નથી. થોડા દિવસો પહેલા જ હાઈકોર્ટે સરકારને ફટકારને લગાવી હતી કે, શિક્ષકોને પગાર સમયસર મળવો જોઈએ. બીજી તરફ જોઈએ છીએ કે સરકારી શાળાઓ બંધ થઈ રહી છે. 6 હજાર કરતા પણ વધારે સરકારી શાળામાં બંધ કરી દેવામાં આવી છે. આ શા માટે? આ એટલા માટે છે કે, સરકાર શાળા ચલાવી શક્તી નથી.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, શાળા એટલી ખરાબ હાલતમાં છે કે, લોકો તેમના બાળકોને શાળામાં ભણવા માટે મોકલવા માગતા નથી. તમે શાળામાં જાવ તો 80થી 90% શાળાઓ એવી મળશે કે જ્યાં ટીચર ક્લાસરૂમની બહાર છે. જ્યાં પીવાનું પાણી કે બાળકોની માટે કોઈ સુવિધા નથી. આ બધામાં શિક્ષકો સરકારી કામોમાં લાગ્યા છે. ગુજરાતમાં સરકારી શાળામાં બાળકોના ભણતર સિવાય બધું થાય છે. આજ રીયાલીટી છે જેનાથી શાળાઓની હાલત આટલી વધારે ખરાબ છે.

તેમને વધુમાં જણાવ્યું હતું કે, આજ સત્યતા દિલ્હીમાં પણ હતી 2015 પહેલા આમ આદમી પાર્ટીની સરકાર આવી તે પહેલા. દિલ્હીમાં પણ સરકારી શાળાઓનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ખરાબ હતું. શિક્ષકોને અલગ-અલગ કામ આપવામાં આવતા હતા. બાળકોના પરિણામ ખરાબ આવતા હતા. પણ છેલ્લા 7 વર્ષમાં આમ આદમી પાર્ટીની સરકારે જે કામ કર્યું છે તેનાથી દિલ્હીની સરકારી શાળામાં ખૂબ મોટો બદલાવ આવ્યો છે.

આજે દિલ્હીની સરકારી શાળામાં વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે અને આજે જે સરકારી શાળામાં સુવિધા છે તે કદાચ પ્રાઈવેટ શાળામાં પણ નથી. દિલ્હીની સરકારી શાળાના શિક્ષકોને દેશ-વિદેશમાં મોકલવામાં આવી રહ્યા છે. દિલ્હીના સરકારી શાળાના આચાર્ય હાવર્ડ ગયા છે, કેમ્બ્રિજ ગયા છે. ટ્રેનીંગ માટે IIM અમદાવાદમાં પણ આવ્યા છે. આ બધાના કારણે દિલ્હીમાં સરકારી શાળાનું પરિણામ સારું આવી રહ્યું છે. સરકારી શાળામાં ધોરણ 12નું પરિણામ પ્રાઈવેટ કરતા સારું આવે છે. દર વર્ષે 500થી 700 IIT અને NEETની પરીક્ષા ક્લીયર કરે છે અને મોટી-મોટી એન્જિનિયરીંગ અને મેડીકલ કોલેજોમાં જાય છે.

Top News

એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં એક માત્ર જીવીત રહેનાર વિશ્વાસના 5 સંયોગો વિશે જાણો

અમદાવાદથી લંડન જઇ રહેલા એર ઇન્ડિયાની ફલાઇટ સાથે જે દુર્ઘટના બની તેમાં વિમાનમાં સવાર 242 લોકોમાંથી માત્ર એક જ વ્યકિત...
National 
એર ઇન્ડિયા પ્લેન ક્રેશમાં એક માત્ર જીવીત રહેનાર વિશ્વાસના 5 સંયોગો વિશે જાણો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 16-06-2025 દિવસ: સોમવાર  મેષ: આજનો દિવસ તમારી મહત્વકાંક્ષાઓની પૂર્તિનો દિવસ રહેશે. સાંજના સમયે તમને વ્યવસાય સંબંધિત કોઈ યોજનાનો લાભ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?

ઇઝરાયલ અને ઇરાન વચ્ચેના યુદ્ધને કારણે આખી દુનિયા ટેન્શનમાં આવી ગઇ છે. જો બંને દેશો વચ્ચેનું યુદ્ધ આગળ વધ્યું તો...
World 
ઇઝરાયલ-ઇરાનના દંગલથી ભારતનું ટેન્શન કેમ વધી ગયું છે?

ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી

કેરળ યુનિવર્સિટીના પુરાતત્વવિદોએ ગુજરાતના પશ્ચિમી કચ્છ વિસ્તારાં આવેલા લાખાપર ગામમાં 5300 વર્ષ જુની વસાહત શોધી કાઢી છે. ખોદકામ દરમિયાન પ્રાચીન...
Gujarat 
ગુજરાતમાં 5,300 વર્ષ જૂની પ્રાચીન હડપ્પા વસાહત મળી આવી
Copyright (c) Khabarchhe All Rights Reserved.