જૂનાગઢ અને UPનો વીડિયો શેર કરી બોલ્યા ઓવૈસી- અમને મરાશે અને અમારા પર જ કેસ થશે..

જૂનાગઢમાં દરગાહને નોટિસ આપવાને લઈને શુક્રવારે સાંજે જોરદાર હોબાળો થયો. ધર્મના નામ પર થયેલી હિંસા, પથ્થરમારો અને દંગામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું. 5 પોલીસકર્મી આ દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગયા. જૂનાગઢની આ ઘટના સાથે જોડાયેલા એક વીડિયો સામે આવ્યો છે, જેને લઈને વિવાદ વધી ગયો છે. આ વીડિયોમાં નજરે પડી રહ્યું છે કે કેટલાક આરોપીઓને દરગાહ સામે ઊભા કરવામાં આવ્યા અને 2 લોકો (કથિત પોલીસકર્મી) તેમને પટ્ટાથી મારતા નજરે પડી રહ્યા છે.

ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આ વીડિયો ટ્વીટ કરતા સરકારને ઘેરી છે. જે લોકોએ દરગાહને લઈને હોબાળો કર્યો અને 4 પોલીસકર્મીઓને ઇજાગ્રસ્ત કર્યા, તેમની મોડી રાત્રે ધરપકડ કરી લીધી. બધાને પોલીસે એ જ દરગાહ સામે ઊભા કરવામાં આવ્યા અને બેલ્ટથી તેમની જોરદાર પિટાઈ કરી. અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરતા લખ્યું કે, ‘અમારા પર જ અત્યાચાર થશે, અમે જ જાલિમ કહેવાઈશું.

અમને જ મારવામાં આવશે અને અમારા પર જ કેસ ચલાવવામાં આવશે. ભારતમાં હિન્દુત્વ ઇન્તિહા-પસંદી ઉરુજ પર છે. શાર્પસંદ હિન્દુત્વવાદીઓના શર પસંદીની કેટલીક ચિંગારી પોલીસ વિભાગ સુધી પહોંચી ચૂકી છે તેનું જીવતું જાગતું ઉદાહરણ આજના 2 સમાચાર હેડલાઇન છે. ગુજરતા જૂનાગઢમાં દરગાહને તોડવાનો મુસ્લિમ યુવકોએ વિરોધ કર્યો, તો જનતાની રક્ષક કહેવાતી પોલીસ, મુસ્લિમ યવકોને એ જ દરગાહ સામે પોતાના પટ્ટાથી બધા સામે મારી રહી છે.

તેની સાથે જ ઓવૈસીએ એક બીજો વીડિયો શેર કર્યો, જેમાં લખ્યું કે, બુલંદશહરમાં એક દહાડી મજૂરને એક દરખ્તથી બાંધીને મારવામાં આવ્યો અને JSRના નારા લગાવવા પર મજબૂર કરવામાં આવ્યા. ત્યારબાદ પોલીસની હમદર્દી તો જુઓ ગુનેગારો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જગ્યાએ સાહિલને જ જેલ મોકલી દીધો. પોતાના ઉપર થઈ રહેલા અત્યાચાર વિરુદ્ધ ફરિયાદ લઈને જાય તો ક્યાં જાય.

શું છે મામલો?

જૂનાગઢમાં મજેવડી ગેટ સામે રસ્તા વચ્ચે એક દરગાહ બની છે. તેને હટાવવા માટે મહાનગર પાલિકા તરફથી સીનિયર ટાઉન પ્લાનરે એક નોટિસ જાહેર કરી હતી. નોટિસમાં લખ્યું હતું કે, આ ધાર્મિક સ્થળ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું છે. 5 દિવસની અંદર આ ધાર્મિક સ્થળની કાયદાકીય રીતે યોગ્ય હોવાના પુરાવા રજૂ કરવામાં આવે નહિતર આ ધાર્મિક સ્થળ તોડવામાં આવશે અને તેનો ખર્ચ તમને આપવો પડશે. ધાર્મિક સ્થળ (દરગાહ)ના ડિમોલેશનની નોટિસ લગાવવા મહાનગર પાલિકાના અધિકારી પહોંચ્યા હતા. નોટિસ વાંચતા જ અસામાજિક તત્વ એકત્ર થઈ જાય અને નારા લગાવવા લાગ્યા. પોલીસે જ્યારે તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓ હુમલાવર થઈ ગયા.

શુક્રવારે સાંજે 7:00 વાગ્યે જ લોકો એકત્ર થવાની શરૂ થઈ ગયા અને 9:00 વાગ્યે 200-300 લોકો પહોંચી ગયા અને દરગાહના ચારેય તરફ એકત્ર થઈ ગયા, જ્યારે પોલીસે તેમને આ જગ્યાથી હટાવવાનો પ્રયાસ કર્યો તો પથ્થર ફેકવા લાગ્યા અને પોલીસકર્મીઓ પર હુમલો કરી દીધો. હુમલામાં એક ડેપ્યુટી એસપી અને 3 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થઈ ગયા. સ્થિતિ નિયંત્રણમાં છે અને પોલીસ આખા શહેરમાં ઠેર-ઠેર તૈનાત છે.

About The Author

Top News

શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

સુરતના રિંગરોડ વિસ્તારમાં આવેલી શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફેબ્રુઆરી 2025માં એવી ભીષણ આગ લાગી હતી કે 450 દુકાનો બળીને ખાખ...
Gujarat 
શિવશક્તિ માર્કેટના વેપારીઓએ રિલીફ ફંડના 40 લાખ કેમ દાતાઓને પાછા આપી દીધા?

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.