પોતાની જ પાર્ટીની સરકાર છતા MLA કુમાર કાનાણી જન આંદોલનની ચીમકી આપી, આ છે મામલો

વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકાના કમિશ્નરને પત્ર લખીને ધમકી આપી છે કે ખાડી વિસ્તારમાં આવેલી અસંખ્ય સોસાયટીઓની સમસ્યાના ઉકેલ નહીં આવશે તો જન આંદોલન કરવામાં આવશે, જેની નોંધ લેશો. ધારાસભ્ય કુમાર કાનાણી વરાછા વિસ્તારના લોકોના અનેક પ્રશ્નો માટે લડત આપતા રહેતા હોય છે.

કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકા, કાર્યપાલક ઇજનેર, ફાયલેરિયા વિભાગને લખેલા પત્રમાં કહ્યું છે કે, મારા એરિયામાં ખાડી વિસ્તારમાં આવેલી અસંખ્ય સોસાયટીઓના લોકો ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાનાણીએ લખ્યું છે કે, વર્ષોથી આ સમસ્યા માટે અમે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ ખાડીના ત્રાસમાંથી મૂક્ત કરવા માટે કોઇ પણ ઝડપી કે નકકર પગલાં લેવામાં આવ્યા નથી. વહીવટી તંત્ર દ્રારા કામગીરીનો કોઇ રિપોર્ટ પણ આપવામાં આવતો નથી.

કુમાર કાનાણીએ આગળ લખ્યું છે કે, જ્યારે અધિકારીઓને પુછવામાં આવે છે તો તેઓ  મને ફોન પર એટલું કહે છે કે, કામ ચાલું છે, થઇ જશે. પરંતુ સમસ્યા એ છે કે કામ થતા નથી. હવે લોકો આ સમસ્યાથી કંટાળી ગયા છે અને મારી પાસે રજૂઆત કરવા માટે આવે છે.

કુમાર કાનાણીએ કહ્યું કે, લોકો હવે મને જન આંદોલનની ધમકી આપી રહ્યા છે. જો ખાડીની સમસ્યાનું નિવારણ નહીં આવશે અને લોકો જન આંદોલન કરશે તો નાછુટકે મારે પણ જોડાવું પડશે. આ અગાઉ કાનાણીએ ટ્રાફીક પોલીસ લોકો પાસે દંડની રકમ ઉઘરાવતી હતી તેનો પણ વિરોધ કર્યો હતો. અગાઉ કુમાર કાનાણીએ એક પત્રમાં એવું પણ લખ્યું હતું કે 25 વર્ષથી અમારા કામ થતા નથી.

કુમાર કાનાણીના પત્ર પરથી એ વાત સામે આવે છે કે ગુજરાતમાં ભાજપનું શાસન છે, કુમાર કાનાણી ભાજપના ધારાસભ્ય છે, છતા તેમના કામ જો થતા નથી તો સામાન્ય પ્રજાની શું હાલત થતી હશે?  જો કે કેટલાંક લોકોનું એવું પણ કહેવું છે કે, કુમાર કાનાણી પત્ર લખીને એવી ઇમેજ ઉભી કરી રહ્યા છે કે તેઓ લોકોના કામ કરી રહ્યા છે, પરંતુ ,હકીકતમાં એ બહાને તેઓ દર લખતે ચૂંટણી જીતી જાય છે. પત્ર લખવાનો તેમનો માત્ર સ્ટંટ છે. કોરોના મહામારી વખતે પણ કુમાર કાનાણી રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી હતા છતા લોકોના કામ થતા નહોતા એવી વ્યાપક ફરીયાદો પણ ઉઠી હતી.

About The Author

Related Posts

Top News

શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

સુરત, ગુજરાત, 29 એપ્રિલ 2025: શેલ્બી હોસ્પિટલ, સુરતે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત કેનિઓસિનોસ્ટોસિસ સર્જરી કરીને એક મહત્વપૂર્ણ તબીબી સિદ્ધિ પ્રાપ્ત...
Health 
શેલ્બી હોસ્પિટલ સુરતે ઇતિહાસ બનાવ્યો: દક્ષિણ ગુજરાતમાં ક્રેનિઓસિનોસ્ટોસિસ જેવી દુર્લભ સર્જરી સફળતા પૂર્વક હાથ ધરાઈ

ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર ખૂબ જ ઓછો છે. બંને દેશો વચ્ચે સતત ભૂ-રાજકીય તણાવ અને સરહદી તણાવને...
Business 
ભારત-પાકિસ્તાન વચ્ચે વેપાર ઠપ્પ! તો પણ 10 અબજ ડૉલરનો ભારતીય માલ પાકિસ્તાન પહોંચી ગયો

Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

Oppo Reno 13 પછી, ચીની કંપની વધુ એક સસ્તો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહી છે. આ ફોનના કેમેરા અને ડિઝાઇન...
Tech and Auto 
Oppo લાવી રહ્યો છે iPhone જેવો દેખાતો હતો એક સસ્તો ફોન , લોન્ચ પહેલા લીક થઈ તસવીર

સેહવાગ કેમ ઇચ્છતો હતો કે BCCI ધોનીને IPLમાંથી કરી દે પ્રતિબંધિત?

મહેન્દ્ર સિંહ ધોનીની  હાલમાં કોઈને પરિચય આપવાની જરૂર નથી. IPLમાં કેપ્ટન તરીકે તેનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે, પરંતુ શું...
Sports 
સેહવાગ કેમ ઇચ્છતો હતો કે BCCI ધોનીને IPLમાંથી કરી દે પ્રતિબંધિત?
Copyright (c) Khabarchhe All Rights Reserved.