પોતાની જ પાર્ટીની સરકાર છતા MLA કુમાર કાનાણી જન આંદોલનની ચીમકી આપી, આ છે મામલો

વરાછાના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકાના કમિશ્નરને પત્ર લખીને ધમકી આપી છે કે ખાડી વિસ્તારમાં આવેલી અસંખ્ય સોસાયટીઓની સમસ્યાના ઉકેલ નહીં આવશે તો જન આંદોલન કરવામાં આવશે, જેની નોંધ લેશો. ધારાસભ્ય કુમાર કાનાણી વરાછા વિસ્તારના લોકોના અનેક પ્રશ્નો માટે લડત આપતા રહેતા હોય છે.

કુમાર કાનાણીએ સુરત મહાનગર પાલિકા, કાર્યપાલક ઇજનેર, ફાયલેરિયા વિભાગને લખેલા પત્રમાં કહ્યું છે કે, મારા એરિયામાં ખાડી વિસ્તારમાં આવેલી અસંખ્ય સોસાયટીઓના લોકો ગંદકી, દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. કાનાણીએ લખ્યું છે કે, વર્ષોથી આ સમસ્યા માટે અમે વારંવાર રજૂઆત કરી છે, પરંતુ ખાડીના ત્રાસમાંથી મૂક્ત કરવા માટે કોઇ પણ ઝડપી કે નકકર પગલાં લેવામાં આવ્યા નથી. વહીવટી તંત્ર દ્રારા કામગીરીનો કોઇ રિપોર્ટ પણ આપવામાં આવતો નથી.

કુમાર કાનાણીએ આગળ લખ્યું છે કે, જ્યારે અધિકારીઓને પુછવામાં આવે છે તો તેઓ  મને ફોન પર એટલું કહે છે કે, કામ ચાલું છે, થઇ જશે. પરંતુ સમસ્યા એ છે કે કામ થતા નથી. હવે લોકો આ સમસ્યાથી કંટાળી ગયા છે અને મારી પાસે રજૂઆત કરવા માટે આવે છે.

કુમાર કાનાણીએ કહ્યું કે, લોકો હવે મને જન આંદોલનની ધમકી આપી રહ્યા છે. જો ખાડીની સમસ્યાનું નિવારણ નહીં આવશે અને લોકો જન આંદોલન કરશે તો નાછુટકે મારે પણ જોડાવું પડશે. આ અગાઉ કાનાણીએ ટ્રાફીક પોલીસ લોકો પાસે દંડની રકમ ઉઘરાવતી હતી તેનો પણ વિરોધ કર્યો હતો. અગાઉ કુમાર કાનાણીએ એક પત્રમાં એવું પણ લખ્યું હતું કે 25 વર્ષથી અમારા કામ થતા નથી.

કુમાર કાનાણીના પત્ર પરથી એ વાત સામે આવે છે કે ગુજરાતમાં ભાજપનું શાસન છે, કુમાર કાનાણી ભાજપના ધારાસભ્ય છે, છતા તેમના કામ જો થતા નથી તો સામાન્ય પ્રજાની શું હાલત થતી હશે?  જો કે કેટલાંક લોકોનું એવું પણ કહેવું છે કે, કુમાર કાનાણી પત્ર લખીને એવી ઇમેજ ઉભી કરી રહ્યા છે કે તેઓ લોકોના કામ કરી રહ્યા છે, પરંતુ ,હકીકતમાં એ બહાને તેઓ દર લખતે ચૂંટણી જીતી જાય છે. પત્ર લખવાનો તેમનો માત્ર સ્ટંટ છે. કોરોના મહામારી વખતે પણ કુમાર કાનાણી રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી હતા છતા લોકોના કામ થતા નહોતા એવી વ્યાપક ફરીયાદો પણ ઉઠી હતી.

About The Author

Related Posts

Top News

ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

ઉત્તર ગોવાના અરપોરામાં એક નાઈટક્લબમાં લાગેલી ભીષણ આગમાં 25 લોકોના મોત થયા હતા. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ...
National 
ગોવામાં આગ લાગવાની ઘટના પર પ્રત્યક્ષદર્શીઓનું નિવેદન; 'ક્લબ મેનેજમેન્ટે ફટાકડા ફોડ્યા અને પછી...'

અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ 3 દિવસની ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને શનિવારે તેમણે બનાસ ડેરીમાં કેટલાક ઉદઘાટન પણ કર્યા....
Gujarat 
અમિત શાહે કેમ કહ્યું- બહેનોએ જે કર્યું છે તે એક કોર્પોરેટ કંપનીને કરવુ હોય તો તેમને પરસેવો વળી જાય

શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

જામનગરના ટાઉન હોલમાં એક સભામાં કોંગ્રેસના કાર્યકર છત્રપાલ સિંહ જાડેજાએ જૂતુ મારવાની ઘટનાને કારણે આમ આદમી પાર્ટી એકદમ જોરમાં આવી...
Politics 
શું ગોપાલને જૂતું ફેંકાયું એટલે કેજરીવાલ ગુજરાત દોડી આવ્યા?

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.