આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી હતી અને પછી તેમને દેશની બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. આ પછી સરકારે કહ્યું છે કે આધાર, પાન, રેશનકાર્ડ ભારતીય નાગરિકતાના પુરાવા નથી. આ ફક્ત વહીવટી જરૂરિયાતો પૂરી કરે છે. આ ઉપરાંત, સરકારે એમ પણ કહ્યું છે કે, સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત દસ્તાવેજો ફક્ત જન્મ પ્રમાણપત્ર અને રહેઠાણ પ્રમાણપત્ર છે. આની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.

Indian Citizenship
hindi.news18.com

અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્રએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ગેરકાયદેસર વિદેશી નાગરિકોએ ચકાસણી દરમિયાન આધાર, રાશન અને પાન કાર્ડ બતાવ્યું હતું. આવી સ્થિતિમાં, સરકારે કહ્યું કે દરેક દસ્તાવેજનો ઉપયોગ કોઈની નાગરિકતા ચકાસવા માટે થઈ શકતો નથી.

Indian Citizenship
dastakpahadki.co.in

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) આધાર કાર્ડને ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે માને છે, પરંતુ નાગરિકતાનો પુરાવો નથી. આ જ વાત પાન અને રેશનકાર્ડને પણ લાગુ પડે છે. પાન કાર્ડનો ઉપયોગ કરવેરા હેતુ માટે થાય છે અને રેશન કાર્ડનો ઉપયોગ ખોરાક વિતરણ માટે થાય છે, જેમાંથી કોઈ પણ નાગરિકત્વની પુષ્ટિ કરતું નથી.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ઘણા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ અને UNHCR (યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ) દ્વારા બહાર પડાયેલા કાર્ડ પણ સાથે હોવાનું જાણવા મળ્યું છે. આનાથી ભારતીય નાગરિકતાને યોગ્ય રીતે ઓળખવામાં મુશ્કેલી પડી. તેથી હવે મતદાર ઓળખ કાર્ડ અથવા ભારતીય પાસપોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

Indian Citizenship
livehindustan.com

અહીં તમને જણાવી દઈએ કે સરકાર જન્મ પ્રમાણપત્ર અને રહેઠાણ પ્રમાણપત્રને ભારતીય નાગરિકતા દર્શાવતા દસ્તાવેજો તરીકે માને છે. જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર અધિનિયમ, 1969, સક્ષમ અધિકારીઓને જન્મ પ્રમાણપત્રો બહાર પાડવાની સત્તા આપે છે, જે ભારતમાં જન્મના દાવાઓના આધારે નાગરિકતાને માન્ય કરે છે. બીજી બાજુ, જો આપણે રહેઠાણ પ્રમાણપત્ર વિશે વાત કરીએ, તો તે પ્રમાણિત કરે છે કે વ્યક્તિ ચોક્કસ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં રહે છે, જે ભારતીય નાગરિકતા ધરાવવાના દાવાને વધુ મજબૂત બનાવે છે. આ ઉપરાંત, સરકારી નોકરી, પાસપોર્ટ કે કોર્ટ માટે નાગરિકતાનો પુરાવો ફરજિયાત છે.

About The Author

Related Posts

Top News

સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

​સુરત: ફરિયાદીની પુત્રીની દાંતની સારવારમાં સ્મીમેર હોસ્પિટલના દાંત વિભાગના તબીબોએ બેદરકારી દાખવીને જમણી બાજુને બદલે ડાબી બાજુની દાઢ કાઢી નાંખી...
Gujarat 
સુરતમાં દાંતના ડોક્ટર સામે થયેલી 15 લાખની વળતરની માંગ કોર્ટે ફગાવી

સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

સુપ્રીમ કોર્ટે દિલ્હી રમખાણો કેસમાં ઉમર ખાલિદ અને શર્જીલ ઇમામને જામીન ન આપવાના પોતાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા છે. જસ્ટિસ ...
National 
સુપ્રીમ કોર્ટે ઉમર અને શર્જીલને જામીન ન આપવાના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા

NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

NEET-UG 2026 પેપર લીક કેસની તપાસમાં એક બહુ મોટી સફળતા મળી છે. આ દેશવ્યાપી પરીક્ષા લીક નેટવર્કની તપાસના તાર હવે...
Education 
NEET પેપર લીક: 100 કરોડનું ટર્નઓવરવાળું કોચિંગ સેન્ટર ચલાવતા શિવરાજની ધરપકડ

અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો

હરિયાણાના ચરખી દાદરી જિલ્લામાં એક લગ્ન દેશભરમાં ચર્ચાનો વિષય બન્યા છે. પરંપરાગત વિધિઓ અને દેખાડાથી દૂર રહીને નવદંપતીઓએ લગ્ન પહેલાં ...
National 
અનોખા લગ્ન, 7 ફેરા ફરતા પહેલા વરરાજા અને કન્યાએ આ મેડિકલ ટેસ્ટ કરાવ્યો
Copyright (c) Khabarchhe All Rights Reserved.