આધાર, પાન કાર્ડથી ભારતીય નાગરિક માનવામાં આવશે નહીં! આ દસ્તાવેજ તમારી ઓળખાણ બનશે

પહેલગામ હુમલા પછી, પાકિસ્તાની નાગરિકોની તપાસ કરવામાં આવી હતી અને પછી તેમને દેશની બહાર જવાનો રસ્તો બતાવવામાં આવ્યો હતો. આ પછી સરકારે કહ્યું છે કે આધાર, પાન, રેશનકાર્ડ ભારતીય નાગરિકતાના પુરાવા નથી. આ ફક્ત વહીવટી જરૂરિયાતો પૂરી કરે છે. આ ઉપરાંત, સરકારે એમ પણ કહ્યું છે કે, સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત દસ્તાવેજો ફક્ત જન્મ પ્રમાણપત્ર અને રહેઠાણ પ્રમાણપત્ર છે. આની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.

Indian Citizenship
hindi.news18.com

અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્રએ આ નિર્ણય એવા સમયે લીધો છે જ્યારે ગેરકાયદેસર વિદેશી નાગરિકોએ ચકાસણી દરમિયાન આધાર, રાશન અને પાન કાર્ડ બતાવ્યું હતું. આવી સ્થિતિમાં, સરકારે કહ્યું કે દરેક દસ્તાવેજનો ઉપયોગ કોઈની નાગરિકતા ચકાસવા માટે થઈ શકતો નથી.

Indian Citizenship
dastakpahadki.co.in

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) આધાર કાર્ડને ઓળખ અને રહેઠાણના પુરાવા તરીકે માને છે, પરંતુ નાગરિકતાનો પુરાવો નથી. આ જ વાત પાન અને રેશનકાર્ડને પણ લાગુ પડે છે. પાન કાર્ડનો ઉપયોગ કરવેરા હેતુ માટે થાય છે અને રેશન કાર્ડનો ઉપયોગ ખોરાક વિતરણ માટે થાય છે, જેમાંથી કોઈ પણ નાગરિકત્વની પુષ્ટિ કરતું નથી.

મીડિયા સૂત્રોના અહેવાલ મુજબ, પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'ઘણા ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ આધાર કાર્ડ, રેશન કાર્ડ, પાન કાર્ડ અને UNHCR (યુનાઈટેડ નેશન્સ હાઈ કમિશનર ફોર રેફ્યુજીસ) દ્વારા બહાર પડાયેલા કાર્ડ પણ સાથે હોવાનું જાણવા મળ્યું છે. આનાથી ભારતીય નાગરિકતાને યોગ્ય રીતે ઓળખવામાં મુશ્કેલી પડી. તેથી હવે મતદાર ઓળખ કાર્ડ અથવા ભારતીય પાસપોર્ટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે.

Indian Citizenship
livehindustan.com

અહીં તમને જણાવી દઈએ કે સરકાર જન્મ પ્રમાણપત્ર અને રહેઠાણ પ્રમાણપત્રને ભારતીય નાગરિકતા દર્શાવતા દસ્તાવેજો તરીકે માને છે. જન્મ અને મૃત્યુ પ્રમાણપત્ર અધિનિયમ, 1969, સક્ષમ અધિકારીઓને જન્મ પ્રમાણપત્રો બહાર પાડવાની સત્તા આપે છે, જે ભારતમાં જન્મના દાવાઓના આધારે નાગરિકતાને માન્ય કરે છે. બીજી બાજુ, જો આપણે રહેઠાણ પ્રમાણપત્ર વિશે વાત કરીએ, તો તે પ્રમાણિત કરે છે કે વ્યક્તિ ચોક્કસ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશમાં રહે છે, જે ભારતીય નાગરિકતા ધરાવવાના દાવાને વધુ મજબૂત બનાવે છે. આ ઉપરાંત, સરકારી નોકરી, પાસપોર્ટ કે કોર્ટ માટે નાગરિકતાનો પુરાવો ફરજિયાત છે.

About The Author

Related Posts

Top News

પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

વૈશાલીથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સંબંધો, વિશ્વાસ અને પરિવાર પર ઘણા પ્રશ્નો ઉભા કરે છે. એક...
National 
પતિએ વારસામાં મળેલી જમીન વેચીને પત્નીને સરકારી ટીચર બનાવી, પણ પત્નીએ દગો આપ્યો, પ્રેમી સાથે પકડાઈ

કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

વાપી GIDC કચેરીના અધિકારીના બંગલામાં પ્રવેશી અંદરથી સોનાના દાગીના પર હાથ સાફ કરી ફરાર થયેલા બે આરોપીની LCBએ ધરપકડ...
Gujarat 
કરોડપતિ જીજા-સાળી બન્યા ચોર, વાપી GIDCના અધિકારીના બંગલામાંથી સોનાના દાગીના ચોર્યા

તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ દેશમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવેલી સાત...
National 
તોલે દોઢ લાખનું સોનું તો આમપણ જનતા નથી ખરીદી શકવાની, ચૂંટણી પૂરી થતા જ ‘સંકટ’ યાદ આવ્યું! અખિલેશ યાદવના પ્રહારો

MGએ લોન્ચ કરી Majestor; સેગમેન્ટમાં સૌથી મોટી, જબરદસ્ત ફીચર્સ, પણ કિંમત પણ વધુ છે

મોરિસ ગેરેજ એટલે કે, MG મોટર્સે, ભારતીય બજારમાં તેની નવી ફ્લેગશિપ SUV, Majestorને સત્તાવાર રીતે લોન્ચ કરી...
Tech and Auto 
MGએ લોન્ચ કરી Majestor; સેગમેન્ટમાં સૌથી મોટી, જબરદસ્ત ફીચર્સ, પણ કિંમત પણ વધુ છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.