ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર ન બની શકી સહમતિ! સમજો આખરે ક્યાં ફસાઈ રહ્યો છે પેંચ

ભારત અને અમેરિકા વચ્ચેના ટ્રેડ ડીલને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જાણકારોનું કહેવું છે કે ટેરિફને લઈને બંને દેશો વચ્ચે અત્યાર સુધી કોઈ સહમતિ બની શકી નથી. અમેરિકા 10 ટકા ટેરિફ જાળવી રાખવા માગે છે, જ્યારે ભારત ઈચ્છે છે કે ઘણા ક્ષેત્રોમાં લાગૂ 10 ટકા ટેરિફ શૂન્ય કરી દેવામાં આવે.

us india trade deal
timesofindia.indiatimes.com

એવામાં બંને દેશોની અસહમતિ જોતા ભારત તરફથી આ ડીલના મુખ્ય વાટાઘાટકાર રાજેશ અગ્રવાલે પોતાનો અમેરિકનો પ્રવાસ લંબાવી દીધો છે. તમને જણાવી દઈએ કે આ અગાઉ એવા સમાચાર આવ્યા હતા કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની શરતોને લઈને સહમતિ બની ચૂકી છે અને તેની જાહેરાત 8 જુલાઈએ થઈ શકે છે. ત્યારબાદ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેના સારા સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે બંને વચ્ચેના સંબંધો સારા રહેશે.

us india trade deal
livemint.com

લેવિટે કહ્યું હતું કે ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ નજીક છે અને જલદી જ રાષ્ટ્રપતિ ટ્રમ્પતેની બાબતે અપડેટ કરશે. તમને જણાવી દઈએ કે આ સમયે વિદેશ મંત્રી એસ. જયશંકર પણ અમેરિકાના પ્રવાસે છે. તેઓ અમેરિકામાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેશે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 જુલાઈના રોજ દુનિયાભરના ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો. પરંતુ ટેરિફ પર થયેલા હોબાળા બાદ અમેરિકાએ ઘણા દેશોને અસ્થાયી રાહત આપી હતી. અમેરિકાએ ભારત પર લગાવવામાં આવેલા 26 ટકા રેસિપ્રોકલ ટેરિફને 9 જુલાઈ સુધી સ્થગિત કરી દીધો હતો. પરંતુ ભારત પરનો 10 ટકા બેઝલાઇન ટેરિફ હટાવ્યો નહોતો.

About The Author

Related Posts

Top News

Toyota Hilux ભારતમાં લોન્ચ, 4x2 વર્ઝન પણ થયું લોન્ચ, જાણી લો કિંમત

Toyotaએ ભારતીય બજારમાં તેની નવી કાર લોન્ચ કર્યું છે. આ એક એક પિકઅપ ટ્રક છે. આપણે વાત કરી રહ્યા...
Tech and Auto 
 Toyota Hilux ભારતમાં લોન્ચ, 4x2 વર્ઝન પણ થયું લોન્ચ, જાણી લો કિંમત

પેપર લીક બિલ પર લોકસભામાં ચર્ચા: રાહુલ ગાંધીએ એવું કહ્યું કે ભાજપ કહે માફી માંગવી જ પડશે

લોકસભામાં પેપર લીક સંબંધિત બિલ પર ચર્ચા દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બિલ પર 50...
Politics 
પેપર લીક બિલ પર લોકસભામાં ચર્ચા: રાહુલ ગાંધીએ એવું કહ્યું કે ભાજપ કહે માફી માંગવી જ પડશે

CJPએ શા માટે કહ્યું- સરકાર સુપ્રીમ કોર્ટનો રાજકીય ઉપયોગ કરી રહી છે, ફરી આંદોલનની આપી ચીમકી

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ આરોપ લગાવ્યો કે, તેના આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે અને ધરપકડની...
National 
CJPએ શા માટે કહ્યું- સરકાર સુપ્રીમ કોર્ટનો રાજકીય ઉપયોગ કરી રહી છે, ફરી આંદોલનની આપી ચીમકી

સરકારે જેમના ઘરો પર બૂલડોઝર ફેરવી દીધેલું એ તમામ 11 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, હવે ઘર કોણ આપશે?

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં 2022માં રામ નવમી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. સેશન્સ કોર્ટે 27 જુલાઈ, 2026ના...
National 
સરકારે જેમના ઘરો પર બૂલડોઝર ફેરવી દીધેલું એ તમામ 11 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, હવે ઘર કોણ આપશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.