વિરાટ-રોહિત અને અશ્વિન બાદ જાડેજાનો સંન્યાસ દૂર નથી? દિગ્ગજનું હેરાનીભર્યું નિવેદન

ભારતના સીનિયર ક્રિકેટરો એક બાદ એક સંન્યાસ લઈ રહ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને T20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. રવિચંદ્રન અશ્વિન પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. હવે રવિન્દ્ર જાડેજાને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે, જેણે T20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે પરંતુ અત્યાર સુધી વન-ડે અને ટેસ્ટ ટીમમાં રમી રહ્યો છે. હવે એક પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ગૌતમ ગંભીરને સલાહ આપી નાખી છે, આ સલાહ રવિન્દ્ર જાડેજાના કરિયર સાથે જોડાયેલી છે.

brad-haddin1
economictimes.indiatimes.com

 

એક સ્પોર્ટ્સ પોડકાસ્ટ પર ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બ્રેડ હેડિને કહ્યું કે, કદાચ રવિન્દ્ર જાડેજાના કરિયરનું પતન શરૂ થઈ ગયું છે. શું આપણે રવિન્દ્ર જાડેજાનું પતન જોઈ રહ્યા છીએ? હું માનું છું કે તે ભારતીય પીચો પર ખૂબ પ્રભાવ છોડે છે અને એ પણ જાણું છું કે ભારતીય પીચો પર ડાબા હાથની સ્પિન બોલિંગનો સામનો કરવો કેટલો મુશ્કેલ છે. પરંતુ હું નથી માનતો કે તે હવે ભારતીય ટીમ માટે સ્પિનર ​​તરીકે શ્રેષ્ઠ વિકલ્પ છે. તેઓ કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં જોવાનું પસંદ કરશે, જે વિકેટ લેવામાં વધુ અસરકારક રહેશે.

બ્રેડ હેડિને એજબેસ્ટનમાં રમાનારી ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમને પણ સલાહ આપી હતી. તેમનું માનવું છે કે જો નીતિશ કુમાર રેડ્ડી રમે છે, તો રવિન્દ્ર જાડેજાની જગ્યાએ ભારતીય ટીમે એટેકિંગ સ્પિન એટલે કે કુલદીપ યાદવનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. હેડિનના મતે, કુલદીપ ખાસ કરીને વિદેશી ટૂર પર જાડેજા કરતા વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

brad-haddin
economictimes.indiatimes.com

 

તમને જણાવી દઈએ કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી એજબેસ્ટનમાં રમાશે. લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ જીતની નજીક આવીને મેચ હારી ગઈ હતી. પાંચમા દિવસે ભારતીય ટીમ 371 રનના વિશાળ લક્ષ્યને પણ ડિફેન્ડ કરી શકી નહોતી.

About The Author

Related Posts

Top News

સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામ આવી ગયા છે. ગુજરાતભરમાં ફરી એકવાર ભગવો લહેરાયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા અને અમદાવાદ મહાનગર્પાલિકાની તાજેતરની...
Gujarat 
સુરત અને અમદાવાદમાં ભગવો લહેરાયા બાદ હવે મેયર કોણ બનશે? આ નામોની ચર્ચાઓ તેજ

શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

પેટ્રોલના વધતા ભાવોને પહોંચી વળવા અને આયાત પર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર એક મોટું પગલું ભરી રહી છે. કેન્દ્ર સરકારે...
Tech and Auto 
શું હવે પેટ્રોલમાં 85 ટકા ઇથેનોલ હશે?, મળશે 'E85 પેટ્રોલ'; સરકારે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડ્યું

નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

ગુજરાતમાં પણ ભાજપ સાથે ‘અયોધ્યા’વાળી થઈ હોય તેવું લાગે છે. જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે,...
Gujarat 
નર્મદામાં ભાજપ સાથે ‘અયોધ્યા’ જેવું થયું થયું! જ્યાં દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનાવી ત્યાં AAPનો વિજય

હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?

હાઇકોર્ટે માર મારવાના કેસમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીને નોટિસ ફટકારી છે. તેમના પર માર મારવાનો આરોપ લગાવવામાં કરવામાં આવ્યો છે....
Gujarat 
હાઇ કોર્ટે કિર્તીદાન અને PI, PSI, SP સહિતના પોલીસ અધિકારીઓને ફટકારી નોટિસ, જાણો શું છે આખો મામલો?
Copyright (c) Khabarchhe All Rights Reserved.