વિરાટ-રોહિત અને અશ્વિન બાદ જાડેજાનો સંન્યાસ દૂર નથી? દિગ્ગજનું હેરાનીભર્યું નિવેદન

ભારતના સીનિયર ક્રિકેટરો એક બાદ એક સંન્યાસ લઈ રહ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા બંને T20 અને ટેસ્ટ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યા છે. રવિચંદ્રન અશ્વિન પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂક્યો છે. હવે રવિન્દ્ર જાડેજાને લઈને સવાલ ઉઠવા લાગ્યા છે, જેણે T20 ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે પરંતુ અત્યાર સુધી વન-ડે અને ટેસ્ટ ટીમમાં રમી રહ્યો છે. હવે એક પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ગૌતમ ગંભીરને સલાહ આપી નાખી છે, આ સલાહ રવિન્દ્ર જાડેજાના કરિયર સાથે જોડાયેલી છે.

brad-haddin1
economictimes.indiatimes.com

 

એક સ્પોર્ટ્સ પોડકાસ્ટ પર ઓસ્ટ્રેલિયન દિગ્ગજ બ્રેડ હેડિને કહ્યું કે, કદાચ રવિન્દ્ર જાડેજાના કરિયરનું પતન શરૂ થઈ ગયું છે. શું આપણે રવિન્દ્ર જાડેજાનું પતન જોઈ રહ્યા છીએ? હું માનું છું કે તે ભારતીય પીચો પર ખૂબ પ્રભાવ છોડે છે અને એ પણ જાણું છું કે ભારતીય પીચો પર ડાબા હાથની સ્પિન બોલિંગનો સામનો કરવો કેટલો મુશ્કેલ છે. પરંતુ હું નથી માનતો કે તે હવે ભારતીય ટીમ માટે સ્પિનર ​​તરીકે શ્રેષ્ઠ વિકલ્પ છે. તેઓ કુલદીપ યાદવને પ્લેઇંગ ઇલેવનમાં જોવાનું પસંદ કરશે, જે વિકેટ લેવામાં વધુ અસરકારક રહેશે.

બ્રેડ હેડિને એજબેસ્ટનમાં રમાનારી ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમને પણ સલાહ આપી હતી. તેમનું માનવું છે કે જો નીતિશ કુમાર રેડ્ડી રમે છે, તો રવિન્દ્ર જાડેજાની જગ્યાએ ભારતીય ટીમે એટેકિંગ સ્પિન એટલે કે કુલદીપ યાદવનો વિકલ્પ પસંદ કરવો જોઈએ. હેડિનના મતે, કુલદીપ ખાસ કરીને વિદેશી ટૂર પર જાડેજા કરતા વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

brad-haddin
economictimes.indiatimes.com

 

તમને જણાવી દઈએ કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 2 જુલાઈથી એજબેસ્ટનમાં રમાશે. લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમ જીતની નજીક આવીને મેચ હારી ગઈ હતી. પાંચમા દિવસે ભારતીય ટીમ 371 રનના વિશાળ લક્ષ્યને પણ ડિફેન્ડ કરી શકી નહોતી.

About The Author

Related Posts

Top News

પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

ભારતીય જનતા પાર્ટી (BJP)ને ત્રિપુરામાં મોટો ફટકો પડ્યો છે. તાજેતરમાં પુરી થયેલી ત્રિપુરા ટ્રાઇબલ એરિયાઝ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ...
National 
પશ્ચિમ બંગાળની ચૂંટણીઓ વચ્ચે, આ પૂર્વોત્તર રાજ્યમાં BJPને પડ્યો મોટો ઝટકો, 28માંથી 24 બેઠકો ગુમાવી

‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

અલ્લાહબાદ હાઈકોર્ટે તાજેતરમાં પશુઓના કથિત ગેરકાયદેસર પરિવહન અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સાથે જ કોર્ટે આ સંદર્ભમાં જપ્ત કરાયેલ...
National 
‘રાજ્યની અંદર ગાય કે ગૌવંશને વાહનમાં લઈ જવા એ ગુનો નથી’, હાઈ કોર્ટેની ટિપ્પણી

ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

અમદાવાદના ચાંદખેડામાં ખીરું ખાવાથી બે બાળકીના શંકાસ્પદ રીતે જીવ જતાં રહ્યા હતા. આ ઘટનાનો FSLનો રિપોર્ટ સામે આવી ગયો...
Gujarat 
ચાંદખેડાની ખીરું ખાવાની ઘટના પર FSLનો રિપોર્ટ આવી ગયો, ‘બંને બાળકીના શરીરમાં કોઈ શંકાસ્પદ પદાર્થ મળ્યો નથી’, હવે માતા-પિતાએ નવી થીયરી આપી

ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

ગુજરાતના પાટનગરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યૂરો (ACB)એ એક મોટી સફળતા હાંસલ કરી છે. ગાંધીનગર કોર્ટ પાર્કિંગ પાસે ફિલ્મી ઢબે...
Gujarat 
ગાંધીનગરમાં નાયબ મામલતદાર અને નિવૃત્ત પટાવાળો 9.5 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા
Copyright (c) Khabarchhe All Rights Reserved.