RSS કેમ બંધારણમાં 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દો હટાવવા માંગે છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેએ ગુરુવારે કોંગ્રેસ પાસે માગ કરી હતી કે તે 50 વર્ષ અગાઉ ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લગાવવામાં આવેલી ઈમરજન્સી માટે માફી માગે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા હોસબાલેએ સંવિધાનની પ્રસ્તાવનામાંથી  2 શબ્દ 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' હટાવવાની જોરદાર હિમાયત કરી. આ શબ્દ ઈમરજન્સી દરમિયાન તત્કાલીન કોંગ્રેસ સરકારે જોડ્યા હતા.

વર્ષ 1975માં લગાવવામાં આવેલી ઈમરજન્સીને યાદ કરતા, હોસબાલેએ કહ્યું કે, એ દરમિયાન હજારો લોકોને જેલમાં નાખવામાં આવ્યા અને યાતનાઓ આપવામાં આવી. ન્યાયપાલિકા અને મીડિયાની આઝાદી પણ છીનવી લેવામાં આવી હતી. હોસબાલેએ કહ્યું કે ઈમરજન્સી દરમિયાન મોટા પ્રમાણમાં બળજબરીથી નસબંધી કરવામાં આવી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, જે લોકો તે સમયે આ બધું કરી રહ્યા હતા અને આજે સંવિધાનની નકલ લઈને ફરી રહ્યા છે. તેમણે અત્યાર સુધી માફી માગી નથી, હવે માફી માગો. તેમણે વધુમાં કહ્યું કે તમારા પૂર્વજોએ આ કર્યું હતું, દેશ પાસે તેના માટે માફી માગવી જોઈએ.

Dattatreya-Hosabale
indianexpress.co

 

ક્યારે અને શા માટે લાગી હતી ઈમરજન્સી?

25 જૂન 1975ના ​​રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લગાવી દીધી હતી. તેનું કારણ અલ્લાહબાદ હાઇકોર્ટનો નિર્ણય હતો, જેમાં તેમની લોકસભા સીટ રદ કરવામાં આવી હતી. આંતરિક અશાંતિનો સંદર્ભ આપતા સરકારે સંવિધાનને સ્થગિત કરી દીધું. RSS, જન સંઘ અને વિપક્ષી નેતાઓ સહિત લાખો લોકોને કોઈ કારણ વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જે.પી. આંદોલનના નેતા જયપ્રકાશ નારાયણથી લઈને સામાન્ય કાર્યકર્તા સુધી બધા પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.

ઈમરજન્સીમાં સંજય ગાંધીના નેતૃત્વમાં લાખો પુરુષોની બળજબરીપૂર્વક નસબંધી કરવામાં આવી હતી. ગામે ગામ ટારગેટ આપવામાં આવ્યા હતા, જેણે ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ રહેનારા લોકોને સૌથી વધુ નુકસાન પહોંચાડયું. પ્રેસ પર સેન્સરશીપ લાગી. અખબારોને સરકારના ઈશારે કામ કરવા મજબૂર કરવામાં આવી હતી. કોર્ટની સ્વતંત્રતા પર પણ નજર રાખવામાં આવી હતી.

Dattatreya-Hosabale1
indiatoday.in

 

1976માં 42મા સુધારા દ્વારા ઈમરજન્સી દરમિયાન સંવિધાનની પ્રસ્તાવનામાં સમાજવાદીઅને ધર્મનિરપેક્ષશબ્દ જોડવામાં આવ્યા હતા. RSSનો દાવો છે કે આ શબ્દો બળજબરીથી થોપવામાં આવ્યા હતા અને હવે તેમને હટાવવાનો સમય છે.

About The Author

Related Posts

Top News

LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે મધ્ય પૂર્વમાં તણાવ વધાર્યો છે. મધ્ય પૂર્વ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ અને...
Business 
LPG કટોકટીની વચ્ચે દરેક શહેરમાં સિલિન્ડરનું બુકીંગ વધી ગયું! સરકારે લીધા 5 મોટા નિર્ણયો

હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઘણીવાર પોતાના અંગત જીવનને કારણે હેડલાઇન્સમાં છવાયેલો રહે છે. તાજેતરમાં, તે તેની નવી...
Sports 
હાર્દિક પંડ્યાએ ખરીદી 12 કરોડની ફેરારી, 'ગર્લફ્રેન્ડ' મહિકાને...

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 16-03-2026 વાર- સોમવાર મેષ - સાહસથી સફળતા મળશે, ભાગીદારીના કામમાં ધીરજ રાખવી જરૂરી, મિત્રોની મદદથી કામ સરળ બનાવો....
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

હોર્મુઝ પછી હવે બાબ અલ-મંડેબ દ્વારા વૈશ્વિક વેપાર માટે ખતરો ઉભો કરાયો

ઈરાન સહિત મધ્ય પૂર્વમાં ચાલી રહેલ સંઘર્ષના કારણે વૈશ્વિક વેપાર માટે બીજો એક મહત્વપૂર્ણ ખતરો ઉભો થઇ રહ્યો છે. ઈરાન...
World 
હોર્મુઝ પછી હવે બાબ અલ-મંડેબ દ્વારા વૈશ્વિક વેપાર માટે ખતરો ઉભો કરાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.