RSS કેમ બંધારણમાં 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' શબ્દો હટાવવા માંગે છે?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મહાસચિવ દત્તાત્રેય હોસબાલેએ ગુરુવારે કોંગ્રેસ પાસે માગ કરી હતી કે તે 50 વર્ષ અગાઉ ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લગાવવામાં આવેલી ઈમરજન્સી માટે માફી માગે. નવી દિલ્હીમાં એક કાર્યક્રમને સંબોધિત કરતા હોસબાલેએ સંવિધાનની પ્રસ્તાવનામાંથી  2 શબ્દ 'સમાજવાદી' અને 'ધર્મનિરપેક્ષ' હટાવવાની જોરદાર હિમાયત કરી. આ શબ્દ ઈમરજન્સી દરમિયાન તત્કાલીન કોંગ્રેસ સરકારે જોડ્યા હતા.

વર્ષ 1975માં લગાવવામાં આવેલી ઈમરજન્સીને યાદ કરતા, હોસબાલેએ કહ્યું કે, એ દરમિયાન હજારો લોકોને જેલમાં નાખવામાં આવ્યા અને યાતનાઓ આપવામાં આવી. ન્યાયપાલિકા અને મીડિયાની આઝાદી પણ છીનવી લેવામાં આવી હતી. હોસબાલેએ કહ્યું કે ઈમરજન્સી દરમિયાન મોટા પ્રમાણમાં બળજબરીથી નસબંધી કરવામાં આવી. તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, જે લોકો તે સમયે આ બધું કરી રહ્યા હતા અને આજે સંવિધાનની નકલ લઈને ફરી રહ્યા છે. તેમણે અત્યાર સુધી માફી માગી નથી, હવે માફી માગો. તેમણે વધુમાં કહ્યું કે તમારા પૂર્વજોએ આ કર્યું હતું, દેશ પાસે તેના માટે માફી માગવી જોઈએ.

Dattatreya-Hosabale
indianexpress.co

 

ક્યારે અને શા માટે લાગી હતી ઈમરજન્સી?

25 જૂન 1975ના ​​રોજ તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ દેશમાં ઈમરજન્સી લગાવી દીધી હતી. તેનું કારણ અલ્લાહબાદ હાઇકોર્ટનો નિર્ણય હતો, જેમાં તેમની લોકસભા સીટ રદ કરવામાં આવી હતી. આંતરિક અશાંતિનો સંદર્ભ આપતા સરકારે સંવિધાનને સ્થગિત કરી દીધું. RSS, જન સંઘ અને વિપક્ષી નેતાઓ સહિત લાખો લોકોને કોઈ કારણ વિના જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા. જે.પી. આંદોલનના નેતા જયપ્રકાશ નારાયણથી લઈને સામાન્ય કાર્યકર્તા સુધી બધા પર અત્યાચાર કરવામાં આવ્યો હતો.

ઈમરજન્સીમાં સંજય ગાંધીના નેતૃત્વમાં લાખો પુરુષોની બળજબરીપૂર્વક નસબંધી કરવામાં આવી હતી. ગામે ગામ ટારગેટ આપવામાં આવ્યા હતા, જેણે ગરીબો અને હાંસિયામાં ધકેલાઈ રહેનારા લોકોને સૌથી વધુ નુકસાન પહોંચાડયું. પ્રેસ પર સેન્સરશીપ લાગી. અખબારોને સરકારના ઈશારે કામ કરવા મજબૂર કરવામાં આવી હતી. કોર્ટની સ્વતંત્રતા પર પણ નજર રાખવામાં આવી હતી.

Dattatreya-Hosabale1
indiatoday.in

 

1976માં 42મા સુધારા દ્વારા ઈમરજન્સી દરમિયાન સંવિધાનની પ્રસ્તાવનામાં સમાજવાદીઅને ધર્મનિરપેક્ષશબ્દ જોડવામાં આવ્યા હતા. RSSનો દાવો છે કે આ શબ્દો બળજબરીથી થોપવામાં આવ્યા હતા અને હવે તેમને હટાવવાનો સમય છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.