ગુજરાતમાં છે કેજરીવાલ, હવે આગળ શું રણનીતિ અપનાવશે, AAPના રાજ્યસભા ઉમેદવાર કોણ?

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત જોડો સભ્યપદ અભિયાન દ્વારા કેજરીવાલ પાર્ટીમાં નવા કાર્યકરોને દાખલ કરી રહ્યા છે. અહીં તમને બતાવી દઈએ કે, તાજેતરમાં ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ હતી અને આ બેઠકોમાંથી એક, વિસાવદર, પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જીતી હતી. AAPના આ વિજયને મોટી સફળતા ગણાવી હતી.

જોકે, આ પછી તરત જ, પક્ષને ઝટકો લાગ્યો અને તેના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પક્ષને અલવિદા કહી દીધું. ડિસેમ્બર 2027માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે અને પાર્ટી અહીં કોંગ્રેસની જગ્યા લેવાનો પ્રયાસ કરી રહી છે.

Arvind Kejriwal
devdiscourse.com

2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તે 2017માં જીતેલી 99 બેઠકોની સરખામણીમાં, 2022માં માત્ર 17 બેઠકો પર આવી ગયું હતું, જ્યારે AAPને પાંચ બેઠકો મળી હતી અને લગભગ 13 ટકા મત મળ્યા હતા.

વિસાવદર બેઠક જીત્યા પછી, કેજરીવાલે કહ્યું હતું કે, 2027ની વિધાનસભા ચૂંટણીનો સેમીફાઇનલ છે. કેજરીવાલે કહ્યું હતું કે, 'ગુજરાતમાં BJP છેલ્લા 30 વર્ષથી એટલા માટે સત્તામાં છે, કારણ કે લોકો પાસે કોઈ વિકલ્પ નહોતો. કોંગ્રેસ અહીં BJPના ખોળામાં બેસી ગઈ હતી અને ગુજરાતમાં કોંગ્રેસે ફક્ત BJPને જીતવામાં જ મદદ કરી છે.'

Arvind Kejriwal
newindianexpress.com

AAPના કન્વીનરએ કહ્યું હતું કે, પરંતુ હવે ગુજરાતના લોકો પાસે એક પ્રામાણિક વિકલ્પ છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના લોકોએ AAPને ફરીથી સત્તામાં લાવવાનું મન બનાવી લીધું છે. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAPનું તોફાન આવશે અને ગુજરાતના લોકોએ BJP અને કોંગ્રેસ બંનેને નકારી કાઢવાનો સંકલ્પ કરી લીધો છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર AAP માટે મોટો ઝટકો હતો. માત્ર અરવિંદ કેજરીવાલ જ નહીં પરંતુ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સૌરભ ભારદ્વાજ જેવા મોટા ચહેરાઓ ચૂંટણી હારી ગયા હતા, પરંતુ હવે ગુજરાત અને પંજાબમાં એક-એક બેઠક જીત્યા પછી, AAP ફરીથી પોતાને એક કરવાનો પ્રયાસ કરી રહી છે.

Arvind Kejriwal
m.rediff.com

છેલ્લા કેટલાક દિવસોમાં, એવી ઘણી ચર્ચા થઇ હતી કે, અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં જઈ શકે છે કારણ કે, લુધિયાણા પશ્ચિમ બેઠક પર AAPની જીત પછી, તેના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાએ સંસદમાંથી રાજીનામું આપી દીધું છે, પરંતુ લુધિયાણા પશ્ચિમ પેટાચૂંટણીના પરિણામો પછી, તેમણે તેનો ઇનકાર કર્યો હતો.

હવે એવી અટકળો ચાલી રહી છે કે, AAPઆ ખાલી થયેલી બેઠક પરથી કોને પોતાનો ઉમેદવાર બનાવશે. પંજાબના પ્રભારી મનીષ સિસોદિયાનું નામ પણ ચર્ચામાં છે.

Related Posts

Top News

11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

EDએ ગુરુગ્રામ જમીન કૌભાંડમાં કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રા સામે ચાજર્શીટ દાખલ કરી છે. લોકસભામાં વિપક્ષ નેતા...
National 
11 વર્ષથી ભાજપ જેમના પર આરોપો લગાવે છે તે રોબર્ટ વાડ્રાની ધરપકડ કેમ નથી કરતી?

સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

ઇંગ્લેન્ડનો સ્ટાર ટેસ્ટ બેટ્સમેન જો રૂટ હાલમાં રન અને સદીઓનો વરસાદ કરી રહ્યો છે. જો રૂટે અત્યાર સુધીમાં 157 ટેસ્ટ...
Sports 
સચિનના ટેસ્ટ રનનો વર્લ્ડ રેકોર્ડ તોડવા જો રુટને આટલો સમય લાગશે, સમજો આખું ગણિત

લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

કર્ણાટક વાણિજ્યિક કર વિભાગે એક ફૂલ વિક્રેતાને નોટિસ મોકલી છે જે લારી પર ફૂલો વેચે છે, કારણ કે અધિકારીઓને...
National 
લારી પર ફૂલ વેચનારાને મળી 52 લાખની નોટિસ

શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!

રાજસ્થાનના ઝાલાવાડમાં એક સરકારી શાળાની છત તૂટી પડવાથી અત્યાર સુધીમાં સાત બાળકોના મોત થયા છે. જ્યારે 28 બાળકો ઘાયલ થયા...
National 
શાળા તો ન બનાવી શક્યા, પરંતુ VIP માટે રસ્તો ઝડપથી બનાવી દીધો, અધિકારીઓ બન્યા અસંવેદનશીલ!
Copyright (c) Khabarchhe All Rights Reserved.