ગુજરાતમાં છે કેજરીવાલ, હવે આગળ શું રણનીતિ અપનાવશે, AAPના રાજ્યસભા ઉમેદવાર કોણ?

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત જોડો સભ્યપદ અભિયાન દ્વારા કેજરીવાલ પાર્ટીમાં નવા કાર્યકરોને દાખલ કરી રહ્યા છે. અહીં તમને બતાવી દઈએ કે, તાજેતરમાં ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ હતી અને આ બેઠકોમાંથી એક, વિસાવદર, પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જીતી હતી. AAPના આ વિજયને મોટી સફળતા ગણાવી હતી.

જોકે, આ પછી તરત જ, પક્ષને ઝટકો લાગ્યો અને તેના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પક્ષને અલવિદા કહી દીધું. ડિસેમ્બર 2027માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે અને પાર્ટી અહીં કોંગ્રેસની જગ્યા લેવાનો પ્રયાસ કરી રહી છે.

Arvind Kejriwal
devdiscourse.com

2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તે 2017માં જીતેલી 99 બેઠકોની સરખામણીમાં, 2022માં માત્ર 17 બેઠકો પર આવી ગયું હતું, જ્યારે AAPને પાંચ બેઠકો મળી હતી અને લગભગ 13 ટકા મત મળ્યા હતા.

વિસાવદર બેઠક જીત્યા પછી, કેજરીવાલે કહ્યું હતું કે, 2027ની વિધાનસભા ચૂંટણીનો સેમીફાઇનલ છે. કેજરીવાલે કહ્યું હતું કે, 'ગુજરાતમાં BJP છેલ્લા 30 વર્ષથી એટલા માટે સત્તામાં છે, કારણ કે લોકો પાસે કોઈ વિકલ્પ નહોતો. કોંગ્રેસ અહીં BJPના ખોળામાં બેસી ગઈ હતી અને ગુજરાતમાં કોંગ્રેસે ફક્ત BJPને જીતવામાં જ મદદ કરી છે.'

Arvind Kejriwal
newindianexpress.com

AAPના કન્વીનરએ કહ્યું હતું કે, પરંતુ હવે ગુજરાતના લોકો પાસે એક પ્રામાણિક વિકલ્પ છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના લોકોએ AAPને ફરીથી સત્તામાં લાવવાનું મન બનાવી લીધું છે. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAPનું તોફાન આવશે અને ગુજરાતના લોકોએ BJP અને કોંગ્રેસ બંનેને નકારી કાઢવાનો સંકલ્પ કરી લીધો છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર AAP માટે મોટો ઝટકો હતો. માત્ર અરવિંદ કેજરીવાલ જ નહીં પરંતુ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સૌરભ ભારદ્વાજ જેવા મોટા ચહેરાઓ ચૂંટણી હારી ગયા હતા, પરંતુ હવે ગુજરાત અને પંજાબમાં એક-એક બેઠક જીત્યા પછી, AAP ફરીથી પોતાને એક કરવાનો પ્રયાસ કરી રહી છે.

Arvind Kejriwal
m.rediff.com

છેલ્લા કેટલાક દિવસોમાં, એવી ઘણી ચર્ચા થઇ હતી કે, અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં જઈ શકે છે કારણ કે, લુધિયાણા પશ્ચિમ બેઠક પર AAPની જીત પછી, તેના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાએ સંસદમાંથી રાજીનામું આપી દીધું છે, પરંતુ લુધિયાણા પશ્ચિમ પેટાચૂંટણીના પરિણામો પછી, તેમણે તેનો ઇનકાર કર્યો હતો.

હવે એવી અટકળો ચાલી રહી છે કે, AAPઆ ખાલી થયેલી બેઠક પરથી કોને પોતાનો ઉમેદવાર બનાવશે. પંજાબના પ્રભારી મનીષ સિસોદિયાનું નામ પણ ચર્ચામાં છે.

About The Author

Related Posts

Top News

ડેટા વગરના મોબાઇલ રિચાર્જ 70 ટકા સુધી સસ્તા થશે, TRAIએ ડ્રાફ્ટ રજૂ કર્યો છે

શું તમે પણ મોબાઇલ રિચાર્જની વધતી કિંમતોથી પરેશાન છો? અથવા તમે એવા વપરાશકર્તાઓમાંથી છો જે ઘરે Wi-Fiને કારણે...
Tech and Auto 
ડેટા વગરના મોબાઇલ રિચાર્જ 70 ટકા સુધી સસ્તા થશે, TRAIએ ડ્રાફ્ટ રજૂ કર્યો છે

છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકના પરિવહન મંત્રી બાયરાથી સુરેશ શનિવારે રાત્રે બેંગલુરુમાં અચાનક નિરીક્ષણ માટે નીકળ્યા અને એક બસમાં ચઢ્યા. ત્યારપછી જે બન્યું તે...
National 
છૂટ્ટા પૈસા ન હોય તો બસથી નીચે ઉતરો કહેનારા કંડક્ટરને ખબર નહોતી સામે ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર બેઠા છે, જુઓ વીડિયો

કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વાર્ષિક અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક આજે કર્ણાટકના બેલગાવી ખાતે પૂર્ણ થઈ છે. આ...
National 
કર્ણાટકમાં RSSની અખિલ ભારતીય પ્રાંત પ્રચારક બેઠક સંપન્ન: વસ્તી અસંતુલન અને રામ મંદિરની ઘટના પર ચર્ચા

કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો

મધ્યપ્રદેશના દમોહ જિલ્લાના કલેક્ટરે જિલ્લાના 141 ડોકટરો અને અધિકારીઓ સામે ખુબ મોટી કાર્યવાહી કરી છે, તેમણે સાર્થક એપની કરેલી...
National 
કલેક્ટર બહાર હતા, હાજરી તપાસવા એપ ખોલી અને 141 ડોકટરો-અધિકારીઓ ગેરહાજર હતા, કુલ 848 દિવસનો પગાર કાપી લીધો
Copyright (c) Khabarchhe All Rights Reserved.