ગુજરાતમાં છે કેજરીવાલ, હવે આગળ શું રણનીતિ અપનાવશે, AAPના રાજ્યસભા ઉમેદવાર કોણ?

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ હાલ ગુજરાતના પ્રવાસે છે. ગુજરાત જોડો સભ્યપદ અભિયાન દ્વારા કેજરીવાલ પાર્ટીમાં નવા કાર્યકરોને દાખલ કરી રહ્યા છે. અહીં તમને બતાવી દઈએ કે, તાજેતરમાં ગુજરાતમાં બે વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણીઓ યોજાઈ હતી અને આ બેઠકોમાંથી એક, વિસાવદર, પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ જીતી હતી. AAPના આ વિજયને મોટી સફળતા ગણાવી હતી.

જોકે, આ પછી તરત જ, પક્ષને ઝટકો લાગ્યો અને તેના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પક્ષને અલવિદા કહી દીધું. ડિસેમ્બર 2027માં ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે અને પાર્ટી અહીં કોંગ્રેસની જગ્યા લેવાનો પ્રયાસ કરી રહી છે.

Arvind Kejriwal
devdiscourse.com

2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને તે 2017માં જીતેલી 99 બેઠકોની સરખામણીમાં, 2022માં માત્ર 17 બેઠકો પર આવી ગયું હતું, જ્યારે AAPને પાંચ બેઠકો મળી હતી અને લગભગ 13 ટકા મત મળ્યા હતા.

વિસાવદર બેઠક જીત્યા પછી, કેજરીવાલે કહ્યું હતું કે, 2027ની વિધાનસભા ચૂંટણીનો સેમીફાઇનલ છે. કેજરીવાલે કહ્યું હતું કે, 'ગુજરાતમાં BJP છેલ્લા 30 વર્ષથી એટલા માટે સત્તામાં છે, કારણ કે લોકો પાસે કોઈ વિકલ્પ નહોતો. કોંગ્રેસ અહીં BJPના ખોળામાં બેસી ગઈ હતી અને ગુજરાતમાં કોંગ્રેસે ફક્ત BJPને જીતવામાં જ મદદ કરી છે.'

Arvind Kejriwal
newindianexpress.com

AAPના કન્વીનરએ કહ્યું હતું કે, પરંતુ હવે ગુજરાતના લોકો પાસે એક પ્રામાણિક વિકલ્પ છે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના લોકોએ AAPને ફરીથી સત્તામાં લાવવાનું મન બનાવી લીધું છે. કેજરીવાલે એમ પણ કહ્યું હતું કે, 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં AAPનું તોફાન આવશે અને ગુજરાતના લોકોએ BJP અને કોંગ્રેસ બંનેને નકારી કાઢવાનો સંકલ્પ કરી લીધો છે.

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં હાર AAP માટે મોટો ઝટકો હતો. માત્ર અરવિંદ કેજરીવાલ જ નહીં પરંતુ મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન, સૌરભ ભારદ્વાજ જેવા મોટા ચહેરાઓ ચૂંટણી હારી ગયા હતા, પરંતુ હવે ગુજરાત અને પંજાબમાં એક-એક બેઠક જીત્યા પછી, AAP ફરીથી પોતાને એક કરવાનો પ્રયાસ કરી રહી છે.

Arvind Kejriwal
m.rediff.com

છેલ્લા કેટલાક દિવસોમાં, એવી ઘણી ચર્ચા થઇ હતી કે, અરવિંદ કેજરીવાલ રાજ્યસભામાં જઈ શકે છે કારણ કે, લુધિયાણા પશ્ચિમ બેઠક પર AAPની જીત પછી, તેના રાજ્યસભા સાંસદ સંજીવ અરોરાએ સંસદમાંથી રાજીનામું આપી દીધું છે, પરંતુ લુધિયાણા પશ્ચિમ પેટાચૂંટણીના પરિણામો પછી, તેમણે તેનો ઇનકાર કર્યો હતો.

હવે એવી અટકળો ચાલી રહી છે કે, AAPઆ ખાલી થયેલી બેઠક પરથી કોને પોતાનો ઉમેદવાર બનાવશે. પંજાબના પ્રભારી મનીષ સિસોદિયાનું નામ પણ ચર્ચામાં છે.

About The Author

Related Posts

Top News

લિસ્ટિંગ થતા જ આ કંપનીના શેરમાં 500% ઉછાળો, ચીન સાથે છે સંબંધ

જ્યારે ભારતીય IPO બજારમાં એક બાદ એક ઇશ્યૂ લોન્ચ થઈ રહ્યા છે, ત્યારે વિદેશમાં પણ તમામ IPO શેરબજારમાં રોકાણકારોને...
Business 
લિસ્ટિંગ થતા જ આ કંપનીના શેરમાં 500% ઉછાળો, ચીન સાથે છે સંબંધ

'આંદોલન સમાપ્ત, લડાઈ નહીં', અભિજીત દિપકેએ જણાવી CJPની આગામી રણનીતિ

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ ભલે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP)એ તેનું 36 દિવસનું રાષ્ટ્રવ્યાપી આંદોલન...
National 
'આંદોલન સમાપ્ત, લડાઈ નહીં', અભિજીત દિપકેએ જણાવી CJPની આગામી રણનીતિ

'આટલું બધું ખાવાનું વહેચવા ફંડ ક્યાંથી મળ્યું?'; જુનૈદે કહ્યું- પોલીસે ઉઠાવ્યો અને આખી રાત આંખે પાટા બાંધી રાખ્યા!

જંતર-મંતર પર પ્રદર્શનકારીઓને ખાવાનું વહેંચતા જુનૈદે આરોપ લગાવ્યો છે કે, શુક્રવારે રાત્રે પોલીસે તેને ઉપાડી લીધો, તેને ઘણી...
National 
'આટલું બધું ખાવાનું વહેચવા ફંડ ક્યાંથી મળ્યું?'; જુનૈદે કહ્યું- પોલીસે ઉઠાવ્યો અને આખી રાત આંખે પાટા બાંધી રાખ્યા!

નીતિન ગડકરી પહોંચી ગયા હાઇ કોર્ટ! જાણો તેઓ કોની સામે કેસ કરવા જઈ રહ્યા છે?

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી કરી છે. અહેવાલ છે કે તે તેમની વિરુદ્ધ જાહેર કરાયેલ ડીપફેક સામગ્રી સામે...
National 
નીતિન ગડકરી પહોંચી ગયા હાઇ કોર્ટ! જાણો તેઓ કોની સામે કેસ કરવા જઈ રહ્યા છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.