કરોડરજ્જુની ગંભીર ઇજા પણ હવે મટી જશે, વૈજ્ઞાનિકે બનાવ્યું અનોખું ઉપકરણ, જીવનભર નહીં રહેવું પડે 'દિવ્યાંગ'

ઓસ્ટ્રેલિયાના વૈજ્ઞાનિકોની એક ટીમે એક ઇલેક્ટ્રોનિક સાધન બનાવ્યું છે, જે શરીરમાં ઇમ્પ્લાન્ટ કરી શકાય છે અને જેની મદદથી કરોડરજ્જુની ઇજા પછી ચાલવાની ક્ષમતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. આ સંશોધન પ્રાણીઓ પર કરવામાં આવ્યું હતું અને તેનાથી મનુષ્યો અને તેમના પાલતુ પ્રાણીઓ માટે પણ સારવારની આશા જાગી છે.

જો કરોડરજ્જુની ઇજા થઇ હોય, તો તેની સારવાર હજુ શક્ય નથી અને તે વ્યક્તિના જીવન પર ખૂબ જ ખરાબ અસર કરે છે. પરંતુ ન્યુઝીલેન્ડની ઓકલેન્ડ યુનિવર્સિટીના વાઇપાપા તૌમાતા રાઉ ખાતે કરવામાં આવેલા એક ટ્રાયલથી અસરકારક સારવારની આશા જાગે છે.

ઓકલેન્ડ યુનિવર્સિટીના વાઇપાપા તૌમાતા રાઉ ખાતે સ્કૂલ ઓફ ફાર્મસીના મુખ્ય સંશોધન ફેલો, મુખ્ય સંશોધક ડૉ. બ્રુસ હાર્લેન્ડે જણાવ્યું હતું કે, 'ત્વચા પર કાપો પડવાથી તે જે રીતે આપો આપ સારો થઇ જાય છે તેમ, કરોડરજ્જુની ઇજા પોતે જાતે સારી થઇ શકતી નથી, તેથી જ તેની ઇજા અત્યંત ગંભીર છે અને હજુ પણ તે અસાધ્ય છે.'

10

નેચર કોમ્યુનિકેશન્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક પેપર મુજબ, ડૉ. હાર્લેન્ડ અને તેમની ટીમે એક ખૂબ જ પાતળું ઉપકરણ બનાવ્યું છે, જે સીધું જ કરોડરજ્જુ પર લગાવવામાં આવે છે, ખાસ કરીને ત્યાં કે જ્યાં ઈજા થઈ હોય. આ ઉપકરણ ત્યાં હળવો અને નિયંત્રિત વિદ્યુત પ્રવાહ મોકલે છે, જે ઘાને મટાડવામાં મદદ કરે છે.

યુનિવર્સિટીની સ્કૂલ ઓફ ફાર્મસી ખાતે કેટવોક ક્યોર પ્રોગ્રામના ડિરેક્ટર પ્રોફેસર ડેરેન સ્વિર્સ્કીસે જણાવ્યું હતું કે, તેનો હેતુ કરોડરજ્જુની ઇજાને કારણે બંધ થયેલા કાર્યોને ફરીથી શરૂ કરવાનો છે.

ઉંદરોમાં માણસો કરતાં પોતાની જાતે સાજા થવાની ક્ષમતા થોડી સારી હોય છે, તેથી વૈજ્ઞાનિકોએ ઉંદરો પર આ તકનીકનું પરીક્ષણ કર્યું, જેથી જોઈ શકાય કે કુદરતી રીતે સાજા થવા કરતાં વિદ્યુત ઉત્તેજના કેટલો તફાવત ધરાવે છે.

08

ચાર અઠવાડિયા પછી, જે ઉંદરોને દરરોજ વિદ્યુત ઉત્તેજના સારવાર મળી હતી તેઓ ઉંદરો કરતાં વધુ સારી ગતિશીલતા ધરાવતા હતા જેમણે તે સારવાર કરાવી ન હતી. 12 અઠવાડિયાના અભ્યાસ દરમિયાન, ઉંદરો હળવા સ્પર્શ પર પણ વધુ ઝડપથી પ્રતિક્રિયા આપી શક્યા.

ડૉ. હાર્લેન્ડે કહ્યું કે, 'આનો અર્થ એ થયો કે સારવારથી ગતિશીલતા અને સંવેદના બંનેમાં સુધારો થયો. અને સૌથી અગત્યનું, સારવારથી કરોડરજ્જુમાં કોઈ બળતરા કે નુકસાન થયું નથી, જેના કારણે એ સાબિત થયું કે તે સુરક્ષિત પણ છે.'

ચેલ્મર્સ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના પ્રોફેસર મારિયા એસ્પ્લુન્ડે જણાવ્યું હતું કે, ભવિષ્યમાં આ ટેકનોલોજીને એક તબીબી ઉપકરણ બનાવવાની યોજના છે, જે કરોડરજ્જુની ગંભીર ઇજાઓ ધરાવતા લોકોને લાભ આપી શકે. હવે પછી આગળ વૈજ્ઞાનિકો સારવારની શક્તિ, તેની આવર્તન અને અવધિમાં કેટલો ફેરફાર કરવો તે શોધવા પર કામ કરશે, જેથી શ્રેષ્ઠ પરિણામો મેળવી શકાય.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.