ટાઇટેનિક જહાજની ભવિષ્યવાણી લખેલો 113 વર્ષ જૂનો પત્ર 3,14,00,000 રૂપિયામાં વેચાયો

આજે પણ 15 એપ્રિલ, 1912ની કાળી તારીખ યાદ કરીને આત્મા કંપી ઉઠે છે. આ દિવસે, વિશાળ ટાઇટેનિક જહાજ ડૂબી ગયું હતું અને તેમાં સવાર 1,496 લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે, નસીબ ઘણા લોકોનો સાથ આપતું હતું અને ભગવાન તેમના પર દયાળુ હતા, જેના કારણે તેમના જીવ બચી ગયા.

ટાઇટેનિક જહાજ પર એક મુસાફર દ્વારા લખાયેલો પત્ર બ્રિટનમાં એક હરાજીમાં રેકોર્ડ કિંમતે વેચાયો છે. કર્નલ આર્ચીબાલ્ડ ગ્રેસીનો આ પત્ર એક ગુપ્ત ખરીદદારે 3.41 કરોડ રૂપિયા (300,000 પાઉન્ડ)માં ખરીદ્યો હતો. આ હરાજી રવિવારે ઈંગ્લેન્ડના વિલ્ટશાયરમાં 'હેનરી એલ્ડ્રિજ એન્ડ સન' ઓક્શન હાઉસમાં થઈ હતી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ પત્રની શરૂઆતની અંદાજિત કિંમત લગભગ 60,000 પાઉન્ડ હતી, પરંતુ તે તેની અંદાજિત કિંમત કરતાં પાંચ ગણી વધુ કિંમતે વેચાઈ ગયો. આ પત્રને 'ભવિષ્યવાણી' કહેવામાં આવી રહ્યો છે, કારણ કે તેમાં કર્નલ ગ્રેસીએ તેમના એક મિત્રને લખ્યું હતું કે 'આ જહાજ સારું છે, પરંતુ અમે તેના વિશે કોઈ નિર્ણય લેતા પહેલા અમારી મુસાફરીના અંત સુધી રાહ જોઈશું.'

Titanic,-Letter
hindi.newsbytesapp.com

આ પત્ર 10 એપ્રિલ, 1912ના રોજ લખાયો હતો, જે દિવસે કર્નલ ગ્રેસી ટાઇટેનિકમાં સવાર થયા હતા. પાંચ દિવસ પછી, જહાજ એક હિમશિલા સાથે અથડાયું અને ઉત્તર એટલાન્ટિક મહાસાગરમાં ડૂબી ગયું. આ અકસ્માતમાં લગભગ 1,500 લોકોએ જીવ ગુમાવ્યા.

કર્નલ ગ્રેસી ફર્સ્ટ ક્લાસ પેસેન્જર હતા અને તેમણે કેબિન નંબર C51 પરથી આ પત્ર લખ્યો હતો. આ પત્ર બીજા દિવસે, 11 એપ્રિલના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો, જ્યારે ટાઇટેનિક આયર્લેન્ડના ક્વીન્સટાઉન (હવે કોવ) ખાતે રોકાયું હતું. આ પત્ર પર 12 એપ્રિલનો લંડન પોસ્ટમાર્ક પણ હતો.

હરાજી ગૃહ અનુસાર, આ ટાઇટેનિક સંબંધિત અત્યાર સુધીનો સૌથી મોંઘો પત્ર વેચાયો છે.

Titanic,-Letter1
sachkahoon.com

બચી ગયા પછી, કર્નલ ગ્રેસીએ 'ધ ટ્રુથ અબાઉટ ધ ટાઇટેનિક' નામનું પુસ્તક લખ્યું, જેમાં તેમણે અકસ્માતનો પોતાનો અનુભવ શેર કર્યો. તેમણે કહ્યું કે ઠંડા પાણીમાં પલટી ગયેલી લાઇફબોટમાં સવાર થઈને તે કેવી રીતે બચી ગયો. જોકે, લાઇફબોટ સુધી પહોંચેલા ઘણા લોકો ઠંડી અને થાકને કારણે મૃત્યુ પામ્યા.

આ અકસ્માતમાં કર્નલ ગ્રેસી બચી ગયા, પરંતુ તેમની તબિયત ઘણી બગડી ગઈ હતી. ત્યાર પછી તેઓ કોમામાં ગયા હતા અને ડાયાબિટીસની જટિલતાને કારણે 4 ડિસેમ્બર 1912ના રોજ તેમનું અવસાન થયું હતું.

About The Author

Related Posts

Top News

નવી ઈલેક્ટ્રિક બાઈક થઈ લોન્ચ; 180 Kmની રેન્જ, કિંમત એક્ટિવા કરતા ઓછી

ઓબેન ઇલેક્ટ્રિકે ભારતમાં તેની નવી ઇલેક્ટ્રિક બાઇક, ઓબેન રોર ઇવો લોન્ચ કરી છે. આ બાઇક રૂ. 1 લાખ (એક્સ-શોરૂમ)થી...
Tech and Auto 
નવી ઈલેક્ટ્રિક બાઈક થઈ લોન્ચ; 180 Kmની રેન્જ, કિંમત એક્ટિવા કરતા ઓછી

જમતો હતો પુત્ર, પિતાએ જ ગળું કાપી નાખ્યું; પત્ની અને પુત્રવધૂની જુબાનીના આધારે મળી સજા

બિહારના બેગુસરાયમાં કોર્ટે એક આરોપી પિતાને જમતી વખતે પુત્રનું ગળું કાપીને જીવ લઈ લેવા બદલ દોષિત ઠેરવ્યો છે અને તેને...
National 
જમતો હતો પુત્ર, પિતાએ જ ગળું કાપી નાખ્યું; પત્ની અને પુત્રવધૂની જુબાનીના આધારે મળી સજા

'સોરી જીયા, મમ્માને મરવું પડશે...' સાયબર છેતરપિંડી કરનારાઓએ એટલી હેરાન કરી કે મહિલાને પોતાનો જીવ આપી દીધો!

બિજનોરમાં એક મહિલા, જે 'ડિજિટલ ધરપકડ'ના નામે સાયબર છેતરપિંડી અને બ્લેકમેલિંગથી પરેશાન હતી, તેના મૃત્યુએ...
National 
'સોરી જીયા, મમ્માને મરવું પડશે...' સાયબર છેતરપિંડી કરનારાઓએ એટલી હેરાન કરી કે મહિલાને પોતાનો જીવ આપી દીધો!

મત નહીં આપનારના થાંભલા ઉખેડ્યા, દૂધ, પાણી બંધ કરવા ધમકી અને જગદીશભાઇની ટકોર પણ...

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો પછી ભાજપના હારી જનારા ઉમેદવારોએ કેટલીક જગ્યાએ થાંભલા ઉખેડી નાંખ્યા, કોઇ દૂધ ભરવાનું બંધ કરવાની...
Gujarat 
મત નહીં આપનારના થાંભલા ઉખેડ્યા, દૂધ, પાણી બંધ કરવા ધમકી અને જગદીશભાઇની ટકોર પણ...
Copyright (c) Khabarchhe All Rights Reserved.