પિતા રાજકારણમાં આવવાના વિરોધી હતા, પરંતુ હું લોકસભા 2024 લડીશ: મુમતાઝ પટેલ

કોંગ્રેસના દિવગંત નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર રહી ચૂકેલા અહેમદ પટેલના દીકરી મુમતાઝે લોકસભાની ચૂંટણીને લઇને મોટી વાત કરી છે. મુમતાઝ પટેલે એક જાહેર કર્યક્રમમમાં કહ્યુ કે આગામી લોકસભા ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહી છે. મુમતાઝે રાજકારણમાં આવવા વિશે પિતા સાથે થયેલી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અમદાવાદમાં FICCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુમતાઝ પટેલે કહ્યું કે મારા પિતા મારા રાજકારણમાં આવવાની વિરુદ્ધ હતા, પરંતુ હું આવતા વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી લડવા માંગુ છું. મુમતાઝે કહ્યું કે તે આ માટે તૈયારી કરી રહી છે.

પોતાના પિતાના અંતિમ દિવસોનો ઉલ્લેખ કરતા મુમતાઝે કાર્યક્રમમાં કહ્યું કે કોવિડ મહામારી દરમિયાન મેં મારા પિતા સાથે વાતચીતમાં એકવાર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પિતાએ કહ્યું હતું કે મહિલા માટે ચૂંટણી જીતવી સરળ નથી. મુમતાઝે કહ્યું કે આ વાતચીતમાં અમે પિતાને ગુમાવી દીધા હતા. મુમતાઝે કહ્યુ કે જ્યાંથી મારા પિતા ચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યા હતા એ બેઠક પરથી હું ચૂંટણી લડવા માંગુ છુ. મુમતાઝે લોકસભાની ભરૂચ બેઠકની વાત કરી હતી.

મુમતાઝ પટેલ જે ભરૂચ બેઠકની વાત કરી રહ્યા હતા તે વર્ષો પહેલાં કોંગ્રેસના કબ્જામાં હતી, પરંતુ છેલ્લાં 35 વર્ષથી આ બેઠક પર ભાજપનો કબ્જો છે. આદિવાસી નેતા મનસુખ વસાવા સતત છઠ્ઠીવાર અહીંથી સાંસદ છે.

ભરૂચ બેઠક પરથી કોંગ્રેસની ટીકિટ પર મુમતાઝ પટેલે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકિત કરી તે બેઠક પર આમ આદમી પાર્ટીની પણ નજર છે. આદિવાસી નેતા અને AAP નેતા ચૈતર વસાવાએ પણ તાજેતરમાં ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી હતી. એવામાં INDIA ગઠબંધનનો ઉમેદવાર કોણ હશે? એ મહત્ત્વનું રહેશે.

મુમતાઝ પટેલે FICCIના કાર્યક્રમમાં કહ્યુ હતુ કે ભરૂચ 45થી વધારે વર્ષથી મારા પિતાનું ચૂંટણી ક્ષેત્ર રહ્યું છે. મારા પિતા 3 વખત લોકસભા સાંસદ રહ્યા હતા અને તેમણે 6થી વધારે વખત રાજ્યસભાથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. ભરૂચ અમારું ઘર છે. મારો જન્મ પણ ત્યાં જ થયો છે એટલે હું ભરૂચથી જ ચૂંટણી લડીશ.મેં મારી તૈયારી પણ શરૂ કરી દીધી છે.

મુમતાઝે કહ્યુ કે મારા પિતાએ એક ફાઉન્ડેશન સ્થાપિત કરેલું છે, તેના માધ્યમથી હું આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહી છું. કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં ઘટાડા વિશે પુછાયેલા સવાલના જવાબમાં મુમતાઝે કહ્યું હતું કે, હું પોતે આગળ વધી રહી છું અને મને આશા છે કે વધારે મહિલાઓ આગળ આવશે.

FICCIના કાર્યક્રમમમાં ભાજપ નેતા ચારુ પ્રજ્ઞા પણ હાજર રહ્યા હતા. ‘Can Women Be A Mother And Leader’ વિષય પર ચર્ચા રાખવામાં આવી હતી. ચારુ પ્રજ્ઞાએ કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ 350 સીટ પર જીત મેળવશે.

About The Author

Related Posts

Top News

DyCM પવન કલ્યાણે તમિલનાડુના CMને લઈને આવું કેમ કહ્યું કે, 'મને વિજયની ઈર્ષ્યા થાય છે...' આનું રહસ્ય તેમણે આજે ખોલ્યું!

દક્ષિણ ભારતમાં, N.T. રામારાવ, M.G. રામચંદ્રન અને J. જયલલિતા જેવા મોટા ફિલ્મ સુપરસ્ટારોએ સિનેમા છોડ્યા પછી સફળ રાજકીય...
National 
DyCM પવન કલ્યાણે તમિલનાડુના CMને લઈને આવું કેમ કહ્યું કે, 'મને વિજયની ઈર્ષ્યા થાય છે...' આનું રહસ્ય તેમણે આજે ખોલ્યું!

અમેરિકાની કંપની ગુજરાતના વિદ્યાર્થીઓનો ડેટા ભેગો કરે છે, શિક્ષણ વિભાગે આપી ચેતવણી

રાજ્યની શાળાઓમાં બાળકોના વ્યક્તિગત અને સંવેદનશીલ ડેટાની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીએ મહત્ત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે. AI ...
Gujarat 
અમેરિકાની કંપની ગુજરાતના વિદ્યાર્થીઓનો ડેટા ભેગો કરે છે, શિક્ષણ વિભાગે આપી ચેતવણી

પશ્ચિમ બંગાળને તો છોડો મક્કા-મદીનામાં પણ ઇસ્લામિક કારણોસર ઇદ પર ગાયની બલિ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

દર વર્ષે, વિશ્વભરના મુસ્લિમ દેશોમાં બકરી ઇદ પર મોટી સંખ્યામાં ઘેટાં, બકરા, ગાય, ભેંસ અને ઊંટની...
Astro and Religion 
પશ્ચિમ બંગાળને તો છોડો મક્કા-મદીનામાં પણ ઇસ્લામિક કારણોસર ઇદ પર ગાયની બલિ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા

(ઉત્કર્ષ પટેલ) સ્વભાવે સરળ અને સ્પષ્ટ વ્યક્તિત્વ ધરાવતા ડૉ. મહેન્દ્રસિંહ દેવસિંહ ચૌહાણ ગુજરાતના પ્રસિદ્ધ આંખના સર્જન છે. 24 ડિસેમ્બર 1964ના...
Opinion 
ડૉ. મહેન્દ્રસિંહ ચૌહાણ જેવા વ્યક્તિત્વો સમાજ માટે પ્રકાશસ્તંભ છે, જે આંખોને રોશની આપે છે અને હૃદયોને પ્રેરણા
Copyright (c) Khabarchhe All Rights Reserved.