પિતા રાજકારણમાં આવવાના વિરોધી હતા, પરંતુ હું લોકસભા 2024 લડીશ: મુમતાઝ પટેલ

કોંગ્રેસના દિવગંત નેતા અને સોનિયા ગાંધીના સલાહકાર રહી ચૂકેલા અહેમદ પટેલના દીકરી મુમતાઝે લોકસભાની ચૂંટણીને લઇને મોટી વાત કરી છે. મુમતાઝ પટેલે એક જાહેર કર્યક્રમમમાં કહ્યુ કે આગામી લોકસભા ચૂંટણી લડવા માટે તૈયારી કરી રહી છે. મુમતાઝે રાજકારણમાં આવવા વિશે પિતા સાથે થયેલી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ ગુજરાતની ભરૂચ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. અમદાવાદમાં FICCI દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મુમતાઝ પટેલે કહ્યું કે મારા પિતા મારા રાજકારણમાં આવવાની વિરુદ્ધ હતા, પરંતુ હું આવતા વર્ષે 2024માં લોકસભાની ચૂંટણી લડવા માંગુ છું. મુમતાઝે કહ્યું કે તે આ માટે તૈયારી કરી રહી છે.

પોતાના પિતાના અંતિમ દિવસોનો ઉલ્લેખ કરતા મુમતાઝે કાર્યક્રમમાં કહ્યું કે કોવિડ મહામારી દરમિયાન મેં મારા પિતા સાથે વાતચીતમાં એકવાર ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પિતાએ કહ્યું હતું કે મહિલા માટે ચૂંટણી જીતવી સરળ નથી. મુમતાઝે કહ્યું કે આ વાતચીતમાં અમે પિતાને ગુમાવી દીધા હતા. મુમતાઝે કહ્યુ કે જ્યાંથી મારા પિતા ચૂંટણી લડીને સંસદમાં પહોંચ્યા હતા એ બેઠક પરથી હું ચૂંટણી લડવા માંગુ છુ. મુમતાઝે લોકસભાની ભરૂચ બેઠકની વાત કરી હતી.

મુમતાઝ પટેલ જે ભરૂચ બેઠકની વાત કરી રહ્યા હતા તે વર્ષો પહેલાં કોંગ્રેસના કબ્જામાં હતી, પરંતુ છેલ્લાં 35 વર્ષથી આ બેઠક પર ભાજપનો કબ્જો છે. આદિવાસી નેતા મનસુખ વસાવા સતત છઠ્ઠીવાર અહીંથી સાંસદ છે.

ભરૂચ બેઠક પરથી કોંગ્રેસની ટીકિટ પર મુમતાઝ પટેલે ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકિત કરી તે બેઠક પર આમ આદમી પાર્ટીની પણ નજર છે. આદિવાસી નેતા અને AAP નેતા ચૈતર વસાવાએ પણ તાજેતરમાં ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવાની ઇચ્છા વ્યકત કરી હતી. એવામાં INDIA ગઠબંધનનો ઉમેદવાર કોણ હશે? એ મહત્ત્વનું રહેશે.

મુમતાઝ પટેલે FICCIના કાર્યક્રમમાં કહ્યુ હતુ કે ભરૂચ 45થી વધારે વર્ષથી મારા પિતાનું ચૂંટણી ક્ષેત્ર રહ્યું છે. મારા પિતા 3 વખત લોકસભા સાંસદ રહ્યા હતા અને તેમણે 6થી વધારે વખત રાજ્યસભાથી ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. ભરૂચ અમારું ઘર છે. મારો જન્મ પણ ત્યાં જ થયો છે એટલે હું ભરૂચથી જ ચૂંટણી લડીશ.મેં મારી તૈયારી પણ શરૂ કરી દીધી છે.

મુમતાઝે કહ્યુ કે મારા પિતાએ એક ફાઉન્ડેશન સ્થાપિત કરેલું છે, તેના માધ્યમથી હું આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે કામ કરી રહી છું. કોંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને ગુજરાતમાં મહિલાઓના પ્રતિનિધિત્વમાં ઘટાડા વિશે પુછાયેલા સવાલના જવાબમાં મુમતાઝે કહ્યું હતું કે, હું પોતે આગળ વધી રહી છું અને મને આશા છે કે વધારે મહિલાઓ આગળ આવશે.

FICCIના કાર્યક્રમમમાં ભાજપ નેતા ચારુ પ્રજ્ઞા પણ હાજર રહ્યા હતા. ‘Can Women Be A Mother And Leader’ વિષય પર ચર્ચા રાખવામાં આવી હતી. ચારુ પ્રજ્ઞાએ કહ્યું કે 2024ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ 350 સીટ પર જીત મેળવશે.

Related Posts

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.