ગીર સફારીમાં સિંહો સાથે વીડિયો શેર કર્યા બાદ પરિમલ નથવાણીએ કહ્યું- 'હું વન્યજીવ પ્રેમી છું, મેં વન વિભાગની...,'

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નજીકના સહયોગી અને રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર ઉભા થયેલા વિવાદ પર પોતાનું મૌન તોડ્યું છે. નથવાણીએ જણાવ્યું હતું કે, તેમણે ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલા સાસણ ગીર સિંહ સફારીની મુલાકાત માટે તમામ જરૂરી પરવાનગીઓ મેળવી પછી ગયા હતા. એક વીડિયો વાયરલ થયા બાદ તેમનું આ નિવેદન આવ્યું છે, જેમાં તેઓ સિંહો વચ્ચે ઉભા હતા અને સિંહોનો વીડિયો બનાવી રહ્યા હતા. સોશિયલ મીડિયા યુઝર્સે આ વીડિયો શેર કર્યો છે, જેમાં ટિપ્પણી કરી હતી કે, કદાચ હાઇ-પ્રોફાઇલ વ્યક્તિઓ માટે કાયદા અને નિયમો અલગ હોય છે. પરિમલ નથવાણી કે જેઓ એક પ્રભાવશાળી વ્યક્તિ છે, તેમણે તેમની ખાનગી કારમાં સાસણ ગીરની યાત્રા કરી હતી. સોશિયલ મીડિયા પર સવાલો ઉભા થયા છે કે, શું નથવાણીએ વન વિભાગ અને ગુજરાત સરકાર પાસેથી પરવાનગી મેળવી હતી. નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કોર્પોરેટ બાબતોના ડિરેક્ટર અને આંધ્રપ્રદેશના રાજ્યસભાના સાંસદ છે.

Parimal-Nathwani.jpg-2

સોશિયલ મીડિયા પર વ્યક્ત કરવામાં આવેલી ચિંતાઓને સકારાત્મક રીતે લેતા પરિમલ નથવાણીએ કહ્યું, 'હું છેલ્લા ત્રણ દાયકાથી નિયમિતપણે ગીરની મુલાકાત લઈ રહ્યો છું. આ વર્ષો દરમિયાન, જ્યારે પણ હું ગીરની મુલાકાતે ગયો છું, ત્યારે મેં ગુજરાત સરકારના વન વિભાગ પાસેથી જરૂરી પરવાનગીઓ અને મંજૂરીઓ મેળવી છે. મારી મુલાકાતો દરમિયાન, વન્યજીવોના રોજિંદા જીવનમાં કોઈ વિક્ષેપ ન પડે તેની ખાતરી કરવા માટે હંમેશા ખૂબ કાળજી લેવામાં આવી છે.' નથવાણીએ જણાવ્યું હતું કે, જંગલમાં પ્રવેશ માટે, ખાનગી વાહનો માટે તેમજ સાથે આવનારા વ્યક્તિઓ માટે પણ નિયમિતપણે વન વિભાગ પાસેથી જરૂરી પરવાનગીઓ મેળવવામાં આવે છે.

Parimal-Nathwani.jpg-3

નથવાણીએ લખ્યું, 'જેમ કે તમે જાણો છો, હું વન્યજીવ પ્રેમી છું. મને ગીરના સિંહો પ્રત્યે ખાસ લગાવ છે. હું ઘણા વર્ષોથી સિંહ સંરક્ષણ ક્ષેત્રમાં સક્રિય રીતે કામ કરી રહ્યો છું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા, સિંહ સંરક્ષણ માટે ઘણી પહેલ કરવામાં આવી છે. હું ભવિષ્યમાં પણ આમ કરતો રહીશ.' નથવાણીએ ઉમેર્યું, 'મેં રાજ્યસભાના સભ્ય તરીકે પણ ચિંતાઓ વ્યક્ત કરી છે.'

ત્યારપછી તેમણે જણાવ્યું કે, તેમણે એશિયાના સિંહો પર બે પુસ્તકો લખ્યા છે: 'ગીર લાયન: પ્રાઇડ ઓફ ગુજરાત' અને 'કોલ ઓફ ધ ગીર'. આ ઉપરાંત તેમણે 'ધ પ્રાઇડ કિંગડમ' નામની એક વીડિયો દસ્તાવેજી પણ બનાવી છે. નથવાણીએ ગીરના સિંહોની પ્રખ્યાત 'જય-વીરુ' જોડીનો પણ ઉલ્લેખ કર્યો અને કહ્યું કે તેમણે તેમની યાદમાં એક દસ્તાવેજી ફિલ્મ બનાવી છે. નથવાણીએ કહ્યું કે, તેઓ સોશિયલ મીડિયા પર તાજેતરમાં શેર કરાયેલા વીડિયો અંગે ચિંતા વ્યક્ત કરનારાઓની લાગણીઓનો આદર કરે છે.

About The Author

Related Posts

Top News

મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

જિગ્નેશ મેવાણીએ ડો. હરિ દેસાઇને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યુ હતું કે, ગુજરાતમાં દારૂ- નશીલા પદાર્થના અભિયાનનું કોઇ પ્લાનીંગ નહોતુ અચાનક...
Gujarat 
 મેવાણીએ જણાવ્યું- ગુજરાતમાં નશીલા પદાર્થનું અભિયાન કેવી રીતે શરૂ થયું?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ
Copyright (c) Khabarchhe All Rights Reserved.